Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 174 to 178)
- નફલ નમાઝ પઢવામાં આવે ત્યારે જોઈએ તો બે-બે રક્અતની નિય્યત બાંધીને પઢે અથવા જોઈએ તો ચાર-ચાર રક્અતની નિય્યત બાંધે, પરંતુ દિવસના ચાર રક્અતથી વધારેની નિય્યત બાંધવી મકરૂહ છે. રાતના નફલ પઢવામાં છ-છ અથવા આઠઆઠ રક્અતની નિય્યત બાંધે તો પણ દુરૂસ્ત છે. રાતના પણ આઠ રક્અતથી વધારેની નિય્યત બાંધવી મકરૂહ છે.
- જ્યારે ચાર રક્અતની નિય્યત બાંધી નફલ નમાઝ પઢવામાં આવે તેમાં બે રક્અત પઢીને જે કાએદહ કરવામાં આવે છે, તેમાં અખત્યાર છે કે, જોઈએ તો અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢે અથવા માત્ર અત્તહિય્યાત પઢીને ત્રીજી રક્અત માટે ઉભો થાય. ત્રીજી રક્અત પઢવામાં જોઈએ તો સના, અઉઝુ, બિસ્મિલ્લાહ પઢીને અલ્હમ્દુ શરીફ શરૂ કરે અથવા સના, અઉઝુ ન પઢતાં બિસ્મિલ્લાહ કહીને અલ્હમ્દુ શરીફ શરૂ કરે. એવી જ રીતે છ કે આઠ રક્અત પઢવામાં દર બે રક્અતે અખત્યાર છે. કારણકે નફલની દરેક બે રક્અત જુદી છે અને છેવટમાં આખરી કાએદહમાં અત્તહિય્યાત, દુરૂદ શરીફ, દુઆ પઢીને સલામ ફેરવે.
- નફલ નમાઝની નિય્યત બાંધી લીધી, તો હવે તેનું પુરૂ કરવું વાજિબ છે. જો તોડશે તો ગુનોહ થશે. અને જે નમાઝ તોડી છે, તેની કઝા પઢવી પડશે. પરંતુ નફલ નમાઝની દરેક બે રકઅત જુદી જુદી હોવાથી જો ચાર અથવા છ રક્અતની નિય્યત બાંધી હોય તો પણ બે રક્અત પુરી કરવી વાજિબ છે. ચારેય રક્અત વાજિબ થતી નથી. જો કોઈએ ચાર રક્અત નિય્યત કરી અને બે રક્અત પઢીને સલામ ફેરવી દીધી, તો કોઈ ગુનોહ નથી તથા હવે બાકી રહેલી રક્અતોની કઝા પણ વાજિબ થશે નહીં.
- જો કોઈએ ચાર રક્અત નફલની નિય્યત બાંધી અને હજી બે રક્અત પુરી થઈ ન હતી કે નમાઝ તોડી નાંખી, તો માત્ર બે રક્અતની જ કઝા કરે. ત્રીજી અથવા ચોથી રક્અતમાં નમાઝ તોડી હોય તો પણ હવે ફક્ત બે રક્અતની જ કઝા કરે. પણ જો આ ચાર રક્અત પઢવામાં જે બે રક્અતો પછી વચ્ચે કાએદહ કરવામાં આવે છે, તે જો ભૂલથી રહી ગયો હોય તો હવે પુરી ચારે રક્અતોની કઝા પઢવી વાજિબ થશે. એટલે કે ચારેવ રક્અત ફરીથી પઢવી પડશે.
- ઝોહર અથવા જુમ્આની ચાર રક્અત સુન્નતે મુઅક્કદહ પઢવામાં જો નમાઝ તૂટી જાય અથવા બે રક્અત ઉપર અત્તહિય્યાત વિગેરે પઢીને પણ સલામ ફેરવી દીધી હોય, તો પણ ચારેવ રક્અત ફરીથી પઢવી પડશે. અને આ સુન્નતે મુઅક્કદહના પહેલા કાએદહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢવાની નથી. અને જો ભૂલથી પઢી લેશે, તો સહવનો સિજદહ પણ કરવો પડશે.
