Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 38)
મસ્અલા : તલ્બિયહના ખાસ શબ્દો કહેવા સુન્નત છે, શર્ત નથી. જો કોઈ બીજા ઝિક્રના શબ્દો પઢી લીધા તો પણ એહરામ સહીહ થશે, પરંતુ તલ્બિયહ છોડવું મકરૂહ છે. એ જ પ્રમાણે અરબી ભાષામાં કહેવા અફઝલ છે. અને કોશીષ એ જ કરે કે અરબી ભાષામાં કહે. પરંતુ બીજી કોઈ ભાષામાં કહી આપ્યા તો પણ જાઈઝ છે.
મસ્અલા : ફર્ઝ અને નફિલ નમાઝ પછી પણ તલ્બિયહ પઢવું જોઈએ અને અય્યામે તશ્રીક (૯ ઝિલ્હજ્જથી ૧૩ ઝિલ્હજ્જની સાંજ સુધી)માં પ્રથમ તકબીર કહેવી જોઈએ. ત્યારબાદ તલ્બિયહ પઢે. જો પ્રથમ તલ્બિયહ પઢી લીધું તો હવે તકબીર માફ થઈ જશે, પરંતુ યાદ રહે કે તલ્બિયહ ૧૦મી તારીખની કાંકરી માર્યા બાદ બંધ થઈ જશે. બાકી દિવસોમાં ફકત તકબીર પઢે.
Log in or Register to save this content for later.