સજદએ સહવના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 105)
  • જો કોઈ માણસને નમાઝમાં કોઈ વાજિબ છૂટી જવાની શંકા હોય તો એનાથી સજદએ સહ્‌વ વાજિબ થશે નહીં. હા, જો પાકું ગુમાન હોય તો નમાઝના અંતમાં સહ્‌વનો સિજદહ કરવો વાજિબ છે. (મસાઈલે સજદએ સહ્‌વ : પ૩)
  • કોઈ માણસે સજદએ સહ્‌વ કરતી વેળા જમણી બાજુ સલામ ન ફેરવી અથવા સામે જ સલામ કહીને સિજદહ કરી લીધો, તો પણ દુરૂસ્ત છે. (મસાઈલે સજદએ સહ્‌વ : પ૪)
  • કોઈ માણસે બે ના બદલે એક જ સજદએ સહ્‌વ કર્યો અને કાએદહમાં બેસીને અત્તહિય્યાત, દુરૂદ અને દુઆ પઢીને સલામ ફેરવી દીધી, તો એ માણસે નમાઝ ફરીથી દોહરાવવી પડશે. કેમકે બે સિજદહ કરવા જરૂરી છે. એક જ સજદએ સહ્‌વ કિફાયત થશે નહીં. (મસાઈલે સજદએ સહ્‌વ : પ૭)
  • જુમ્આ અને ઈદની નમાઝમાં ઈમામથી કોઈ એવી ભૂલ થઈ ગઈ જેનાથી સજદએ સહ્‌વ વાજિબ થાય છે, તો પાછલા સમયના (મુતઅખ્ખીરીન) મશાઈખના મંતવ્ય મુજબ શ્રેષ્ઠ અને સારૂ એ છે કે, આવી નમાઝોમાં સજદએ સહ્‌વ કરવામાં ન આવે. કારણ કે ભીડ વધારે હોવાથી સજદએ સહ્‌વ કરવામાં અભણ અને અજાણ લોકોની નમાઝ ખરાબ થવાનો ભય છે. (કિતાબુલ મસાઈલ : ૩૧૦)
  • જો ઈમામ પર સજદએ સહ્‌વ વાજિબ હોય અને એને સજદએ સહ્‌વ કરવાનું યાદ ન રહ્યું, તો મુક્તદીઓ પર (નમાઝ પછી) અલગથી સજદએ સહ્‌વ કરવો વાજિબ નથી. (મસાઈલે સજદએ સહ્‌વ : પપ)
  • જો કોઈ માણસથી સજદએ સહ્‌વની હાલતમાં ભૂલ થઈ ગઈ, જેથી સિજદાની હાલતમાં થોડી વાર વિચારતો રહ્યો, તો એના ઉપર બીજી વાર સજદએ સહ્‌વ વાજિબ નથી. (મસાઈલે સજદએ સહ્‌વ : પ૬)
Log in or Register to save this content for later.