કફનાવવાની રીત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 202 - 203)

કફનના કપડાને લોબાન યા અગરબત્તીની ધુણી ત્રણ યા પાંચ વાર આપો. પછી પલંગ પર પહેલાં ઉપર-નીચે બન્ને ચાદરો બિછાવી દો. તેના ઉપર અડધી કફની બિછાવી દો અને અડધીને લપેટીને સિરાણે મૂકી દો. ફાડેલા ગરેબાન (ગળાના ગાળા)માંથી તેનુ માથુ અને ચહેરો કાઢીને બાકી અડધુ ઉપર ફેલાવી દો, જેથી ઘુટી સુધી આવી જાય.

હવે ચાદરનો ડાબો ભાગ તેને ઓઢાવી દો અને પછી જમણી બાજુનો ભાગ ઓઢાવો. ત્યાર બાદ બીજી ચાદર એવી જ રીતે લપેટો, જેથી સીધો (જમણો) ભાગ ઉપર રહે.

ઔરતના કફનમાં સીનાબંધને ચાદરોની નીચે ઘુટણથી બગલ સુધી રાખો, જેથી બાંધવામાં બધાની ઉપર આવી જાય. ચાહે ચાદરોની વચમાં રાખો, ચાહે ચાદરોની ઉપર કફનીની નીચે રાખો. જેથી કફની પછી પહેલાં તેને બાંધી દેવામાં આવે, પછી ચાદરો લપેટવામાં આવે. ત્રણેય સૂરતો જાઈઝ છે.

કફની પહેરાવીને ઔરતના વાળોના બે ભાગ કરીને જમણી અને ડાબી તરફ સીના પર નાંખી દો. પછી સરબંધને તેના માથા અને વાળોના તે ભાગો પર નાંખી દો, ન તેને બાંધો અને ન લપેટો.

પછી ચાદરને નીચે-ઉપર અને કમરની પાસે ત્રણ જગ્યાએથી બાંધી દો, જેથી હવાથી ખુલી ન જાય.

આ બધા કામોમાં જલ્દી કરો અને જનાઝાને બહાર લઈ આવો. આજે એ રિવાજ છે કે, જ્યાં સુધી જનાઝો ઘરમાંથી બહાર ન નીકળી જાય, ત્યાં સુધી ઘર અને મહોલ્લાવાળાઓએ ખાવું જાઈઝ નથી. એ ગલત છે. જો કોઈ રંજ અથવા તો ગુસલ કે કફનમાં મશ્ગુલ (વ્યસ્ત) હોવાના કારણે ભલે ન ખાય, પણ નાજાઈઝ ન સમજે.

એવી જ રીતે એ પણ મશહુર છે કે, અસર-મગરિબ દરમ્યાન ચાંદ અને સૂરજ ગ્રહણની વખતે ખાવું ગુનોહ છે, એ પણ ગલત છે.

Log in or Register to save this content for later.