જે કારણથી રોઝો ન રાખવો જાઈઝ છે

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 47 - 48)
  • બીમારીથી સારો થઈ ગયો, પણ હજી શરીરમાં શક્તિ નથી કે રોઝો રાખી શકે અથવા રોઝો રાખવાથી ફરી બીમાર થઈ જવાની બીક છે, ત્યારે પણ રોઝો ન રાખવો જાઈઝ છે. કઝા રાખી લે.
  • સ્ત્રીને હેઝ (માસિક) અને નિફાસ (પ્રસુતિ બાદના રક્તસ્ત્રાવ)ની હાલત જેટલા દિવસ રહે, ત્યાં સુધી તેણીએ રોઝો રાખવો દુરૂસ્ત નથી. રમઝાનના જેટલા રોઝા હેઝ અને નિફાસની હાલતમાં છૂટી ગયા હોય, તો તેની કઝા કરી લે અને જ્યારે પાક થઈ જાય ત્યારે રોઝાને છોડે નહીં. જો રાતના ખૂન બંધ થઈ ગયું અને ગુસલ કર્યું ન હોય, તો પણ સવારના રોઝો રાખ્યા પછી ગુસલ કરી શકે છે. પણ જો સવાર થયા પછી ખૂન બંધ થયું હોય, તો હવે રોઝાની નિય્યત કરવી દુરૂસ્ત નથી, પરંતુ તેણીએ આખો દિવસ રોઝદારની જેમ ખાવું-પીવું જોઈએ નહીં.
  • મુસાફિરે મુસાફરીની હાલતમાં રોઝો ન રાખવો દુરૂસ્ત છે. પણ જો મુસાફરીમાં રોઝાથી કંઈ તકલીફ ન હોય, તો રોઝો રાખવો બેહતર છે. પરંતુ જો રોઝો નહીં રાખે અને કઝા કરે તો પણ કંઈ ગુનોહ નથી, પણ રમઝાન શરીફમાં રોઝા રાખવાની જે ફઝીલત છે, તે પ્રાપ્ત થશે નહીં. મુસાફિરનો અર્થ એ જ છે કે, જે નમાઝના મસ્અલામાં આવી ગયું છે. એટલે કે ત્રણ મંઝિલ જવાનો ઈરાદો હોય, પંદર દિવસથી ઓછું થોભવાનું હોય, વિગેરે.
  • કોઈ મુસાફિર અડધા દિવસથી પહેલાં પોતાના ઘેર પાછો આવી જાય અને તે વખતે તેણે હજી કંઈ ખાધુ-પીધુ નથી, હવે તેના ઉપર વાજિબ છે કે, નિય્યત કરી રોઝો પુરો કરે. કેમકે તેને હવે સફરનો ઉઝર કે તકલીફ રહી નથી.
Log in or Register to save this content for later.