નમાઝના વાજિબો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 65 to 66)

નમાઝમાં વાજિબોનું અદા કરવું જરૂરી છે. તેને વાજિબાતે નમાઝ કહે છે. નમાઝના વાજિબોમાંથી કોઈ વસ્તુ ભૂલથી છૂટી જાય તો સહવનો સિજદો કરી લેવાથી નમાઝ દુરૂસ્ત થઈ જશે. અને ભૂલથી છૂટી જવા બાદ સહવનો સિજદો કરવો રહી ગયો, તો હવે ફરીથી નમાઝ પઢે. વાજિબોમાંથી કોઈએ જાણી જોઈને કોઈ વાજિબ છોડી દીધો, તો સહવનો સિજદો કરવાથી પણ નમાઝ દુરૂસ્ત થશે નહીં અને તેણે તે નમાઝ ફરીથી પઢવી વાજિબ થશે. નમાઝના વાજિબો નીચે મુજબ છે :

  • ફર્ઝ નમાઝની પહેલી બે રક્‌અતોને કિરાઅત માટે ખાસ કરવી.
  • ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રકાઅત સિવાય બધી નમાઝોની રકાઅતમાં સૂરએ ફાતિહા (અલ્હમ્દુ શરીફ) પઢવી.
  • ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રકાઅત સિવાય બધી નમાઝની રકાઅતોમાં કુર્‌આન શરીફની ઓછામાં ઓછી નાની ત્રણ આયતો અથવા એક મોટી આયત અથવા તો નાની સુરત પઢવી.
  • સુરએ ફાતિહા (અલ્હમ્દુ શરીફ)ને કિરાઅત પહેલાં પઢવી.
  • કિરાઅતમાં, રુકૂઅ-સિજદાઓમાં, અરકાનો અને રકાઅતોમાં તરતીબ રાખવી (અનુક્રમે અદા કરવી).
  • કવમહ કરવો, એટલે કે રુકૂઅથી ઉઠી સીધા ઉભા રહેવું.
  • જલસો કરવો, એટલે કે, બન્ને સિજદા વચ્ચે સીધા બેસી જવું.
  • બધા અરકાનો રુકૂઅ, સિજદા વિગેરે સારી રીતે અદા કરવા.
  • પહેલો કાએદો કરવો. એટલે કે ત્રણ અને ચાર રક્‌અતવાળી નમાઝમાં બે રક્‌અત પછી અત્તહિય્યાત પઢી શકાય તેટલી વાર બેસવું.
  • વિત્ર નમાઝમાં દુઆએ કુનૂત માટે તકબીર કહેવી અને દુઆએ કુનૂત પઢવી.
  • બન્ને કાએદામાં તશહ્‌હુદ એટલે કે અત્તહિય્યાત પઢવી.
  • સલામના શબ્દથી નમાઝ પૂરી કરવી. એટલે કે અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ” કહીને સલામ ફેરવવી.
  • બન્ને ઈદોની નમાઝમાં વધારાની છ તકબીરો કહેવી.

ઈમામે ફજર, મગરિબ, ઈશાં, જુમ્આ, ઈદો, તરાવીહ અને રમઝાન શરીફની વિત્રમાં અવાજથી કિરાઅત પઢવી અને ઝોહર, અસરની નમાઝમાં ધીમેથી કિરાઅત પઢવી.

Log in or Register to save this content for later.