Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 42 to 46)
૧. એહરામ બાંધતાં પહેલાં શરીરનો મેલ સાફ કરવો.
ર. હાથ–પગના નખ કાપવા.
૩. બગલના બાલ કાપવા.
૪. દુંટીની નીચેના બાલ સાફ કરવા.
પ. સફેદ અથવા ગમે તે રંગની ધોઈલી ચાદરો પહેરવી.
૬. જુબાનથી એહરામની નિય્યત કરવી.
૭. મીકાતથી પહેલાં એહરામ બાંધી લેવુ.
મસ્અલો : જો દિલમાં કિરાનની નિય્યત કરી અને મોઢેથી ઈફરાદ અથવા તમત્તુઅ નીકળી ગયુ, તો દિલની નિય્યતનો એઅતેબાર થશે, મોઢેથી નીકળેલા શબ્દોનો એઅતેબાર થશે નહીં.
એહરામની હાલતમાં જે કામો કરવાની મનાઈ છે
૧. એહરામની હાલતમાં પત્નીને બોસો (ચુંબન) આપવો અને એ પ્રમાણેની વાતો કરવી.
ર. કોઈ ગુનાહનું કામ કરવુ. જો કે એહરામ વગર પણ ગુનાહનું કામ કરવુ જાઈઝ નથી.
૩. સાથીઓ અને બીજા લોકો સાથે લડાઈ–ઝઘડો કરવો.
૪. શિકાર ખેલવો અથવા શિકારીની મદદ કરવી. શિકારને ભગાડવો, પરંતુ દરિયાઈ, તળાવ, નહેરનો શિકાર જાઈઝ છે.
પ. પોતાના શરીર કે કપડાં પરથી જૂ મારવી અથવા અલગ કરી ફેંકી દેવી અથવા જૂ મારવા માટે કપડું તડકામાં નાંખવુ.
૬. પુરૂષોએ સિવેલા કપડાં, કુર્તો, પાયજામા, કોટ–પાટલુન વગેરે પહેરવા. પરંતુ પૈસા રાખવા માટે પટ્ટો પહેરવો જાઈઝ છે.
૭. એવો જોડો પહેરવો કે જેનાથી પગના ઉપરની વચલી હાડકી ઢંકાય જાય.
૮. કોઈપણ પક્ષીની પાંખો કાતરી નાંખવી અથવા તોડી નાંખવી તેમજ તેનું ઈડું ફોડી નાંખવુ.
૯. ખુશ્બૂ લગાડવી, નખ, બાલ કાતરવા તેમજ કતરાવવા.
૧૦. પુરૂષોએ માથુ છુપાવવુ, પુરૂષો અને સ્ત્રીઓએ મોઢા ઉપર કપડું નાંખવુ.
જે વ્યકિત એહરામની હાલતમાં મરણ પામે તો તેના કફન–દફનની દરેક રીત એહરામ વગરની વ્યકિતના જેમ છે. એટલે કે કાફૂર તથા ખુશ્બૂ લગાડી શકે છે.
એહરામની હાલતમાં જે કામો કરવા મકરૂહ છે
૧. શરીરનો મેલ કાઢવો, ખુશ્બૂવાળો સાબુ વાપરવો.
ર. માથામાં તેમજ દાઢીમાં કાંસકી કરવી. માથાને અથવા દાઢીને એ પ્રમાણે ખજવાળવુ કે બાલ અથવા જુ પડી જવાનો ભય હોય, મકરૂહ છે. પરંતુ બાલ અથવા જુ ન પડે એ રીતે ખજવાળવુ જાઈઝ છે.
૩. દાઢીમાં ખિલાલ કરવુ મકરૂહ છે. અને જો ખિલાલ કરે તો એ રીતે કરે કે વાળ ન ખરે.
૪. લુંગીના બંનેવ છેડાને આગળથી સીવવુ મકરૂહ છે. જો કોઈ માણસ સતર છુપાવવાના ઈરાદાથી સીવી લે તો જાઈઝ છે.
પ. ચાદરને ગાંઠ લગાડી ગળામાં પહેરવુ મકરૂહ છે.
૬. ચાદર લુંગીને ગાંઠ લગાડી અથવા દોરડી, સોય, પીન વગેરે લગાડવુ મકરૂહ છે.
૭. ખુશ્બૂને પકડવુ, સુંઘવુ અથવા ખુશ્બૂવાળાની દુકાને ખુશ્બૂ સુંઘવાના ઈરાદાથી બેસવુ તથા ખુશ્બૂદાર ઘાસ સુંઘવુ મના છે. ઈરાદા વગર ખુશ્બૂ આવી જાય તો વાંધો નથી.
