ઝકાત ન આપવી ઝુલ્મ અને નેઅમતની બેકદરી છે

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 62)

અલ્લાહ તઆલાએ જે લોકોને સુખી અને માલદાર બનાવ્યા છે, તેઓ જો ઝકાત નહીં આપે અને અલ્લાહપાકની આજ્ઞા પ્રમાણે તેના માર્ગમાં ખર્ચ નહીં કરે, તો બેશક તેઓ ઘણા જ નાશુકરા અને મોટા ઝાલિમ છે. આપણે એ પણ વિચારવું જોઈએ કે, ઝકાત અને સદકાઓથી અસલમાં પોતાના જ ગરીબ અને નિરાધાર ભાઈઓની સેવા થાય છે. તો ઝકાત ન કાઢવી ખરૂં જોતાં પોતાના જ ગરીબ અને લાચાર ભાઈઓ પ્રત્યે ઝુલ્મ કરવો અને તેઓનો હક્ક મારવો છે.

        આપણી પાસે જે કંઈ માલ-દૌલત છે, તે દરેક અલ્લાહપાકની જ આપેલી છે. અને આપણે પોતે પણ તેના જ બંદા તથા તેના જ પેદા કરેલા છીએ. ત્યારે જો તે આપણી પાસે આપણા સઘળા માલની પણ માંગણી કરે તો આપણો એ ફર્ઝ છે કે, વગર આનાકાનીએ સર્વ કંઈ આપી દઈએ. આ તો તેની મહાન કૃપા છે કે, પોતાના જ આપેલા માલમાંથી માત્ર ચાલીસમો ભાગ કાઢવાનો તેણે હુકમ કર્યો છે.

Log in or Register to save this content for later.