તરાવીહની દુઆ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 155 -156)

તરાવીહની દરેક ચાર રક્‌અત પછી થોડી વાર બેસવું જોઈએ. અને બેસીને દુઆ માંગો, દુરૂદ શરીફ પઢો અથવા કુર્‌આન શરીફ કે તસ્બીહ પઢો. મુખ્તસર તસ્બીહ નીચે પ્રમાણે છે :

સુબ્હાન ઝિલ મુલ્કિ વલ મલકુત, સુબ્હાન ઝિલ ઈઝઝતિ વલ અઝમતિ વલ હયબતિ વલ કુદરતિ વલ કિબ્રિયાઈ વલ જબરૂત. સુબ્હાનલ મલિકિલ હય્યિલ્લઝી લા યનામુ વલા યમૂતુ સુબ્બૂહુન કુદ્‌દૂસુન રબ્બુના વ રબ્બુલ મલાઈકતિ વર્રૂહ.

અર્થ : પાકી બયાન કરૂં છું, તે ઝાતની જે ઈઝઝતવાળો, અઝમત (મોટાઈ)વાળો, હયબતવાળો, કુદરતવાળો, કિબ્રિયાઈ અને દુરૂસ્તીવાળો છે. પાકી બયાન કરૂં છું તે બાદશાહની, જે જીવતો છે, જે સુતો નથી, જેને મૌત નથી, ઘણો પાક છે, તમામ ઐબોથી પાક છે અમારો પરવરદિગાર, જે ફરિશ્તાઓ અને રૂહોનો પરવરદિગાર છે.

તરાવીહની આખરી ચાર રકઅતો પછી પણ એવી જ રીતે બેસો. તરાવીહની ર૦ રક્‌અતો પુરી થઈ ગયા પછી ઉભા થઈને વિત્ર પઢો.

કુર્‌આન શરીફ ખત્મ થવાના દિવસે કોઈ ખાસ બંદોબસ્ત કરવો સારૂં નથી. કુર્‌આન શરીફ ખત્મ થવા પછી પણ બાકી રમઝાનમાં તરાવીહ પઢો. એવું નહીં કે, કુર્‌આન મજીદ ખત્મ થયું, તો હવે તરાવીહની પણ છુટ્ટી મળી ગઈ.

Log in or Register to save this content for later.