૮. માથા અને મોઢા (ચહેરા) સિવાય શરીરના બીજા ભાગો ઉપર પટ્ટી બાંધવી મકરૂહ છે. જરૂરત હોય તો મકરૂહ નથી.
૯. કાબા શરીફના પરદાની નીચે (મુલ્તઝમ) પાસે એવી રીતે ઉભા રહે કે તે પરદો મોઢા અથવા માથાને લાગે તો મકરૂહ છે, પરંતુ જો ન લાગે તો મકરૂહ નથી.
૧૦. નાક અને મોઢાંને કપડાંથી છુપાવવુ મકરૂહ છે. હાથથી મના નથી.
૧૧. ઉલ્ટુ સુવું મકરૂહ છે. માથુ અથવા ગાલ તકીયા પર રાખવુ જાઈઝ છે.
૧ર. ખુશ્બૂદાર ખાણું પકાવ્યા વગર મકરૂહ છે. પકાવેલુમકરૂહ નથી.
એહરામની હાલતમાં જે કામો કરવા જાઈઝ છે
૧. જરૂરતના લઈ ગરમ અથવા ઠંડા પાણીથી મેલ દૂર કરવા વગર અને સાબુ લગાડવા વગર ગુસલ કરવું જાઈઝ છે.
ર. રાંધેલું ખુશ્બૂદાર ખાણું ખાવુ જાઈઝ છે.
૩. માથુ તકીયા ઉપર મુકવુ જાઈઝ છે.
૪. કફની, કુર્તો, ઝભ્ભો વગેરેને ચાદર જેવુ ઓઢવુ જાઈઝ છે, પરંતુ બેહતર નથી.
પ. ઘરમાં બેસવુ, તંબુમાં જવુ, છત્રી ઓઢવી, ઝાડના છાયા નીચે બેસવુ, કપડાં ધોવા, વીંટી પહેરવી, આરસીમાં જોવુ, દાતણ કરવુ, દાંત કાઢવો, તૂટેલા નખને કાતરવો, ખુશ્બૂ વગરનો સુરમો લગાડવો, ચાંદુ ફોડવુ, ઈન્જેકશન લેવુ, કોલેરાની રસી મુકાવવી જાઈઝ છે.
૬. મોઢુ અને માથા વગર શરીરના બધા ભાગોને છુપાવવુ, કાન, ગરદન, હાથ–પગોને પણ છુપાવવા જાઈઝ છે.
૭. પેટી, થેલી–બેગ, તપેલુ, દેગ વગેરે માથા ઉપર ઉઠાવવુ જાઈઝ છે.
૮. એલચી, લવીંગ તેમજ ખુશ્બૂ વગરનું તંબાકુવાળુ પાન ખાવુ જાઈઝ છે. ખુશ્બૂદાર તંબાકુ ખાવુ મકરૂહ છે.
૯. ખુશ્બૂદાર વસ્તુ કાચી ખાવી મકરૂહ છે. પરંતુ ચાવલ વગેરેમાં પકાવી ખાવી જાઈઝ છે.
૧૦. એવા અશ્આર (કવિતા) ગાવી, જેમાં ગુનાહની વાત ન હોય તો જાઈઝ છે.
૧૧. શરીર ઉપર ઘી, ચરબી, તેલ લગાડવુ જાઈઝ છે અને ખાવુ પણ જાઈઝ છે.
૧ર. શરીરને એવી રીતે ખંજવાળવુ કે વાળ ન ખરે જાઈઝ છે.
૧૩. શરીરના ફાટેલા ભાગોમાં ખુશ્બૂ વગરનું તેલ કે ચરબી લગાડવી જાઈઝ છે.
૧૪. એહરામની હાલતમાં ફકત નિકાહ પઢવુ જાઈઝ છે, પરંતુ સંભોગ કરવો જાઈઝ નથી.
૧પ. એહરામની હાલતમાં ફર્ઝ ગુસલ સિવાય ઠંડક માટે ગુસલ કરી શકે છે. એહતેલામ (સ્વપ્નદોષ)ને કારણે એહરામ ફાસિદ થતો નથી.
૧૬. તકલીફ આપનાર જાનવરો (સાંપ–વીંછી, ભીંગારી, મધમાખી) વગેરે મારવુ જાઈઝ છે.
Log in or Register to save this content for later.