- સુન્નત અને નફલની સર્વે રક્અતોમાં અલ્હમ્દુ શરીફ સાથે સૂરત મેળવવી વાજિબ છે. જો ભૂલથી રહી જશે, તો સહવનો સિજદહ વાજિબ થશે.
- નફલ નમાઝ બેસીને પઢવી પણ દુરૂસ્ત છે, પરંતુ બેસીને પઢવાથી અડધો સવાબ મળે છે. માટે ઉભા થઈને પઢવી બેહતર છે. જો બીમારીને કારણે ઉભો ન રહી શકે, તો પૂરો સવાબ મળશે. ફર્ઝ, વાજિબ તથા સુન્નત જ્યાં સુધી લાચારી ન હોય, ત્યાં સુધી બેસીને પઢવુ દુરૂસ્ત નથી.
- નફલ નમાઝ ઉભા રહીને શરૂ કરી અને પછી પહેલી અથવા બીજી રક્અતમાં બેસી જઈને પઢે, તો પણ દુરૂસ્ત છે. એવી જ રીતે નફલ નમાઝ બેસીને શરૂ કરી અને બીજી રક્અતમાં ઉભા થઈને પઢે અથવા તો બેઠા બેઠા કંઈક પઢીને ઉભા થઈને પઢે, તો પણ દુરૂસ્ત છે.
- નફલ નમાઝ ઉભા ઉભા પઢતાં કોઈ કમઝોરીને કારણે થાકી જાય, ત્યારે કોઈ લાકડી અથવા દિવાળનો ટેકો લેવો અને તેના સહારાથી ઉભા રહેવુ દુરૂસ્ત છે, મકરૂહ નથી.
- નફલ નમાઝ ઘરમાં પઢવામાં વધુ સવાબ છે.
હદીષ શરીફમાં છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું કે, ફર્ઝ નમાઝ સિવાય મને ઘરની નમાઝ વધુ વહાલી છે. બીજી હદીષમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, તમારા ઘરોમાં નમાઝ પઢ્યા કરો. ફર્ઝ નમાઝ સિવાય ઘરની નમાઝ અફઝલ છે. (ઈબ્ને ખુઝયમહ)
વળી બીજી હદીષમાં છે કે, મસ્જિદમાં નમાઝ પઢ્યા બાદ કોઈક નમાઝ ઘરમાં પઢ્યા કરો. એ નમાઝના કારણે અલ્લાહપાક તમારા ઘરોમાં બરકત અતા ફરમાવશે. (મુસ્લિમ શરીફ)
- જુમ્આની સુન્નતો ઝવાલથી પહેલાં પઢવાથી અદા થશે નહીં. (ફતાવા ઉસ્માની : ૪૭૯/૧)
- સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવું મુસ્તહબ (ઉત્તમ, અફઝલ) છે, અને બેસીને પઢવી પણ જાઈઝ છે. હા, ફજરની સુન્નતો અને તરાવીહની નમાઝમાં ફુકહાએ કિરામનો મતભેદ છે. એટલે એને ઉભા-ઉભા પઢવું જોઈએ. આપણા પૂર્વજો અને આગલા બુઝુર્ગોનો અમલ સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવાનો છે. એટલે બની શકે ત્યાં સુધી બધી સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવી જોઈએ. (ફતાવા ઉસ્માની : ૪૮૪/૧)
