Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 66 -67)
તવાફે કુદૂમ આફાકી માટે જે મુફરિદ અથવા કારિન હોય, સુન્નત છે. અને તમત્તુઅ કરવાવાળા આફાકી માટે સુન્નત નથી.
મસ્અલો : તવાફે કુદૂમનો સમય મક્કા શરીફમાં દાખલ થયા પછીથી અરફાતમાં થોભવા સુધી છે. જો અરફાતમાં થોભવા બાદ પણ તવાફ ન કર્યો તો હવે એનો સમય પુરો થઈ જવાથી તવાફે કુદૂમ માફ થઈ જશે.
મસ્અલો : આફાકી માણસ સીધો અરફાત ચાલ્યો જાય અને મક્કા શરીફમાં ૧૦ ઝિલ્હજ્જના અથવા ૯ ઝિલ્હજ્જના અરફાતમાં થોભવા બાદ આવે તો એને માટે પણ હવે તવાફ માફ થઈ જશે.
મસ્અલો : તવાફે કુદૂમ પછી જો સફા–મરવાની સઈ કરવાનો ઈરાદો હોય તો આ તવાફમાં ઈઝતિબાઅ અને ત્રણ ચક્કરોમાં રમલ પણ કરે.
મુફરિદ માટે તવાફે ઝિયારત પછી સઈ અફઝલ છે અને કારિન માટે તવાફે કુદૂમની સાથે અફઝલ છે. અને જે વ્યકિત તવાફે ઝિયારત પહેલાં સઈ કરી લે, તો તેણે તવાફે ઝિયારત બાદ સઈ ન કરવી.
Log in or Register to save this content for later.