હજના ફર્ઝો, વાજિબો અને સુન્નતો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 26 -27)

હજના ફર્ઝ ત્રણ છે :

[૧] એહરામ એટલે કે દિલથી હજની નિય્યત કરવી અને તલ્બિયહ (લબ્બૈક) છેવટ સુધી પઢવી.

[ર] અરફાતમાં થોભવું. ૯ ઝિલ્હજ્જના સૂર્યના ઢલવાના (ઝવાલ) સમયથી લઈ ૧૦ ઝિલ્હજ્જના સુબ્હે સાદિક સુધીમાં કોઈપણ સમયે અરફાતમાં થોભવું. ચાહે પછી એક પળ માટે પણ કેમ ન હોય.

[૩] તવાફે ઝિયારત : જે ૧૦મી ઝિલ્હજ્જના સવારથી લઈ ૧રમી ઝિલ્હજ્જના સૂર્યાસ્ત સુધીમાં કરવામાં આવે. આ તવાફની સુન્નત એ છે કે તેને રમી, કુર્બાની અને વાળ કતરાવા અથવા મુંડાવવા પછી કરવામાં આવે અને જો આ ત્રણેવથી પહેલાં તવાફે ઝિયારત કરશે તો પણ ફર્ઝ અદા થઈ જશે.

મસ્અલો : આ ત્રણેવ ફર્ઝોમાંથી કોઈપણ છૂટી જશે તો હજ અદા થશે નહીં અને દમથી પણ તેનો બદલો વળશે નહીં.

મસ્અલો : આ ત્રણેવ ફર્ઝોને ક્રમવાર અદા કરવા અને દરેક ફર્ઝને તેની ખાસ જગ્યા અને સમયે કરવા પણ વાજિબ છે.

Log in or Register to save this content for later.