[૮૭] જમાઅતે ઇસ્લામીની ગુમરાહી

Chapter : ફિર્કા

(Page : 219 to 233)
[૮૭] જમાઅતે ઇસ્લામીની ગુમરાહી

સવાલ  : આપ સાહબથી માલૂમ કરવા માંગુ છું કે આજના આ દોરમાં તબ્લીગી જમાઅતનું કામ ઘણા જ સારા પાયા ઉપર ચાલી રહ્યું છે. હું પોતે પણ આ કામ કરી રહ્યો છું અને અલ્લાહ તઆલાના ફઝલથી મને ઘણો સારો ફાયદો થયો છે.

અલબત્ત થોડા દિવસો પહેલાં અમદાવાદથી એક જમાઅતે ઇસ્લામી નામે ટોળકી આવેલી જેમાં ત્રણ અહબાબ હતા. જેઓ બે દિવસ અહીયા થોભ્યા. રાત-દિવસ એમના બયાનો થયા, જેનાથી મારા દિલમાં તશ્વીશ થવા લાગી કે કયા માર્ગે દોરાવું ઠીક છે ?

હમારા ગામના મૌલવી સાહેબોથી માલૂમ થયું કે આ જમાઅતમાં જોડાવું ઘણું જ નુકસાનકારક છે. જેથી આપ સાહબથી ખાસ તફસીલી બાબત માલૂમ કરવા માંગું છું કે,

એ લોકોના ઉસૂલ અને મંતવ્યો શું છે ?

આપણા અને તેમના ઉસૂલ અને વિચારોમાં શું મતભેદ છે ?

દીની અને દુન્યવી રીતે તેમની સાથે વહેવાર રાખવો કે કેમ ?

બીજી અનેક બાબતોથી અમોને પરિચિત કરવા ખાસ ખુલાસાવાર માર્ગદર્શન આપશો. બની શકે તો બુઝુર્ગાને દીનના દ્રષ્ટાંતો સાથે વિગતવાર જવાબ આપી શુક્રિયહનો મોકો આપશો.

જવાબ  : સર્વ પ્રથમ એક ઉસૂલી (બુનિયાદી) હકીકત જાણી લેવી જોઈએ કે,

કોઈ પણ મઝહબી જમાઅતથી સંબંધ ધરાવતા સભ્યોની માન્યતાઓ અને નીતિ-નિયમો તે જમાઅતના સ્થાપકો અને આગળની હરોળના માણસોનાં મંતવ્યો અને માન્યતાઓના તાબે હોય છે. ચાહે તે મંતવ્યો અને માન્યતાઓ કુર્આન, હદીસ અને અહલે સુન્‍નત વલ જમાઅતથી સુસંગત અને સુમેળભરી ન હોય.

જમાઅતે ઇસ્લામીમાં પણ એ જ નીતિ-નિયમ પ્રચલિત અને પ્રસારિત છે. એટલા જ માટે જમાઅતના સ્થાપનાકાળ ૧૯૪૧થી લઈ આજ દિન સુધી જયારે પણ જમાઅતના ભૂતપૂર્વ સક્રિય સભ્યો અને ઈસ્લામના ધુરંધર આલિમોની એક વિશાળ અને મોટી જમાઅતે પોતાના ઈખ્લાસ અને ખૈરખ્વાહી (હિતેચ્છા) ઉપર કસમો ખાય ખાયને મવદૂદી સાહબની વિવિધ દીની વિષયો સ્પર્શી ગુમરાહી ભરી ભૂલો તરફ ખુદ જમાઅતના ઝિમ્મેદારો અને આમ મુસલમાનોનું ધ્યાન દોયુઁ તો જમાઅત તરફથી ભૂલો સ્વીકારવાને બદલે ગમ ગુસ્સો જાહેર કરવામાં આવ્યો.

હાલાં કે મવદૂદી સાહબનું જગવિખ્યાત મંતવ્ય છે કે,

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સિવાય કોઈને ટીકા (તનકીદ)થી મુકત ન માનો અને પોતાની વિચાર શિકતમાં બીજાના ગુલામ ન બની જાઓ.

