ઝમઝમના બરકતવંત પાણીથી વુઝૂ અને કપડાં ધોવાનો હુકમ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 25)

જે માણસ વુઝૂની હાલતમાં હોય અને પાક હોય, એવો માણસ ફક્ત બરકત પ્રાપ્ત કરવાના હેતુથી વુઝૂ કે ગુસલ કરે, તો જાઈઝ છે. એ જ રીતે ઝમઝમના પાણીમાં કોઈ કપડાં પલાળવા દુરૂસ્ત છે.

જો માણસ બેવુઝૂ છે, તો તેણે ઝમઝમના પાણીથી વુઝૂ કરવું મકરૂહ છે. અને જો કોઈ માણસ જનાબત (નાપાકી) ની હાલતમાં છે, તો એણે ઝમઝમના પાણીથી ગુસલ કરવું મકરૂહ છે.

એ જ રીતે શરીર કે કપડાં પર નાપાકી લાગી હોય, તો એને ઝમ- ઝમના પાણીથી ધોવું મકરૂહ છે. પેશાબ કે શૌચ કાર્ય પછી આ પાણી વાપરવું (ઈસ્તિન્જો કરવો) પણ મકરૂહ છે.

ટૂંકમાં એનો (ઝમઝમનો) અદબ-એહતેરામ જરૂરી છે. એને પીવું બરકતવંત છે, પરંતુ નાપાકી દૂર કરવા માટે એને ઉપયોગમાં લેવું ઉચિત નથી. (મસાઈલે વુઝૂ : ર૯)

Log in or Register to save this content for later.