Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 50)
- સૂર્યાસ્ત થતાં જ નમાઝથી પહેલાં રોઝો ખોલવામાં જલ્દી કરવું.
- ખજૂર કે ખારેકથી રોઝો ઈફતાર કરવો અને એ ન હોય તો પાણીથી રોઝો ઈફતાર કરવો.
- જેનાથી રોઝો ઈફતાર કરવામાં આવે તે એકી સંખ્યામાં હોય.
- ઈફતાર કરતી વખતે દુઆ પઢવી.
દા.ત. અલ્લાહુમ્મ લક સુમ્તુ, વબિક આમન્તુ, વ અલયક તવક્કલતુ, વઅલા રિઝકિક અફતરતુ.
- સેહરીમાં કંઈ પણ ખાવું, ચાહે તે થોડુંક જ હોય અથવા એક ઘૂંટ પાણી હોય.
- સેહરીમાં એટલું મોડુ ન કરવું કે સુબ્હ સાદિક થઈ જવાનો અંદેશો થવા લાગે.
- જબાનને કામ વગરની બેકાર વાતોથી બચાવવી અને હરામ વાતો (ગીબત, ચુગલી વગેરે)થી બચવું.
- સગાવ્હાલા, જરૂરતમંદ લોકો અને ગરીબોને સદકો-ખૈરાત આપતા રહેવું.
- રાત-દિવસ દીની કિતાબોના વાંચન અને અભ્યાસમાં, કુર્આને કરીમની તિલાવત, દુરૂદ શરીફ, ઝિક્ર વગેરેમાં લાગેલા રહેવું.
- એઅતિકાફ કરવો. (કિતાબુલ મસાઈલ : ૯૮/ર)