Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 148 - 149)
- ઝબહ કરતાં પહેલાં જાનવરને ઘાસચારો અને પાણી આપી દેવું જોઈએ. જાનવરને ભૂખે રાખવું મકરૂહ છે.
- ઝબહ કરવાની જગ્યાએ ઘસડીને લઈ જવું મકરૂહ છે.
- જાનવરને આસાનીથી ગબડાવે (ફેંકે). વગર જરૂરતની સખ્તી કરવી મકરૂહ છે.
- કિબ્લા તરફ ડાબી કરવટ પર સૂવડાવે, જેથી જીવ જલ્દી નીકળે. એનાથી વિરૂદ્ધ કરવું મકરૂહ છે.
- ચારમાંથી ત્રણ પગ બાંધે, બધા જ પગો ન બાંધે.
- છરી પહેલેથી જ તેજ કરીને રાખે. બુઠ્ઠી છરીથી ઝબહ કરવું મકરૂહ છે.
- છરી જાનવરની સામે તેજ ન કરે. જાનવરની સામે તેજ કરવું મકરૂહ છે.
- જાનવરને ફેંકતા પહેલાં છરી તેજ કરી લે. ફેંક્યા બાદ તેજ કરવું મકરૂહ છે.
- સુવડાવ્યા પછી ઝબહ કરવામાં વગર કારણે વાર લગાડવી મકરૂહ છે. (તોહફએ કુર્બાની : ૩૮-૩૯)
- એક જાનવરને બીજા જાનવર સામે ઝબહ કરવું મકરૂહ છે.
- ઝબહ કર્યા પછી જાનવર ઠંડુ પડતાં પહેલાં ગરદન અલગ ન કરે અને ચામડું પણ ન ઉતારે. આમ કરવું મકરૂહ છે.
અને આ બધી બાબતો ફક્ત કુર્બાનીના જાનવર માટે નથી. કોઈ પણ જાનવરને ઝબહ કરે તો આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. (મસાઈલે ઈદૈન : ૧૭૧-૧૭ર)
- મરનારે હુકમ કે વસીય્યત કરી હતી કે મારા તરફથી કુર્બાની કરવામાં આવે, તો એ જાનવરનો બધો ગોશ્ત સદકો કરવામાં આવે. એમાંથી પોતે કંઈ ન ખાય. અને જો મરનારની વસીય્યત કે હુકમ ન હતો અને પોતાના તરફથી કુર્બાની કરી, તો પોતે પણ ખાય શકે છે. (મસાઈલે ઈદૈન : ૧૮ર)
- સાચે જ કોઈ મસ્લેહત હોય તો ગેરકૌમને ગોશ્ત આપી શકાય છે, પરંતુ સારૂ અને બેહતર નથી. કારણ કે મુસલમાનોમાં જરૂરત -મંદ અને મોહતાજ લોકોની કમી નથી. (મસાઈલે ઈદૈન : ૧૮પ)
- જે જાનવરનો ગોશ્ત ખાય શકાય છે, એની સાત વસ્તુઓ ખાવી હરામ છે : (૧) લોહી, (ર) પેશાબની જગ્યા, (૩) અંદકોષ (ખુસ્યા/ફોતા), (૪) મળ-મૂત્રની જગ્યા, (પ) ગુદૂદ (ગ્રંથિઓ), (૬) પેશાબની થેલી, (૭) પિત્તો. (મસાઈલે ઈદૈન : ૧૮૬)
- કુર્બાનીનું ચામડુ સૈયદને આપી શકાય છે. એની કિંમત આપી શકાય નહીં. (મસાઈલે ઈદૈન : ૧૯પ)