હજ્જ પછી મદીના મુનવ્વરહ તરફ નીકળવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 171-172)

હજ અદા કર્યા પછી સૌથી અફઝલ અને બરકતવાળો અમલ સય્યિદુલ અંબિયા રહમતુલલિલ્આલમીન રસૂલે મકબૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના રોઝએ અકદસની ઝિયારત છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની મુહબ્બત અને અઝમત તે કિંમતી અમલ છે, જેના વગર માણસનું ઈમાન કામિલ અને દુરૂસ્ત થતુ નથી.

હજની અદાયગી બાદ મદીનહ મુનવ્વરહ પહોંચી રોઝએ અકદસ પાસે હાજરી આપી સલાતો–સલામનો હદીયો આકા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના દરબારમાં પેશ કરવામાં આવે.

હદીષ શરીફમાં છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જેણે મારી ઝિયારત કરી, તેના માટે મારી શિફાઅત વાજિબ થઈ ગઈ.

બીજી રિવાયતમાં ફરમાવ્યુ કે, જેણે મારા મરણ બાદ મારી કબરની ઝિયારત કરી, તો એવી (ફઝીલત) છે કે જાણે દુનિયામાં મારી ઝિયારત કરી.

Log in or Register to save this content for later.