Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 150-151)
મસ્અલોઃ કોઈપણ મર્દ અવરતને શહવતથી (આવેશ) બોસો (ચુંબન) આપશે તથા શહવતથી હાથ લગાડશે, પકડશે તો દમ વાજિબ થશે. ઈન્ઝાલ (વિર્યનું નીકળવુ) થવુ જરૂરી નથી.
મસ્અલોઃ અરફાતના મેદાનમાં થોભવા પહેલાં અવરત સાથે સંભોગ કરવાથી હજ્જ ફાસિદ થઈ જાય છે. અને એક દમ (બકરી) વાજિબ થશે. અને આવતા વર્ષે અથવા પછી કઝા કરવી પડશે. પરંતુ હજ્જના સર્વે અરકાન અદા કરવા જરૂરી છે. જો બંનેવ એહરામમાં હતા તો બંનેવ ઉપર બકરી વાજિબ થશે. જો નફલી હજ હશે તો પણ આ હજની કઝા કરવી પડશે, કારણકે નફલી હજ શરૂ કરવાથી પુરી કરવી વાજિબ થઈ જાય છે.
મસ્અલોઃ અરફાતના મેદાનમાં થોભવા પછી માથુ મુંડાવવા પહેલાં સંભોગ કર્યો તો હજ ફાસિદ થશે નહિ, પરંતુ એક ગાય કે ઊંટ વાજિબ થશે.
મસ્અલોઃ માથુ મુંડાવવા પછી તવાફે ઝિયારત પહેલાં સંભોગ કર્યો તો એક બકરી વાજિબ થશે. અમુક ઉલમાએ ઊંટ કે ગાય વાજિબ કર્યુ છે. માટે જો માલદાર હોય તો બેહતર છે કે મોટુ જાનવર ઝબ્હ કરે.
મસ્અલોઃ એહરામની હાલતમાં ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે ઝબ્હ કરવુ જાઈઝ છે અને એનું ગોશ્ત પણ ખાવુ જાઈઝ છે.
પરંતુ કબૂતરને ઝબ્હ કરવુ દરેક હાલતમાં મના છે. ચાહે પાળેલ કબૂતર હોય. હરમમાં રહેવાવાળા ઘણા લોકો પાળેલ કબૂતરને ઝબ્હ કરવુ હલાલ સમજે છે, તે ગલત છે.
મસ્અલોઃ એહરામની હાલતમાં તીડને મારવુ પણ મના છે. એક કે બે તીડ મારવામાં થોડો સદકો આપી દે.
હઝરત ઉમર (રદી.)એ ફરમાવ્યુ છે કે, એક ખજુર એક તીડથી બેહતર છે, પરંતુ આજકાલ તીડ એટલા પ્રમાણમાં હોય છે કે એનાથી બચવું મુશ્કેલ છે. જો ભૂલથી મરી જાય તો બેહતર છે કે થોડો સદકો આપી દે, જરૂરી નથી.
મસ્અલોઃ મુહરિમ અને ગેરમુહરિમ બંનેવ માટે હરમ શરીફના જાનવર કે ત્યાંથી ઘાસ, ઝાડને કાપવુ, તોડવુ જાઈઝ નથી. મિના, મુઝદલિફા બંનેવ હરમની હદમાં છે. માટે એનાથી બચવુ જોઈએ અને અરફાત હરમની હદની બહાર છે તો ત્યાં જરૂરતને લઈ જાઈઝ છે.
Log in or Register to save this content for later.