Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 187 to 190)
હુજરએ અકદસઃ (આપﷺ ની આરામની જગ્યા) હુજરએ અકદસ જેમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પોતાના બે જાંનિસાર સહાબી હઝરત અબૂબક્ર સિદ્દીક (રદી.) અને હઝરત ઉમર (રદી.)ની સાથે આરામ ફરમાવી રહયા છે.
મસ્જિદે નબવીની કિબ્લા તરફથી ડાબી બાજુએ રવઝહ (જન્નતની કયારી)ની બિલ્કુલ બાજુમાં ડાબી તરફ આ હુજરહ શરીફ આવેલો છે. તેની ઉત્તર દિશામાં એક બીજો રૂમ છે. તે હઝરત ફાતિમહ રદી.નો ઓરડો કહેવાય છે. હુજરહ શરીફની લંબાઈ સાડા ત્રેપન ફૂટ અને પચાસ ફૂટ પહોળાઈ છે. એના ઉપર ચાર નાના ગુંબદ અને એક મોટો લીલા રંગનો ગુંબદ છે. જેને ગુંબદે ખઝરહ (લીલો) કહેવામાં આવે છે. જે દૂરથી જ પોતાની આગવી અનોખી શાન ધરાવે છે.
હુજરહ શરીફની સૌથી પહેલી તામીર (બાંધકામ) હઝરત ઉમર ઈબ્ને અ.અઝીઝ રહ.એ કરી હતી. ત્યારે એની બનાવટ એ પ્રકારની રાખી કે (હઝરત ફાતિમહ રદી.ના હુજરહને શામિલ કરી) કઅબહ શરીફની જેમ આકાર ન થઈ જાય કે ભવિષ્યમાં ઉમ્મત એનો પણ તવાફ શરૂ કરી આપે. અને જેનાથી અલ્લાહ પાકના પ્યારા રસૂલﷺ ને તકલીફ થાય.
ત્યાર પછી યહુદીઓ તરફથી સુરંગ ખોદી કબરે અતહરની નજીક પહોંચવાની નાપાક કોશિશ કરવામાં આવી અને સુલ્તાન નુરૂદ્દીન જંગી રહ.ને ખ્વાબમાં બતાવવામાં આવ્યુ અને આપે આવીને નાપાક ષડયંત્રને પકડી પાડી ગુનેહગારોને ખતમ કરી ચારેવ તરફ ઉંડાણ સુધી સીસુ પિગળાવીને દીવાળો બનાવી આપી.
હુજરહ શરીફના ચાર દરવાજા છે. પશ્ચિમમાં [૧] બાબુલ્વુફૂદ, દક્ષિણમાં [ર] બાબુત્તૌબા (કિબ્લારૂખ પર છે), ઉત્તરમાં [૩] બાબે ફાતિમહ રદી. અને દક્ષિણમાં [૪] બાબુત્તહજ્જુદ (મસ્જિદના રૂખ પર છે).
મેહરાબે રસૂલુલાહﷺ
જન્નતની કયારીમાં જ એક મેહરાબ બનેલી છે. જેના ઉપર (مصلی النبی صلی اللہ علیہ وسلم) લખેલું છે. આ તે જગ્યા છે, જ્યાં આપﷺ નમાઝોની ઈમામત ફરમાવતા હતા. તુર્ક બાદશાહોએ એના બાંધકામમાં ઘણો જ અદબ રાખી એ પ્રમાણે મેહરાબ બનાવ્યો કે, જ્યાં આપﷺ ની પેશાની મુબારક રહેતી હતી, તે જગ્યા મેહરાબમાં આવી ગઈ છે. અને જ્યાં લોકો નમાઝ પઢે છે તે જગ્યા આપﷺ ના કદમ મુબારકની છે. અહિંયા બીજા લોકોને તકલીફ ન થાય તે પ્રમાણે બે રકાઅત પઢવાની કોશિશ કરે. ધક્કા–મુક્કી ન કરે અને અદબનો ખ્યાલ રાખે.
સાત થાંભલાઓઃ (રિયાઝુલ્જન્નહ) જન્નતની કયારીમાં સાત થાંભલાઓ છે. જેને મારબલ અને સોનેરી કોતરકામથી આગવી વિશિષ્ટતા પ્રાપ્ત છે.