- ઝોહરની સુન્નતો પઢવા દરમિયાન જમાઅત ઉભી થઈ જાય અથવા જુમ્આની સુન્નતો પઢવા દરમિયાન ખુત્બો શરૂ થઈ જાય તો (૧) જો પહેલા કાએદા પહેલાં જમાઅત ઉભી થઈ ગઈ, તો પહેલા કાએદા પછી સલામ ફેરવી દે અને જમાઅતમાં શામેલ થઈ જાય. અને નમાઝ પછી ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ ફરીથી પઢે. (ર) ચાર રકઅત સુન્નતની ત્રીજી રકઅતનો સિજદો કરી લીધો અને ત્યાર બાદ જમાઅત ઉભી થઈ, તો હવે સુન્નતની ચોથી રકઅત પણ પૂરી કરી લે. (૩) હજુ ત્રીજી રકઅતનો સિજદો કર્યો નથી અને જમાઅત ઉભી થઈ ગઈ અથવા ખુત્બો શરૂ થઈ ગયો, તો હવે કિરાઅત સમેટી લે, બહુ લાંબી ન પઢે અને ચાર રકઅત પૂરી કરી લે. (કિતાબુલ મસાઈલ : ૪પ૧-૪પર)
- ઝોહરની નમાઝમાં ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ ફર્ઝ નમાઝ પહેલાં પઢી ન શક્યો, તો હવે ફર્ઝ નમાઝ પઢીને પ્રથમ બે રકઅત સુન્નતે મુઅક્કદહ પઢે, ત્યાર બાદ ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ પઢે. (કિતાબુલ મસાઈલ : ૪પપ)
- વુઝૂના અવયવો સૂકાતા પહેલાં પહેલાં તહિય્યતુલ વુઝૂ (નમાઝ) શરૂ કરી દેવામાં આવે. કારણ કે અવયવો સૂકાય ગયા પછી એને તહિય્યતુલ વુઝૂ કહેવાશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૪૬૦)
- અસર અને ઈશા પહેલાની ચાર રકઅત સુન્નતે ગેર મુઅક્કદહ તથા ચાર રકઅત નફલ નમાઝના પહેલા કાએદહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ વગેરે પઢી શકે છે. એનાથી સહવનો સિજદો વાજિબ થશે નહીં. અને ત્રીજી રકઅતની શરૂમાં સના અને અઉઝુ-બિલ્લાહ પણ પઢી શકે છે. (ફતાવા રહીમિય્યહ : ૧૮૮/૩)
- જો જુમ્આનો ખુત્બો શરૂ થઈ ગયો તો તહિય્યતુલ મસ્જિદ પઢી શકે નહીં, ખુત્બો સાંભળે. (ફતાવા રહીમિય્યહ : ૧૮૯/૩)
- જો ઈસ્તિખારાની નમાઝ પઢવાનો સમય ન હોય તો દુઆ કરીને પણ ઈસ્તિખારો કરી શકાય છે. પૂરા ધ્યાનથી ઈસ્તિખારાની દુઆ પઢી લે. (કિતાબુલ મસાઈલ : ૪૭પ)
- બેહતર એ છે કે, સાત દિવસ સુધી ઈસ્તિખારો કરે. તેમ છતાં સાત દિવસમાં પણ કોઈ એક વાતને અગ્રિમતા ન મળી એટલે કે દિલ એક વાત તરફ વળ્યું નથી, તો લગાતાર ઈસ્તિખારો કરતો રહે. (કિતાબુલ મસાઈલ : ૪૭પ)
- ઈસ્તિખારો કર્યા બાદ જે તરફ દિલનું આકર્ષણ અને રૂચિ થઈ જાય, તેના ઉપર અમલ કરવો સારૂં છે. તેમ છતાં કોઈ માણસ કોઈ કારણસર એનાથી વિપરીત-વિરૂદ્ધ વાત પર અમલ કરે, તો શરઈ દૃષ્ટિએ કોઈ ગુનોહ નથી. કેમકે દિલનું આકર્ષણ કોઈ એવો પુરાવો કે દલીલ નથી.
