તવાફની સુન્નતો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 56 - 57)

૧. હજરે અસ્વદનો ઈસ્તિલામ કરવો.

ર. ઈઝતિબાઅ કરવો (એહરામની ચાદર હોય તો).

૩. પહેલા ત્રણ ચક્કરોમાં રમલ કરવો.

૪. બાકીના ચક્કરોમાં ન કરવો સુન્નત છે.

પ. તવાફ પછી સઈ કરનારે સઈ પહેલાં હજરે અસ્વદને બોસો આપવો.

૬. હજરે અસ્વદની સામે ઉભા રહી તકબીર વખતે બન્નેવ હાથ તકબીરે તહરીમા-નમાઝની તકબીરની જેમ ઉઠાવવા.

૭. હજરે અસ્વદથી તવાફની શરૂઆત કરવી. (આ વધુ પડતા ઉલમાના કથનુસાર) સુન્નત છે અને હનફી પંથમાં ઝાહિરૂ ર્રિવાયત પણ આ જ છે. આ અમલ છોડવાથી દમ લાગુ પડશે નહિ.

૮. શરૂ તવાફમાં હજરે અસ્વદ તરફ મોઢુ કરવું.

૯. બધા ચક્કરો લગાતાર કરવા.

૧૦. શરીર અને કપડાનું નાપાકીથી પાક હોવુ.

Log in or Register to save this content for later.