કુર્‌આન શરીફ અને વિજ્ઞાન વચ્ચે દલીલોની સમાનતા

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 28 to 30)

 ડો. મોરીસ બોકાઈ (Dr. Maurice Bucaille) ફ્રાન્સના એક ખ્રિસ્તી કુટુંબમાં પેદા થયા. તેમણે કુર્આન શરીફ અને વિજ્ઞાન વિશે એક પુસ્તક લખ્યું,THE BIBLE THE QUR’AND SCIENCE”. જેમાં ડો. મોરીસે સાબિત કર્યુ છે કે વિજ્ઞાન વિશે કુર્આન શ.ના બયાનો અને વિવરણો આર્શ્ચજનક રીતે આધુનિક જાણકારીના અનુરૂપ છે. કુર્આન શરીફ જો કે વૈજ્ઞાનિક યુગથી ઘણા પહેલા ઉતર્યું, પરંતુ પાછલા યુગમાં જાહેર થનાર બધી જ વાસ્તવિક હકીકતો, તથ્યો, પ્રયોગો, જાણકારીઓ અને તેમના વૈજ્ઞાનિક વિશ્લેષણોનું તેમાં સચોટ વર્ણન હોવુ આ વાતની સ્પષ્ટ સાબિતી છે કે, કુર્આન શરીફ એક મહાન શકિતશાળી અને મહાન જાણકાર ખુદાતઆલા તરફથી છે. તે કોઈ માનવકૃતિ નથી.

ડો. મોરીસનું બીજુ પુસ્તક (What is the origin of ban)  જેમાં ગર્ભાશયમાં શિશુના વિકાસવૃધ્દ્રિ વિશેની વિગતવાર માહિતી છે. જે ડો. મોરીસનો ખાસ વિષય છે. આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યુ છે કે, શિશુના ગર્ભાશયમાં વિકાસના તબક્કા વિશે કુર્આન શરીફના કથનો અને માહિતીઓ વૈજ્ઞાનિક જાણકારીના આધુનિક બિલકુલ અનુરૂપ છે. જ્યારે કે આ વિશેની માહિતી વૈજ્ઞાનિકોને વીસમી સદીમાં જ પ્રાપ્ત થઈ. પોતાના આ બીજા પુસ્તકમાં ડો. મોરીસ જણાવે છે કે મને ફ્રાન્સમાં બતાવવામાં આવ્યુ કે કુર્આન શરીફ હઝરત મુહમ્મદ (સલ.)નું લખેલ પુસ્તક છે. જે તેમણે બાઈબલમાં અમુક સુધારાઢવધારા કરી તૈયાર કર્યુ છે. આ પ્રકારની માહિતી અનુસાર હું સમજતો હતો કે ‘‘બાઈબલમાં જે વૈજ્ઞાનિક ભૂલો (Scientific errors) છે, તે કુર્આન શરીફમાં પણ ચોક્કસ હોવી જોઈએ. બીજી વાત એ કે હઝ. મુહમ્મદ(સલ.) ઉપર ઉતરનાર વહીનો સમય ૬૧૦ ઈ.સ. થી ૬૩ર ઈ.સ. સુધીનો છે. આ તે યુગ છે, જ્યારે પૂર્વ પશ્ચિમ બધે જ અભણતાવાળી અંધકારિક ધારણાઓ, શ્રધ્ધાઓ અને ભાવનાઓ (Scientific Obscurantism) છવાયેલી હતી. આને લઈ કુર્આન શરીફમાં પણ તે અભણતાવાળી અંધકારિક ભાવનાઓની અસર હોવી જરૂરી છે.

પરંતુ અમુક પ્રયોગો અને અનુભવો દરમ્યાન ડો. મોરીસને ખબર પડી કે કુર્આન શરીફ અને બાઈબલના બયાનો તથા વિવેચનોમાં અમુક બાબતોમાં એકમત હોવા છતાં કુર્આન શ. ઘણી જ ચીવટ અને ચોકસાઈથી વર્ણન કરે છે, અને પોતાને તે પ્રકારની વૈજ્ઞાનિક ભૂલોથી દૂર રાખે છે, જે પ્રકારની ભૂલો બાઈબલમાં મૌજુદ છે. તો એમની જિજ્ઞાસામાં વધારો થયો.આ પ્રમાણે વાંચન અનુભવ પછી ડો.મોરીસે કુર્આન શરીફને અરબી ભાષામાં જ સમજવા માટે પચાસ વર્ષની ઉંમરે અરબી ભાષા શીખી, તો આ પ્રમાણેની ઘણી બાબતો જાણવા મળી. હવે તેમને આ વિચાર વારંવાર સતાવ્યા કર્યો કે, જો હઝરત મુહમ્મદ (સલ.)એ કુર્આન શરીફને બાઈબલની મદદથી સમયની માંગ પ્રમાણે તૈયાર કર્યુ હોય, તો પછી કયા કારણો અને પરિબળોથી કુર્આન શરીફ તે બધી જ વૈજ્ઞાનિક ભૂલોથી પોતાને બચાવી લે છે, જેનું બાઈબલમાં વર્ણન છે? અને બાઈબલ પોતાને તે ભૂલોથી બચાવી ન શકયું ? બાઈબલમાં આ પ્રકારની ઘણી ભૂલો છે જેનો સ્વીકાર કરતા Jean guitton એ લખ્યુ હતું કે બાઈબલની વૈજ્ઞાનિક ભૂલો એ માનવ ભૂલો છે, કારણ કે તે વખતે માનવી વૈજ્ઞાનિક દ્રષ્ટીએ એક બાળક સમાન હતો. ડો. મોરીસ આગળ લખેછે, આવા સંજોગોમાં હઝરત મુહમ્મદ(સલ.) માટે કેવી રીતે શકય હતું કે તે કુર્આન શરીફ સંપાદન કરતી વખતે બાઈબલ અને પોતાનાયુગની વૈજ્ઞાનિક ભૂલોથી કુર્આન શરીફને બચાવે તથા તેમાંથી આ વૈજ્ઞાનિક ભૂલો કાઢી નાંખી એવી અપવાદરૂપ કિતાબ તૈયાર કરે જેમાં એક પણ ભૂલ ન હોય ?

ડો. મોરીસ લખે છે કે આ બધી સત્ય અને નક્કર હકીકતો સ્પષ્ટ શબ્દોમાં આ બાબત દર્શાવે છે કે કુર્આન શરીફ હઝરત મુહમ્મદ (સલ.)નું લખેલ પુસ્તક નથી. જ્ઞાનઢવિજ્ઞાનનો ઈતિહાસ દર્શાવે છે કે કુર્આન શ.માં આ પ્રકારની અભણતા અને અંધકારમય વાતોનું ન હોવુ કોઈ માનવજ્ઞાનના પરિણામ અને ફળસ્વરૂપે નથી.

Log in or Register to save this content for later.