- નફલ નમાઝ પઢવામાં આવે ત્યારે જોઈએ તો બે-બે રક્અતની નિય્યત બાંધીને પઢે અથવા જોઈએ તો ચાર-ચાર રક્અતની નિય્યત બાંધે, પરંતુ દિવસના ચાર રક્અતથી વધારેની નિય્યત બાંધવી મકરૂહ છે. રાતના નફલ પઢવામાં છ-છ અથવા આઠઆઠ રક્અતની નિય્યત બાંધે તો પણ દુરૂસ્ત છે. રાતના પણ આઠ રક્અતથી વધારેની નિય્યત બાંધવી મકરૂહ છે.
- જ્યારે ચાર રક્અતની નિય્યત બાંધી નફલ નમાઝ પઢવામાં આવે તેમાં બે રક્અત પઢીને જે કાએદહ કરવામાં આવે છે, તેમાં અખત્યાર છે કે, જોઈએ તો અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢે અથવા માત્ર અત્તહિય્યાત પઢીને ત્રીજી રક્અત માટે ઉભો થાય. ત્રીજી રક્અત પઢવામાં જોઈએ તો સના, અઉઝુ, બિસ્મિલ્લાહ પઢીને અલ્હમ્દુ શરીફ શરૂ કરે અથવા સના, અઉઝુ ન પઢતાં બિસ્મિલ્લાહ કહીને અલ્હમ્દુ શરીફ શરૂ કરે. એવી જ રીતે છ કે આઠ રક્અત પઢવામાં દર બે રક્અતે અખત્યાર છે. કારણકે નફલની દરેક બે રક્અત જુદી છે અને છેવટમાં આખરી કાએદહમાં અત્તહિય્યાત, દુરૂદ શરીફ, દુઆ પઢીને સલામ ફેરવે.
- નફલ નમાઝની નિય્યત બાંધી લીધી, તો હવે તેનું પુરૂ કરવું વાજિબ છે. જો તોડશે તો ગુનોહ થશે. અને જે નમાઝ તોડી છે, તેની કઝા પઢવી પડશે. પરંતુ નફલ નમાઝની દરેક બે રકઅત જુદી જુદી હોવાથી જો ચાર અથવા છ રક્અતની નિય્યત બાંધી હોય તો પણ બે રક્અત પુરી કરવી વાજિબ છે. ચારેય રક્અત વાજિબ થતી નથી. જો કોઈએ ચાર રક્અત નિય્યત કરી અને બે રક્અત પઢીને સલામ ફેરવી દીધી, તો કોઈ ગુનોહ નથી તથા હવે બાકી રહેલી રક્અતોની કઝા પણ વાજિબ થશે નહીં.
- જો કોઈએ ચાર રક્અત નફલની નિય્યત બાંધી અને હજી બે રક્અત પુરી થઈ ન હતી કે નમાઝ તોડી નાંખી, તો માત્ર બે રક્અતની જ કઝા કરે. ત્રીજી અથવા ચોથી રક્અતમાં નમાઝ તોડી હોય તો પણ હવે ફક્ત બે રક્અતની જ કઝા કરે. પણ જો આ ચાર રક્અત પઢવામાં જે બે રક્અતો પછી વચ્ચે કાએદહ કરવામાં આવે છે, તે જો ભૂલથી રહી ગયો હોય તો હવે પુરી ચારે રક્અતોની કઝા પઢવી વાજિબ થશે. એટલે કે ચારેવ રક્અત ફરીથી પઢવી પડશે.
- ઝોહર અથવા જુમ્આની ચાર રક્અત સુન્નતે મુઅક્કદહ પઢવામાં જો નમાઝ તૂટી જાય અથવા બે રક્અત ઉપર અત્તહિય્યાત વિગેરે પઢીને પણ સલામ ફેરવી દીધી હોય, તો પણ ચારેવ રક્અત ફરીથી પઢવી પડશે. અને આ સુન્નતે મુઅક્કદહના પહેલા કાએદહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢવાની નથી. અને જો ભૂલથી પઢી લેશે, તો સહવનો સિજદહ પણ કરવો પડશે.
