Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 145-146)
Views:
204
- કુર્બાની અને અકીકાનો ગોશ્ત ગેરમુસ્લિમ ભાઈઓને પણ આપી શકાય છે. (કિતાબુલ ફતાવા : ૧પ૦/૪)
- આજકાલ અમૂક કસાઈ જાનવર ઠંડુ પડતાં પહેલાં જ ચામડુ ઉતારવામાં લાગી જાય છે. તો એ મકરૂહ છે. (જદીદ ફિકહી મસાઈલ : ર૭૯)
- અકીકાનો ગોશ્ત કોઈ પણ પ્રકારનો બદલો (પૈસા વગેરે) લીધા વગર ખવડાવવો જોઈએ. શાદી (વલીમા)માં ખાવા ખવડાવ્યા બાદ વહેવાર લેવામાં આવે છે, એટલે બદલાની શંકા થઈ જાય છે. એટલે વલીમામાં અકીકાનો ગોશ્ત વાપરવાથી બચવું જોઈએ. (ફતાવા રહીમિય્યહ : ૪૩પ/પ, કિતાબુલ ફતાવા : ૧૭પ/૪)
- કોઈ માણસ પર કુર્બાની વાજિબ ન હોય, તો કર્ઝ લઈને કુર્બાની કરવી બેહતર નથી. અને જો પોતે કર્ઝદાર હોય તો કર્ઝ અદા કરવાની ફિકર કરવી જોઈએ. (મસાઈલે ઈદૈન : ૧ર૦) આજકાલ અમૂક લોકો કુર્બાનીનું જાનવર ખરીદે છે, અને કુર્બાની પણ થઈ જાય છે. ત્યાર બાદ વર્ષ પુરૂ થઈ જવા છતાં કુર્બાની કે કટીંગના પૈસા ચૂકવતા નથી. એ સારૂં નથી. કર્ઝ અદા કરવાની ફિકર કરવી જોઈએ.
- મોટા જાનવરમાં અકીકાની નિય્યતથી પણ ભાગીદાર થઈ શકાય છે. શર્ત એટલી જ છે કે, તમામ ભાગીદારોની નિય્યત કુર્બાની અથવા અકીકાની હોય. એટલે કે અમૂક લોકો કુર્બાની અને અમૂક લોકો અકીકાની નિય્યત કરે (તો એમાં કોઈ વાંધો નથી). અને બીજી શર્ત એ છે કે, કોઈ પણ ભાગીદારનો ભાગ થી ઓછો ન હોય. નહીં તો કોઈની પણ કુર્બાની સહીહ થશે નહીં. (મસાઈલે ઈદૈન : ૧ર૬-૧ર૭)
- કુર્બાનીના સાત ભાગીદારોમાંથી કોઈ એક કુર્બાની પહેલાં મરી જાય, તો જો મૃતકના વારસદારો ભાગીદારોને પરવાનગી આપે કે તમે મરનાર તરફથી પણ કુર્બાની કરી લો, તો બધાની કુર્બાની સહીહ થઈ જશે. અને જો મૃતકના વારસદારોની પરવાનગી વગર કુર્બાની કરશે, તો કોઈ પણ ભાગીદારની કુર્બાની સહીહ થશે નહીં. (મસાઈલે ઈદૈન : ૧ર૮)
Log in or
Register to save this content for later.