નમાઝની બરકતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 12)

જે માણસ પાંચ વખત અલ્લાહ તઆલાની સામે હાજર થઈ હાથ બાંધી ઉભો થાય છે અને તેની હમ્દ તથા વખાણ કરે છે, તેની આગળ નમે છે અને સિજદો કરે છે, તેનાથી દુઆઓ માંગે છે, તો તે અલ્લાહ તઆલાની ખાસ મુહબ્બત અને રહમતનો હકદાર બને છે. દરેક વખતની નમાઝથી તેના સગીરા (નાના) ગુનાહો માફ થાય છે અને તેના દિલમાં નૂર પેદા થાય છે. તેમજ તેની ઝિંદગી ગુનાહોના મેલથી પાક-સાફ બની જાય છે.

એક હદીષમાં છે કે, એક વાર આપ (સલ.)એ ઘણું સરસ ઉદાહરણ આપી ફરમાવ્યું કે, બતાવો ! અગર તમારામાંથી કોઈના આંગણામાં નહેર વહેતી હોય, જેમાં તે દરરોજ પાંચ વખત ન્હાતો હોય, તો શું તેના શરીર ઉપર કાંઈ પણ મેલ બાકી રહેશે ? સહાબાએ અરજ કરી : યા રસૂલલ્લાહ (સલ.) ! કંઈ રહેશે નહીં. આપ (સલ.)એ ફરમાવ્યું : બિલ્કુલ એ જ મિસાલ પાંચ વખતની નમાઝોની છે કે, અલ્લાહ તઆલા તેની બરકતથી ગુનાહો તથા ખતાઓને માફ કરી આપે છે. (મિશ્કાત શરીફ)

Log in or Register to save this content for later.