- સુન્નત અને નફલની સર્વે રક્અતોમાં અલ્હમ્દુ શરીફ સાથે સૂરત મેળવવી વાજિબ છે. જો ભૂલથી રહી જશે, તો સહવનો સિજદહ વાજિબ થશે.
- નફલ નમાઝ બેસીને પઢવી પણ દુરૂસ્ત છે, પરંતુ બેસીને પઢવાથી અડધો સવાબ મળે છે. માટે ઉભા થઈને પઢવી બેહતર છે. જો બીમારીને કારણે ઉભો ન રહી શકે, તો પૂરો સવાબ મળશે. ફર્ઝ, વાજિબ તથા સુન્નત જ્યાં સુધી લાચારી ન હોય, ત્યાં સુધી બેસીને પઢવુ દુરૂસ્ત નથી.
- નફલ નમાઝ ઉભા રહીને શરૂ કરી અને પછી પહેલી અથવા બીજી રક્અતમાં બેસી જઈને પઢે, તો પણ દુરૂસ્ત છે. એવી જ રીતે નફલ નમાઝ બેસીને શરૂ કરી અને બીજી રક્અતમાં ઉભા થઈને પઢે અથવા તો બેઠા બેઠા કંઈક પઢીને ઉભા થઈને પઢે, તો પણ દુરૂસ્ત છે.
- નફલ નમાઝ ઉભા ઉભા પઢતાં કોઈ કમઝોરીને કારણે થાકી જાય, ત્યારે કોઈ લાકડી અથવા દિવાળનો ટેકો લેવો અને તેના સહારાથી ઉભા રહેવુ દુરૂસ્ત છે, મકરૂહ નથી.
- નફલ નમાઝ ઘરમાં પઢવામાં વધુ સવાબ છે.
હદીષ શરીફમાં છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું કે, ફર્ઝ નમાઝ સિવાય મને ઘરની નમાઝ વધુ વહાલી છે. બીજી હદીષમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, તમારા ઘરોમાં નમાઝ પઢ્યા કરો. ફર્ઝ નમાઝ સિવાય ઘરની નમાઝ અફઝલ છે. (ઈબ્ને ખુઝયમહ)
વળી બીજી હદીષમાં છે કે, મસ્જિદમાં નમાઝ પઢ્યા બાદ કોઈક નમાઝ ઘરમાં પઢ્યા કરો. એ નમાઝના કારણે અલ્લાહપાક તમારા ઘરોમાં બરકત અતા ફરમાવશે. (મુસ્લિમ શરીફ)
- જુમ્આની સુન્નતો ઝવાલથી પહેલાં પઢવાથી અદા થશે નહીં. (ફતાવા ઉસ્માની : ૪૭૯/૧)
- સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવું મુસ્તહબ (ઉત્તમ, અફઝલ) છે, અને બેસીને પઢવી પણ જાઈઝ છે. હા, ફજરની સુન્નતો અને તરાવીહની નમાઝમાં ફુકહાએ કિરામનો મતભેદ છે. એટલે એને ઉભા-ઉભા પઢવું જોઈએ. આપણા પૂર્વજો અને આગલા બુઝુર્ગોનો અમલ સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવાનો છે. એટલે બની શકે ત્યાં સુધી બધી સુન્નતે મુઅક્કદહ ઉભા-ઉભા પઢવી જોઈએ. (ફતાવા ઉસ્માની : ૪૮૪/૧)
