Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 52- 53)
[૧] તવાફે કુદૂમ : આફાકી જ્યારે પહેલી વખતે એહરામની હાલતમાં મસ્જિદે હરામમાં દાખલ થાય તો જે તવાફ કરશે તેને તવાફે કુદૂમ તથા તવાફે તહિય્યહ કહે છે. પરંતુ આ તવાફ ફકત હજ્જે ઈફરાદ અને હજ્જે કિરાનનો એહરામ બાંધવાવાળાઓ માટે સુન્નત છે. ફકત ઉમરહ કે તમત્તુઅનો એહરામ બાંધનાર માટે સુન્નત નથી. એ જ પ્રમાણે મક્કાવાસીઓ માટે પણ નથી. હાં, જો કોઈ મક્કાવાસી મીકાતની હદથી બહાર જઈ ત્યાર બાદ ઈફરાદ કે કિરાન હજ કરવા માટે મક્કા શરીફ આવે તો તેના માટે સુન્નત છે.
[ર] તવાફે ઝિયારત : આ તવાફને તવાફે રૂકન, તવાફે હજ અને તવાફે ફર્ઝ પણ કહે છે. આ હજ્જનો રૂકન છે. એના વગર હજ્જ પુરી થતી નથી. ૧૦મી ઝિલ્હજ્જની વહેલી સવાર (સુબ્હે સાદિક)થી લઈ ૧રમી ઝિલ્હજ્જની સાંજ સુધીમાં કરવો વાજિબ છે. ત્યારબાદ કરવાથી દમ વાજિબ થશે.
નોંધઃતવાફે ઝિયારતમાં રમલ અને ઈજતિબાઅ કરવાનો છે. જો એહરામ ખોલી સામાન્ય કપડાં પહેરી લીધા હોય તો પછી ઈઝતિબાઅ નહીં થાય. ત્યારબાદ સઈ પણ કરવાની છે. પરંતુ જો તવાફે કુદૂમ પછી સઈ કરી લીધી હોય તો પછી રમલ અને સઈ ન કરે.
[૩] તવાફે વિદાઅ : એને તવાફે સદ્ર પણ કહે છે. આ તવાફ આફાકી ઉપર વાજિબ છે. આ તવાફમાં રમલ, ઈઝતેબાઅ તથા સઈ કરવાની નથી.
[૪] તવાફે ઉમરહ : ઉમરહમાં રૂકન અને ફર્ઝ છે. આ તવાફમાં રમલ, ઈઝતિબાઅ અને સઈ પણ કરવાની છે.
[પ] તવાફે નઝર : નઝર (મન્નત) માનનારા ઉપર આ તવાફ વાજિબ થાય છે.
[૬] તવાફે તહિય્યહ : મસ્જિદે હરામમાં દાખલ થવા માટે મુસ્તહબ છે, પરંતુ જો કોઈ બીજો પણ તવાફ કરી લીધો તો તેમાં તવાફે તહિય્યહ શામેલ થઈ જશે.
[૭] તવાફે નફલ : જ્યારે દિલ ચાહે ત્યારે આ તવાફ થઈ શકે છે.
Log in or Register to save this content for later.