Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 28)
રમઝાન શરીફના રોઝા દરેક મુસલમાન આકિલ-બાલિગ, મર્દઔરત પર ફર્ઝ છે. જ્યાં સુધી કોઈ ઉઝર ન હોય, ત્યાં સુધી રોઝા છોડી દેવા જાઈઝ નથી. અને જો કોઈ માણસ રોઝાની મન્નત (નઝર) કરે, તો મન્નતના રોઝા ફર્ઝ છે અને કઝા તથા કફ્ફારાના રોઝા પણ ફર્ઝ છે. એ સિવાય બાકીના રોઝા નફલ છે. નફલ રોઝા રાખે તો સવાબ છે. નીચેના પાંચ દિવસોમાં રોઝો રાખવો હરામ છે :
(૧) ઈદુલ ફિત્રનો દિવસ, (ર) ઈદે કુર્બાંના ચાર દિવસ એટલે કે, ઝિલ્હજ્જ મહિનાની ૧૦મી તારીખથી ૧૩મી તારીખ સુધીના.
Log in or Register to save this content for later.