Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 169 - 170)
Views:
144
- નકસીરમાંથી લોહી નીકળતુ રહેવું, પેશાબના ટીપાં નીકળતા રહેવા, પાછળથી હવા કે મળ નીકળતુ રહેવું, સ્ત્રીને માસિકના દિવસોથી ઉપર (વધારે દિવસો સુધી) રક્તસ્ત્રાવ રહેવો અથવા એવો ઝખમ કે એમાંથી પરૂ કે લોહી વહેતુ જ રહે અને આવા બીમારોને નમાઝના આખા સમયમાં એવો ખાલી સમય ન રહેતો હોય કે જેમાં (આ બીમારી ન રહે અને) તે વુઝૂ કરીને નમાઝ પઢી શકે, તો હવે આ ઉઝર બંધ થતાં સુધી તે માઝૂર ગણાશે. એનો હુકમ એ છે કે, દરેક નમાઝ વખતે વુઝૂ કરી લે અને જો નાપાકી લાગી હોય તો કપડાં પણ બદલી લે. હવે એ વુઝૂથી વખત પૂરો થતાં સુધી જેટલી નમાઝો પઢવા ચાહે પઢી શકે છે. હા, એ ઉઝર સિવાય વુઝૂ તોડનારી કોઈ વસ્તુ થઈ જાય તો વુઝૂ તૂટી જશે. (ફતાવા રહીમિય્યહ : ૩૬પ/૩)
- કોઈ વ્યક્તિને હવાનું એટલુ ભારે દબાણ રહે છે કે એને એટલો સમય મળતો નથી કે જેમાં વુઝૂ કરીને પૂરી નમાઝ પઢે, તો એ માણસ નમાઝનો વખત શરૂ થઈ ગયા પછી વુઝૂ કરી લે અને જ્યાં સુધી નમાઝનો વખત પૂરો ન થાય અને ગેસ સિવાય વુઝૂને તોડનારી કોઈ વસ્તુ ન નીકળે, તો તે આ વુઝૂ સાથે તરાવીહ અને તવાફ પણ કરી શકે છે. (કિતાબુલ ફતાવા : ૪૬ર/ર)
- જો કોઈ વ્યક્તિનું શરીર એટલું ભારે છે કે, થોડીઘણી તકલીફ વેઠીને તે કિયામ કરી શકે છે, તો ફર્ઝ નમાઝ ઉભા ઉભા જ અદા કરે. ફર્ઝ નમાઝોમાં ફક્ત તે માણસને જ બેસવાની ઈજાઝત છે, જે બીમારીના કારણે ઉભો ન થઈ શકતો હોય અને જો ઉભો થાય તો બીમારી વધી જાય અથવા બીમારીથી સાજો થવામાં મોડું થાય. થોડી ઘણી તકલીફના કારણે બેસીને નમાઝ પઢવી દુરૂસ્ત નથી. હા, નફલ નમાઝો અને સુન્નતો વગર કારણે પણ બેસીને પઢી શકાય છે. (કિતાબુલ ફતાવા : ૪૬૪/ર)
Log in or
Register to save this content for later.