જમાઅતના મુખ્ય સ્થાપક અને પહેલા અમીર મવદૂદી સાહબની કિતાબો હાલ પણ મવદૂદી જમાઅત માટે દીને ઇસ્લામને સમજવા અને તેના પ્રચાર પ્રસાર માટે આધારભૂત અને મુખ્ય માધ્યમ છે અને તેમાંથી ઘણા લખાણો તો ખાસ જમાઅતના બંધારણ સમાન છે.

આપના પૂછવા મુજબ જો તે કિતાબોના હવાલાઓથી તેઓના ગુમરાહી ભર્યા અને ગલત મંતવ્યો અને ન્યતાઓ જે જમહૂર અહલે સુન્‍નત વલ જમાઅતથી વિરુધ્ધ અને જુદા છે જવાબમાં વિગતવાર લખવામાં આવે તો પૂરું એક દળદાર પુસ્તક તૈયાર થઈ જાય અને તે બાબત હિંદ અને પાકિસ્તાનના અગ્રગણ્ય ઉલમાએ કિરામે દળદાર કિતાબો અને પસ્તિકાઓ લખી છે. અને તે વર્ષોથી પ્રગટ થઈ ચૂકી છે અને હાલ પણ દેવબંદ, દિલ્હી, લખનૌ, સહારનપુર અને આગ્રાના કુતુબખાનાઓથી પ્રાપ્ત થઈ શકે છે. માટે વધુ વિગત માટે તો ઉપરના સ્થળોએથી કિતાબો મંગાવી તેનો અભ્યાસ કરવામાં આવે. બાકી અત્રે મજકૂર જમાઅત વિષે અનેક મશહૂર મુફતિયાને કિરામ અને આલિમોના ફત્વાઓ અને લખાણોમાંથી સંક્ષિાપ્ત અને સારરૂપી મંતવ્યો રજૂ કરું છું. જેના અભ્યાસથી જાણી અને સમજી શકાશે કે મવદૂદી જમાઅત કેટલી ગુમરાહ અને ગલત જમાઅત છે અને તેમાં જોડાવું અહલે સુન્‍નત વલ જમાઅત માટે કેટલું ભયભયુઁ અને હાનિકારક છે.

હિંદુસ્તાનના મુફતીએ આઝમ મુફતી કિફાયતુલ્લાહ સાહબ (રહ.) લખે છે કે,

તેઓના (મવદૂદી સાહબના) લખાણોમાં ઉચ્ચકક્ષાના મોટા મોટા આલિમો બલ્કે હઝરાત સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ) ઉપર પણ આક્ષોપો કરવામાં આવ્યા છે માટે મુસલમાનોએ આ જમાઅતથી અલગ રહેવું જોઈએ અને તેઓ સાથે (જમાઅતી) મેળ મિલાપ અને સંબંધ વ્યવહાર ન રાખવો જોઈએ. તેઓના લખાણો જાહેરમાં આકર્ષક અને સુંદર લાગે છે પરંતુ તેનાથી દિલોમાં એવી વાતો ઉતરી જાય છે જે તબિયતને આઝાદ કરી દે છે અને બુઝુર્ગાને ઈસ્લામથી બદઝન કરી દે છે. (“કિફાયતુલ મુફતી” ૧ / ૩ર૦)

પાકિસ્તાનના મહાન મુફતી મુહમ્મદ શફીઅ સાહબ (રહ.) લખે છે કે,

અહકરની સામે મવલાના મવદૂદી સાહબની બુનિયાદી ભૂલ આ છે કે તેઓ અકાઈદ અને (શરીઅતના) અહકામમાં પોતાના અંગત ઈજતિહાદ (વિચારધારા)ની તાબેદારી કરે છે ચાહે તેઓનો ઇજતિહાદ જમહુર ઉલમાએ સલફના વિરુધ્ધ હોય. હાલાં કે અહકરના માનવા મુજબ ઇજતિહાદ (સ્વતંત્ર વિચારધારા)ના કામની (જે શર્તો જરૂરી છે તે) શર્તો તેમનામાં નથી.

આગળ ચાલી લખે છે,

આ સિવાય તેઓએ પોતાના લખાણોમાં ઉલમાએ સલફ, અહી  સુધી કે હઝરત સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ) પર ટીકા કરવાનો જે તરીકો અપનાવ્યો છે તે તદ્દન ગલત છે.