૧.સુતૂને હન્નાનહઃ આ થાંભલો આપ (ﷺ)ના મેહરાબના પાસે છે. આપﷺ આ થાંભલા પાસે ઉભા રહી ખુત્બો બયાન ફરમાવતા હતા. અહીં તે ખજૂરનું થડ દફન કરવામાં આવ્યુ છે, જે લાકડાના મિમ્બર બની જવા બાદ નાના છોકરાની જેમ આપﷺ ની જુદાઈના કારણે રડતુ હતું.
ર.સુતૂને આઈશાઃ એક વખત આપﷺએ ફરમાવ્યુ કે, મારી મસ્જિદમાં એક એવી જગ્યા છે કે, જો લોકોને ત્યાં નમાઝ પઢવાની ફઝીલતની જાણ થઈ જાય તો ચીઠ્ઠી નાંખી ત્યાં જવાની કોશિશ કરે. [તબરાની] હઝરત આઈશા રદી.એ તે જગ્યાની નિશાની લોકોને બતાવી, જેથી તે જગ્યાએ થાંભલો બનાવવામાં આવ્યો અને તેનું નામ સુતૂને આઈશહ રદી. રાખ્યું.
૩. સુતૂને અબૂ લુબાબહ રદી.: એક સહાબી હઝરત અબૂ લુબાબહ રદી.એ પોતાની એક ભૂલને કારણે પોતાને આ થાંભલા સાથે બાંધ્યા હતા. અલ્લાહ તબારક વ તઆલાએ એમની તૌબા કબૂલ ફરમાવી. એટલા માટે આ થાંભલાને સુતૂને તવબહ પણ કહે છે.
૪.સુતૂને વુફૂદઃ આ જગ્યાએ આપﷺ બહારથી આવનાર મહેમાનો સાથે મુલાકાત ફરમાવતા હતા.
પ.સુતૂને સરીરઃ આ જગ્યાએ આપ એતેકાફ ફરમાવતા હતા અને રાત્રે આપના માટે અહીંયા બિસ્તર બિછાવવામાં આવતો હતો.
૬.સુતૂને હર્સઃ આ જગ્યાએ હઝરત અલી રદી. અને બીજા સહાબાએ કિરામ આપﷺ નો પહેરો આપી હિફાઝત માટે ઉભા રહેતા હતા.
૭. સુતૂને તહજ્જુદ : રસૂલુલ્લાહﷺ આ જગ્યાએ તહજ્જુદની નમાઝ પઢતા હતા. (હાલમાં આ સુતૂન કુર્આન શરીફની અલ્મારીને લીધે દેખાતો નથી.)
સુફફહ(ચબૂતરા): મસ્જિદે નબવીની ઉત્તર દિશાએ મસ્જિદથી લાગેલો એક ચબૂતરો છે. આ જગ્યા હવે બાબે જિબ્રઈલથી અંદર પ્રવેશતાં હુજરહ શરીફની ઉત્તરમાં મેહરાબે તહજ્જુદની બિલ્કુલ સામે બે ફૂટ ઉંચા પિત્તળના કઠેળાથી સમાવાયેલી છે. એની લંબાઈ–પહોળાઈ ૪૦×૪૦ ફૂટ છે. આ તે જગ્યા છે, જ્યાં ઈસ્લામી શિક્ષણનો પ્રથમ મદ્રસો હતો. અલ્લાહ પાકના પ્યારા રસૂલુલ્લાહﷺ તેના ઉસ્તાદ હતા અને શાગિર્દો હઝરાતે સહાબા રદી. હતા. એવા ગરીબ અને લાચાર સહાબા પણ હતા, જેમનું ઘર આ સુફફહ હતું.
હઝરત અબૂ હુરૈરહ રદી. ફરમાવે છે કે, મેં સિત્તેર સહાબા રદી. (ચબૂતરાવાસી) જોયા, એમની પાસે ચાદર સુધ્ધાં ન હતી. ફકત એક લુંગી અથવા કંબલ હતી. ચાદરને ગળામાં એવી રીતે બાંધતા હતા કે તે પીંડલી સુધી અને અમુકને પગ સુધી આવતી હતી. જેને હાથથી પકડી રાખતા હતા કે સતર ખુલી ન જાય. [બુખારી શરીફ] આ પ્રમાણે દુઃખ વેઠી જગતમાં હિદાયત અને ઈલ્મની રોશની ફેલાવી.
બહાર અબ જો દુનિયામે આઈ હુઈ હે
સબ પોડ ઉન્હીકી લગાઈ હુઈ હૈ
Log in or Register to save this content for later.