- ઝોહરની સુન્નતો પઢવા દરમિયાન જમાઅત ઉભી થઈ જાય અથવા જુમ્આની સુન્નતો પઢવા દરમિયાન ખુત્બો શરૂ થઈ જાય તો (૧) જો પહેલા કાએદા પહેલાં જમાઅત ઉભી થઈ ગઈ, તો પહેલા કાએદા પછી સલામ ફેરવી દે અને જમાઅતમાં શામેલ થઈ જાય. અને નમાઝ પછી ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ ફરીથી પઢે. (ર) ચાર રકઅત સુન્નતની ત્રીજી રકઅતનો સિજદો કરી લીધો અને ત્યાર બાદ જમાઅત ઉભી થઈ, તો હવે સુન્નતની ચોથી રકઅત પણ પૂરી કરી લે. (૩) હજુ ત્રીજી રકઅતનો સિજદો કર્યો નથી અને જમાઅત ઉભી થઈ ગઈ અથવા ખુત્બો શરૂ થઈ ગયો, તો હવે કિરાઅત સમેટી લે, બહુ લાંબી ન પઢે અને ચાર રકઅત પૂરી કરી લે. (કિતાબુલ મસાઈલ : ૪પ૧-૪પર)
- ઝોહરની નમાઝમાં ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ ફર્ઝ નમાઝ પહેલાં પઢી ન શક્યો, તો હવે ફર્ઝ નમાઝ પઢીને પ્રથમ બે રકઅત સુન્નતે મુઅક્કદહ પઢે, ત્યાર બાદ ચાર રકઅત સુન્નતે મુઅક્કદહ પઢે. (કિતાબુલ મસાઈલ : ૪પપ)
- વુઝૂના અવયવો સૂકાતા પહેલાં પહેલાં તહિય્યતુલ વુઝૂ (નમાઝ) શરૂ કરી દેવામાં આવે. કારણ કે અવયવો સૂકાય ગયા પછી એને તહિય્યતુલ વુઝૂ કહેવાશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૪૬૦)
- અસર અને ઈશા પહેલાની ચાર રકઅત સુન્નતે ગેર મુઅક્કદહ તથા ચાર રકઅત નફલ નમાઝના પહેલા કાએદહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ વગેરે પઢી શકે છે. એનાથી સહવનો સિજદો વાજિબ થશે નહીં. અને ત્રીજી રકઅતની શરૂમાં સના અને અઉઝુ-બિલ્લાહ પણ પઢી શકે છે. (ફતાવા રહીમિય્યહ : ૧૮૮/૩)
- જો જુમ્આનો ખુત્બો શરૂ થઈ ગયો તો તહિય્યતુલ મસ્જિદ પઢી શકે નહીં, ખુત્બો સાંભળે. (ફતાવા રહીમિય્યહ : ૧૮૯/૩)
- જો ઈસ્તિખારાની નમાઝ પઢવાનો સમય ન હોય તો દુઆ કરીને પણ ઈસ્તિખારો કરી શકાય છે. પૂરા ધ્યાનથી ઈસ્તિખારાની દુઆ પઢી લે. (કિતાબુલ મસાઈલ : ૪૭પ)
- બેહતર એ છે કે, સાત દિવસ સુધી ઈસ્તિખારો કરે. તેમ છતાં સાત દિવસમાં પણ કોઈ એક વાતને અગ્રિમતા ન મળી એટલે કે દિલ એક વાત તરફ વળ્યું નથી, તો લગાતાર ઈસ્તિખારો કરતો રહે. (કિતાબુલ મસાઈલ : ૪૭પ)
- ઈસ્તિખારો કર્યા બાદ જે તરફ દિલનું આકર્ષણ અને રૂચિ થઈ જાય, તેના ઉપર અમલ કરવો સારૂં છે. તેમ છતાં કોઈ માણસ કોઈ કારણસર એનાથી વિપરીત-વિરૂદ્ધ વાત પર અમલ કરે, તો શરઈ દૃષ્ટિએ કોઈ ગુનોહ નથી. કેમકે દિલનું આકર્ષણ કોઈ એવો પુરાવો કે દલીલ નથી.