વળી તેઓના પ્રચલિત (જમાઅતી) સાહિત્યના વાંચકો પર તેનો (એ પ્રમાણેનો) સામૂહિક અસરનો પણ ઘણો જ અનુભવ થાય છે કે તેઓમાં સલફે સાલિહીન [સહાબા, તાબિઈન, તબએ તાબિઈન, અવલિયાએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)] પ્રત્યે જોઈતો વિશ્વાસ રહેતો નથી અને અમારી નજરમાં આ વિશ્વાસ જ દીનના રક્ષાણ માટે મોટા કિલ્લા સમાન છે. (“જવાહિરુલ ફિકહ” ૧ / ૧૭૧)

હાલ હિંદુસ્તાનના મુફતીએ આઝમ મુફતી મહમૂદ હસન ગંગોહી (દા.બ.) જમાઅતે ઇસ્લામી વિષે પૂછાયેલા એક સવાલના જવાબમાં લખે છે :

સિય્યદ અબુલ આ”લા મવદૂદીએ (જમાઅતે ઈસ્લામીના સ્થાપકે)બાકાયદા વિશ્વાસપાત્ર ઉસ્તાદોથી કુર્આન અને હદીસની તાલીમ પ્રાપ્ત કરી નથી. તેઓની મોટા ભાગની જાણકારી જાત અભ્યાસ પર આધારિત છે. તેઓ (કોઈ દીની બાબતમાં) પોતાના મંતવ્ય સામે કોઈને વિશ્વાસપાત્ર સમજતા નથી બલકે પોતાના અંગત મત દ્વારા વર્તમાન ઉલમાએ કિરામ અને ભૂતપૂર્વ ફુકહાઅ, મુહદ્દિસીન, અવલિયાએ કિરામ અહીયા સુધી કે હઝરાતે સહાબા (રદિ.) જેવી પવિત્ર વ્યિકતઓ ઉપર પણ નીચ પ્રકારના આક્ષોપો કરે છે અને દીનની સમજમાં તેઓને અધૂરા માને છે.

ઘણી બાબતોમાં તેઓ અહલે સુન્‍નત વલ જમાઅતના મુત્તફકા (સર્વમાન્ય) મસ્લકથી હટીને (અન્ય ફિર્કોઓ) મોઅતઝિલહ, ખવારિજ, રવાફિઝ, ગૈર મુકિલ્લદ, મુનકિરીને હદીસ અને મિઝર્ાઈઓના મંતવ્યોને અગ્રીમતા આપી અપનાવી લે છે જેનાથી સખત ગુમરાહી ફેલાય છે અને તેઓથી પ્રભાવિત લોકોનાં દિમાગોમાં ધીમે ધીમે આ વાત ઠસી જાય છે કે, “ચૌદમી સદીમાં સહીહ અને ખરો દીન સમજનાર અને સંપૂર્ણ દીન અપનાવનાર મવદૂદી સાહબ સિવાય અન્ય કોઈ જ નથી. માત્ર મવદૂદી સાહબ જ સંપૂર્ણ દીનને સહીહ સમજી શકયા છે. અને તેઓએ બધા જ લોકોની ગલતીઓ પરથી પરદો હટાવ્યો છે. કારણકે (તેઓ સિવાય) બધા જ લોકો બુદ્ઘિહીન, સ્વાર્થી અને ખુદાઈ ખૌફ વિહોણા હોવાના લઈને દીનને ગલત અને બેદીનીને દીન સમજતા હતા.”

આ (પ્રમાણેનો) વિચાર અને મનોવૃત્તિ બેહદ ભયાનક છે. પૂરી ઉમ્મતને અને તેના (સમજેલા) દીનને અધૂરો અને ગલત સમજવો એ તો હઝરત નબીએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને આપના સહાબા (રદિ.)ની દીની સેવાઓને નષ્ટ કરવા સમાન છે અને તેઓ પ્રત્યેના વિશ્વાસને નાબૂદ કરવો છે. (અસ્તગ્ફિરુલ્લાહ)

શું તમોએ (મવદૂદી સાહબની કિતાબ) “ખિલાફતો મુલૂકિય્યત”નો અભ્યાસ કર્યો છે ? કે જેમાં ઉચ્ચ દરજાના સહાબા (રદિ.) ઉપર કેટલી બધી વિનાશક ટીકાઓ કરવામાં આવી છે. હાલાંકે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તો તે સહાબાના વખાણો કર્યા. તેઓને જન્‍નતી બતાવ્યા અને (દીનના બારામાં) તેઓ પર વિશ્વાસ કરવાનો હુકમ ફરમાવ્યો છે…

આવી વ્યિકતઓ (ઉચ્ચ દરજાના સહાબા) (રદિ.) મવદૂદી સાહબની નજરમાં વિશ્વાસપાત્ર નથી.

