જે કારણથી રોઝો તોડવો જાઈઝ છે

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 46 - 47)

ફર્ઝ રોઝાને કોઈ સખ્ત ઉઝર અથવા મજબુરી સિવાય તોડવો જાઈઝ નથી. અચાનક કોઈ એવો બીમાર થઈ જાય કે જો રોઝો નહીં તોડે, તો જીવનું જોખમ થશે અથવા બીમારી ઘણી વધી જશે અથવા એકાએક પેટમાં એવું દર્દ થઈ આવ્યું કે, બેચેની થઈ જાય અથવા બહુ જ તરસ લાગી હોય કે પાણી નહીં પીએ તો મરી જવાશે અથવા ગર્ભવતી સ્ત્રીને કોઈ એવી વાત બની જાય કે, જેથી બાળકનો કે પોતાની જાનનો ભય હોય, તો આવી હાલતમાં રોઝો તોડી નાખવો દુરૂસ્ત છે.

Log in or Register to save this content for later.