ખાસ વખતોની દુઆઓ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 221 to 223)
  • બિસ્મિલ્લાહિલ્લઝી લા યદુર્રુ મ-અ ઈસ્મિહી શયઉન ફિલ અર્દિ વલા ફિસ્સમાઈ વહુવસ્સમીઉલ અલીમ. (એ ખુદાપાકના નામથી મેં સવાર અને સાંજ કરી, જેના નામથી જમીન અને આસ્માનની કોઈ ચીઝ નુકસાન નથી કરી શકતી. અને તે સાંભળવા અને જાણવાવાળો છે.)

સવારે અને સાંજે ત્રણ-ત્રણ વાર આ દુઆ પઢનારને દુનિયાની કોઈ ચીજ તકલીફ કે નુકસાન પહોંચાડી શકતી નથી. (અબૂ દાઉદ)

  • રદીતુ બિલ્લાહિ રબ્બંવ વબિલ ઈસ્લામિ દીનંવ વબિ મુહમ્મદિન નબીયન. (હું અલ્લાહ તઆલાથી રાઝી છું તેના રબ હોવા માટે, અને ઇસ્લામથી રાઝી છું તે દીને ઈલાહી હોવા માટે, અને મુહમ્મદ (સલ.)થી રાઝી છું તેમના રસૂલ હોવા માટે.)

જે કોઈ વ્યક્તિ સવાર-સાંજ ત્રણ-ત્રણ વાર આ શબ્દો કહે છે, તો અલ્લાહપાક ઉપર એ હક થઈ જાય છે કે, કિયામતમાં તે બંદાને રાજી કરે.

  • અલ્લાહુમ્મ અજીરની મિનન્નાર. (હે અલ્લાહ તઆલા ! મને દોઝખની આગથી બચાવ.)

ફજર અને મગરિબની નમાઝ બાદ સાત વાર આ દુઆ પઢનાર માટે દોઝખની આગથી નજાત લખી દેવામાં આવે છે. (અબૂ દાઉદ)

  • અલ્લાહુમ્મ અકફિની બિહલાલિક અન હરામિક વ અગનિની બિ ફદલિક અમ્મન સિવાક. (હે અલ્લાહ તઆલા ! તારી હલાલ કરેલી વસ્તુઓ મારા માટે બસ કરી આપ, અને હરામથી મારૂં રક્ષણ કર. અને તારા ફઝલ વડે મને તારા સિવાય સૌથી બેનિયાઝ કરી દે.)

હદીષ શરીફમાં છે કે, જે કોઈ આ દુઆ પઢશે, તેના ઉપર જો ઉહુદના પહાડ બરાબર કરજ હશે, તો અલ્લાહપાક આ દુઆની બરકતથી અદા કરાવી દેશે. (તિરમિઝી શરીફ)

  • અલ્લાહુમ્મ ઈન્ની અઉઝુ બિક મિનલ હમ્મિ વલ હુઝનિ, અઉઝુ બિક મિનલ અજઝિ વલ કસલિ, વ અઉઝુ બિક મિનલ જુબનિ વલ બુખલિ, વ અઉઝુ બિક મિન ગલબતિદ દયનિ વકહરિ ર્રિજાલ. (હે અલ્લાહપાક! હું દરેક પ્રકારના રંજ-ગમથી તારી પનાહ માંગું છું, અને દરેક પ્રકારની લાચારી અને સુસ્તીથી, અને કંજૂસાઈ તથા કાયરતાથી તારી પનાહ માંગું છું, અને કર્ઝના વધવાથી અને લોકોના દબાણથી તારી પનાહ માંગું છું.)

હઝરત ઉમામહ (રદી.) ઉપર કર્ઝ ઘણું થઈ ગયુ હતું. તેઓ મસ્જીદમાં ગમગીન બેઠા હતા. રસૂલુલ્લાહ (સલ.)એ આ દુઆ સવાર-સાંજ પઢવા ફરમાવ્યું. હઝરત ઉમામહ (રદી.) કહે છે કે, મેં આ દુઆ પઢી, તો અલ્લાહ તઆલાએ મારો ગમ દૂર કરી દીધો અને મારૂ કર્ઝ પણ અદા થઈ ગયું. (અબૂ દાઉદ)

  • લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્‌દહુ લા શરીક લહુ…થી શયઈન કદીર. (પુરો ચોથો કલિમહ) હદીષ શરીફમાં છે કે, જે કોઈ માણસ બજારમાં જાય અને આ દુઆ પઢે, તો તેના આમાલનામામાં દસ લાખ નેકીઓ લખાય છે, અને દસ લાખ બુરાઈઓ દૂર કરવામાં આવે છે. અને તેના દસ લાખ દરજા બુલંદ કરવામાં આવે છે, અને તેના માટે જન્નતમાં એક ઘર બનાવવામાં આવે છે. (તિરમિઝી, ઈબ્ને માજહ)
  • યા ઝલજલાલિ વલ ઈકરામ. (હે બખ્શીશ કરનાર અને હે મોટાઈવાળા !)

હુઝૂર (સલ.)એ એક માણસથી આ શબ્દો સાંભળી ફરમાવ્યું કે, માંગ ! તારી દુઆ કબૂલ થઈ જશે.

વ સલ્લલ્લાહુ તઆલા અલા ખયરિ ખલ્કિહી સય્યિદિના વ મવલાના મુહમ્મદિંવ વઅલા આલિહી વ અસ્હાબિહી અજમઈન, વ આખિરૂ દઅ્‌વાના અનિલ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ આલમીન.

Log in or Register to save this content for later.