Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 31 - 32)
Views:
140
- સારૂં એ છે કે, રમઝાનુલ મુબારકના રોઝાની નિય્યત સુબ્હ સાદિકથી પહેલાં કરી લેવામાં આવે. સુબ્હ સાદિકથી પહેલાં રમઝાન માસનો રોઝો રાખવાનો ઈરાદો ન હતો, સુબ્હ સાદિક પછી ઈરાદો થઈ ગયો કે રોઝો રાખવો જ છે, તો જો સુબ્હ સાદિક પછી કંઈ ખાધું-પીધું ન હોય તો નિય્યત સહીહ છે. કંઈ ખાધું-પીધું ન હોય તો (શરીઅતના હિસાબ પ્રમાણેના) અડધા દિવસ પહેલાં સુધી રમઝાન માસના રોઝાની નિય્યત કરી શકે છે. (આપકે મસાઈલ ઔર ઉનકા હલ : પ૪૪/૪)
- કોઈ માણસ ર૯ શઅબાનના ભારતથી રવાના થયો અને (શરઈ હિસાબ પ્રમાણેના) અડધા દિવસથી પહેલા પહેલા સઉદી પહોંચી ગયો, જ્યાં રમઝાન માસ શરૂ થઈ ચૂક્યો છે અને લોકો રોઝાની હાલતમાં છે, તો જો તે માણસે સુબ્હ સાદિક પછીથી રોઝાથી વિરૂદ્ધ કોઈ કામ (ખાવું-પીવું વગેરે) કર્યું નથી, તો રોઝાની નિય્યત કરવી એના પર જરૂરી છે. અને આ રોઝો રમઝાનનો રોઝો ગણાશે. (કિતાબુલ મસાઈલ : પ૭/ર)
- કોઈ માણસ ર૯ શઅબાનના ભારતથી રવાના થયો અને ઝવાલ પછી સઉદી પહોંચ્યો, તો જો તેણે સવારથી જ રોઝાની નિય્યત કરી રાખી છે, તો એનો રોઝો માન્ય ગણાશે. અને જો અડધા દિવસ પહેલાં રોઝાની નિય્યત કરી ન હતી, તો ઝવાલ પછી નિય્યત કરવાથી રોઝો માન્ય ગણાશે નહીં. (કિતાબુલ મસાઈલ : પ૭/ર)
- કોઈ માણસ ર૯ રમઝાનના ભારતથી રોઝો રાખીને નીકળ્યો, પરંતુ સઉદીમાં ઈદ હતી, તો હવે એ માણસ ત્યાં જઈને રોઝો તોડી નાંખે. (હવે જો તેના રોઝા ર૯ થી ઓછા થયા હોય તો પછી એક રોઝાની કઝા કરી લે.) (કિતાબુલ મસાઈલ : પ૭/ર)
- કોઈ માણસ સઉદીમાં રમઝાનનો ચાંદ જોઈને રોઝો રાખે અને એ જ દિવસે બપોર સુધીમાં ભારત પહોંચી ગયો, જ્યારે અહિયાં એ દિવસે શઅબાનની ર૯ તારીખ હતી, તો આ રોઝો તેનો રમઝાનનો ગણાશે. (હવે તે વ્યક્તિ ત્યાં સુધી રોઝો રાખવાનું ન છોડે, જ્યાં સુધી ભારતમાં ઈદનું એલાન ન થઈ જાય. ચાહે એના રોઝા ૩૦ થી વધી જાય.) (કિતાબુલ મસાઈલ : પ૮/ર)
- કોઈ માણસ સઉદીમાં ઈદનું એલાન સાંભળીને રાતની ફ્લાઈટથી રવાના થઈ ગયો અને સુબ્હ સાદિકથી પહેલાં ભારતમાં આવી ગયો, તે વખતે અહિયાં રમઝાનના દિવસો બાકી હતા, તો તે માણસે અહિયાં રોઝો રાખવો પડશે. (કિતાબુલ મસાઈલ : પ૮/ર)
- નફિલ રોઝા, નક્કી કરેલ દિવસના મન્નતના રોઝા અને રમઝાન શરીફના રોઝામાં રાતથી નિય્યત કરે અથવા સવારે અથવા (શરઈ હિસાબ પ્રમાણેના) અડધા દિવસ પહેલાં નિય્યત સહીહ થઈ જશે. એ સિવાયના બીજા રોઝાઓમાં રાતથી નિય્યત કરવી જરૂરી છે. (ફતાવા દારૂલ ઉલૂમ : ૩૪૬/૬)
- નિય્યત એટલે દિલનો ઈરાદો, ઝબાનથી નિય્યત કરવી જરૂરી નથી. એટલે જો કોઈ માણસ રાતના જ દિલમાં રોઝાનો ઈરાદો કરીને સૂઈ જાય, તો હવે વધારાની નિય્યતની કોઈ જરૂરત નથી. (મસાઈલે રોઝા : પ૧)
- સેહરી કરતી વખતે રોઝાની નિય્યત કરવાનું ભૂલી ગયો અને સેહરી કરતી વખતે રોઝો ન રાખવાનો કોઈ ઈરાદો ન હતો, તો સેહરી કરવી પણ રોઝાની નિય્યત ગણાશે. (ફતાવા રહીમિય્યહ : ૭૦/૪)
Log in or
Register to save this content for later.