તેઓની બીજી કિતાબો  :  “તનકીહાત”, “તજદીદ વ ઈહ્યાએ દીન”, “તફહીમાત”,” રસાઈલો મસાઈલ”માં પણ આ પ્રકારના લખાણો મવજૂદ છે. તેઓના રદમાં પણ ઘણી કિતાબો લખવામાં આવી છે. દા.ત., “કશ્ફે હકીકત”, “તઅબીરકી ગલતી”, “મવદૂદી મઝહબ”, “મવદૂદી સાહબકે ગલત નઝરિયાત”, “ખુલી ચીઠ્ઠી” ખુદા જાણે કે આપે એવી પણ કોઈ કિતાબ વાંચી છે કે નહિ ?

આ તે મુફતિયાને કિરામના મંતવ્યો છે જેઓએ મવદૂદી સાહબના લખાણોનો થોડા કે વધુ પ્રમાણમાં સીધે સીધો ઊંડો અભ્યાસ કર્યો છે અને તેઓમાંથી હઝરત મુફતી મહમૂદ હસન ગંગોહી (રહ.)એ મવદૂદી જમાઅત વિષે પોતાના મજકૂર સંક્ષિાપ્ત હેવાલને પોતાના બીજા લખાણોમાં હવાલાઓ સાથે વિગતથી રજૂ ફરમાવ્યો છે.

આવો, મવદૂદી જમાઅત વિષે હિંદુસ્તાનની તે અગ્રગણ્ય વ્યિકતઓના મંતવ્યો પણ જોઈએ કે જેઓએ ભૂતકાળમાં એ જમાઅતની પ્રથમ હરોળમાં શરીક રહીને બલ્કે સ્થાપકોની સફમાં રહીને અને મવદૂદી સાહબના ખાસ નિકટના જમાઅતી રફીક બનીને જમાઅતના લિટરેચરનો અભ્યાસ કર્યો છે. અને મવદૂદી સાહબનો ખૂબ નઝદીકથી પરિચય મેળવ્યો છે. અને અંગત અભ્યાસ અને પરિચય દ્વારા જયારે તેઓને જમાઅતની એવી ઇલ્મી, અમલી, ગુમરાહીભરી, ભયાનક ખામીઓનું જ્ઞાન થયું કે જેનું કોઈ વ્યાજબી અર્થઘટન મુશ્કિલ હતું તો અંતે જમાઅતનો ત્યાગ કર્યો અને જમાઅતના ઝિમ્મેદારો સમક્ષા તે ભયાનક ભૂલો કિતાબના રૂપમાં વિગતવાર રજૂ ફરમાવી.

તેઓના મંતવ્યો વાંચતા પહેલાં એ હકીકત પણ જાણી લેવી જોઈએ કે આ તે બૂઝૂગૌં છે કે જેઓની ઇલ્મી અને અમલી લાયકાતના મવદૂદી સાહબ પણ વખાણ કરતા હતા અને જેઓના નામને પોતાની સફાઈ માટે અને જમાઅતના હક હોવાની દલીલ રૂપે મવદૂદી સાહબ પોતાના પર અને જમાઅત પર આક્ષોપ કર્તાઓ સમક્ષા પેશ કરતા હતા.

આવી સર્વમાન્ય મહાન વ્યિકતઓમાંથી એક હઝરત મૌલાના અબુલ હસન અલી નદવી (રહ.) છે. તેઓ પોતાની કિતાબ “અસરે હાઝિર મેં દીનકી તફહીમો તશ્રીહ”માં જમાઅતના સ્થાપક મવદૂદી સાહબના સાહિત્ય વિષે લખે છે કે,

