મુસાફીરની નમાઝ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 159 -160)

જો કોઈ પોતાના વતન કે રહેઠાણથી એવા સ્થળે જવાના ઈરાદે નીકળે કે જે ત્રણ મંઝીલ હોય. એટલે કે તે સ્થળ એટલુ દૂર હોય, જે મધ્યમ ચાલે ચાલનાર દરરોજ સુબ્હે સાદીકથી લઈ ઝવાલ (બપોર) સુધી પોતાની ટેવ મુજબ આરામ લેતાં મુસાફરી કરી ત્રણ દિવસે પહોંચી શકે. સહેલાઈથી સમજવા માટે એ મંઝીલના આપણા દેશની સપાટ જમીનના રસ્તે ૧૬ માઈલના હિસાબે ત્રણ મંઝીલના ૪૮ માઈલ આશરે થાય છે. અને તે જ્યારે પોતાના શહેરની આબાદીથી બહાર નીકળે ત્યારથી મુસાફિર બની જાય છે.

જો કોઈ આ ત્રણ મંઝીલની મુસાફરી ઘોડાગાડી, મોટર, રેલ્વે કે બીજા કોઈ વાહનથી થોડીવારમાં પણ પહોંચી જાય, તો પણ તે મુસાફિર ગણાશે.

Log in or Register to save this content for later.