જાનવરની એવી ખોડખાપણો જેના કારણે તે જાનવરની કુર્બાની સહીહ થતી નથી

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 146 - 147)
  • સીંગડાં જડમૂળથી તૂટી ગયા હોય.
  • આંધળુ હોય, એક આંખ ન હોય.
  • પગે એટલું લંગડુ હોય કે ઝબહ કરવાની જગ્યા સુધી જવામાં તકલીફ હોય.
  • ઘણું જ બીમાર હોય.
  • બન્ને કાન કપાયેલા હોય, સુરીન (થાપુ) કપાયેલી હોય.
  • આખુ પૂછડું કપાયેલું હોય.
  • જન્મથી જ બન્ને કાન ન હોય અથવા એક જ કાન હોય અને એક કાન ન હોય અથવા કપાય ગયો હોય.
  • કોઈ પણ અવયવ ૧/૩ કે તેથી વધુ કપાયેલો હોય.
  • નાક કપાયેલું હોય.
  • જેનો આંચળ કપાયેલો હોય.
  • જે પોતાના બચ્ચાને દૂધ ન પીવડાવી શકતું હોય.
  • જીભ એટલી કપાયેલી હોય કે ઘાસચારો ન ખાય શકે.
  • જાનવરને પાગલપણું એટલી હદે હોય કે ચરવું અને ઘાસચારો ખાવું મુશ્કેલ હોય.
  • ઉંટને નાપાકી ખાવાની આદત હોય.
  • એટલું કમઝોર હોય કે હાડકાની અંદરનો નરમ ભાગ ન હોય (હાડકા-પાંસળા જ હોય).
  • ચારમાંથી કોઈ એક પગ કપાયેલો હોય.
  • નાના જાનવરમાં એક આંચળનું અને મોટા જાનવરમાં બે આંચળનું દૂધ સૂકાય ગયું હોય. (કામૂસુલ ફિકહ : ૧પ૬/ર)
Log in or Register to save this content for later.