વળી તેઓએ મકસદ અને વસાઈલના બારામાં જે નવો તરીકો અપનાવ્યો છે અને ઈબાદત અને ઝિક્રના બારામાં જે નવા વિચારો અને સંશોધનો જાહેર કર્યા છે તેનાથી એ વાતનો ભય છે કે જે નસલ ફકત (તેઓના) સંશોધનો અને ખયાલાત હેઠળ પોષણ પામશે અને જે જમાઅત માત્ર તે સાહિત્ય દ્વારા તૈયાર થશે અને (જો) તેનો ઝહની સંબંધ (વિચાર વ્યવહાર) કોઈ બીજા (સારા) માહોલ (સોસાયટી)થી નહિ હોય (તો) તે નસલ અને જમાઅતનો એક નવા જ પ્રકારનો દીની સ્વભાવ બનશે કે જે તે દીની મિઝાજ અને સ્વભાવથી (તદ્દન) જુદો હશે કે જેને નબવી કેળવણી અને સોહબતે, ઉસ્વએ રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબાએ કિરામ (રદિ.)ની તાબેદારી અને અનુકરણે તૈયાર કર્યો અને જે અત્યાર સુધી પ્રણાલિકાગત ચાલતો આવ્યો છે. અને એ જ પ્રમાણે તે જમાઅતની સોચ-વિચાર અને મહેનતની ગાડી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), સહાબા (રદિ.) અને તેઓના તાબિઈન નાઈબીનના નાખેલા પાટા પરથી હટીને એક બીજા જ પાટા પર ચાલશે. (“તફહીમો તશ્રીહ” પેજ ૧પ)

મૌલાના મુહમ્મદ મંઝૂર નોઅમાની (રહ.) લખે છે કે,

જમાઅતથી અલગ થનારામાંથી ગાઝી અબ્દુલ જબ્બાર સાહબ અને હકીમ અબ્દુર્રહીમ અશ્રફ સાહબ મારા તે જૂના દોસ્તોમાંથી છે કે જેઓને હું હંમેશા નેક, બાખુદા અને મુખલિસ સમજતો રહ્યો છું. તે બંનેથી પણ (ઈ.સ. ૧૯પ૭ ના નવેમ્બરમાં) મુલાકાત થઈ. ગાઝી સાહબથી તો રાવલપીડીમાં ટૂંકી મુલાકાત થઈ અને હકીમ અબ્દુર્રહીમ અશ્રફ સાહબથી લાઈલપુરમાં વિગતે જાણવા મળ્યું કે,

અમારા (જમાઅતથી) વિરોધ અને જમાઅત ત્યાગનું અસલ કારણ એ છે કે અમો થોડા સમયથી અનુભવી રહ્યા હતા કે દીનની બાબતમાં મવદૂદી સાહબ વધારે વિશ્વાસને પાત્ર નથી. અને તેઓ સામે અત્યારે ફકત સત્તા પ્રાપ્ત કરવાનો સવાલ છે અને એ હેતુ માટે તેઓ સમયને અનુસરીને જે નીતી ઉચિત સમજે તેને અપનાવી લેવા તૈયાર છે ચાહે તે ઇસ્લામી નિયમોથી ગમે તેટલી વિરુદ્ઘ હોય, તેને અપનાવી લેશે અને ઇસ્લામના નામથી જ અપનાવશે અને તે માટે જો જરૂરત પડશે તો ઇસ્લામી નિયમોનું મનફાવતું અર્થઘટન કરશે. (“જમાઅતે ઈસ્લામીસે મજલિસે મુશાવરત તક” પેજ : ૬૬)

મૌલાના નોઅમાની (રહ.) પોતાની જમાઅતે ઈસ્લામી સાથેની સરગુઝશ્તમાં લખે છે કે :

પરંતુ હકીકત આ છે કે તેઓના (મવદૂદી સાહબના) લખાણોમાં અમુક એવી વાતો ત્યારે પણ હતી (જયારે મૌલાના મવસૂફ જમાઅતથી સંબંધ ધરાવતા હતા) જે ઉમ્મતને ગુમરાહ કરનારી અને ફિતનાનું કારણ બની શકે છે.       (“સરગુઝશ્ત મૌલાના નોઅમાની” પેજ ૭૯)

આગળ એક જગ્યાએ લખે છે કે,

આ એક સત્ય ઘટના છે કે જમાઅતે ઇસ્લામી સિવાય બીજી કોઈ જમાઅત અને ચળવળના ઇતિહાસમાં એ વાતનું ