Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 85-86)
પ્રો. શ્રી થોમ્સ ઓર્નલ્ડ પોતાના પુસ્તક “ઇસ્લામી દઅવત” -માં ઇસ્લામી શિક્ષણની વિશિષ્ટતા દર્શાવતા લખે છે કે, આપણે જોઈએ છીએ કે હજની વ્યવસ્થા સાથે એક બીજી વ્યવસ્થા “ઝકાત” અદા કરવાની પણ છે. જે મુસ્લિમોને કુર્આની આદેશ “મુસ્લિમો આપસમાં ભાઈ-ભાઈ છે”ની યાદ તાજી કરાવે છે. આ એક દીની (ધાર્મિક) દૃષ્ટિકોણ છે. જે ઘણી જ આશ્ચર્યજનક રીતે ઇસ્લામી સમાજમાં ઘણી સારી રીતે ગટ થઈ રહ્યો છે. અને નવમુસ્લિમ માટે અમલી હમદર્દીનો સૌથી વધુ પ્રેરક છે. અને ચાહે તેનો સબંધ કોઈ પણ કૌમ, રંગ અને વંશથી હોય તેને મુસ્લિમોના સમૂહમાં તરત કબૂલ કરી લેવામાં આવે છે. અને ધુત્વભાવનાના આધારે તેને બીજા મુસ્લિમોના સમકક્ષ દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે.
ડો. લ્યુડરૂશ લખે છે કે, મને ઇસ્લામમાં બે એવા સામાજિક પ્રશ્નોનો હલ મળી ગયો, જેણે વિશ્વને પરેશાન કરી નાંખ્યુ છે. એક કુર્આનનો આ આદેશ જેમાં ફરમાવ્યું કે, “મુસલમાન આપસમાં ભાઈ-ભાઈ છે” આ સામ્યવાદનો શ્રેષ્ઠ નિયમ છે.
અને બીજી દરેક માલદાર વ્યક્તિ ઉપર ઝકાત ફર્ઝ કરવાનો કાયદો જે સમાજમાંથી ગરીબી દૂર કરવામાં ઘણો અસરકારક પુરવાર થયો છે.
એક બીજા ગેરમુસ્લિમ લેખક લખે છે કે, માનવ ઈતિહાસમાં ઝકાતની આ અનોખી વ્યવસ્થાની બુન્યાદ સૌપ્રથમ ઇસ્લામે નાંખી. ઝકાતની વ્યવસ્થાએ ગરીબ અને વિકલાંગ લોકો માટે ઘણી મોટી રાહત કરી દીધી અને ન્યાયિક સામૂહિકતાના રસ્તામાં જે રૂકાવટ હતી, તેને દૂર કરી દીધી. એક જ દેશના વિવિધ વર્ગો દરમ્યાન માનવ એકતા કાયમ કરી સાબિત કરી દીધું કે ઇસ્લામની બુન્યાદ કુસંપ અને નફરત આધારિત નથી.
પ્રખ્યાત ફ્રાન્સીસી લેખક મોસીન્યુન લખે છે કે, ઇસ્લામની ખૂબી આ છે કે, તે સમાનતા અને બંધુત્વભાવનાને સખ્તી સાથે અમલમાં લાવવા માંગે છે. આ હેતુ માટે તેણે ઝકાત ફર્ઝ કરી દીધી છે. ઇસ્લામ વ્યાજુ કર્જની વિરૂધ્ધ છે. સાથે પ્રાથમિક જરૂરતની વસ્તુઓ ઉપર ટેક્ષ લગાડવાનો પણ વિરોધી છે. સાથે તે પ્રાયવેટ માલિકી હક્કો અને રોકાણકારી કરવાનો સમર્થક છે. આ પ્રમાણે તે મૂડીવાદ અને સામ્યવાદ બન્નેવના દૃષ્ટિકોણથી વિપરિત એક ન્યાયિક સમાનતાના આધારે ચાલે છે.
Log in or Register to save this content for later.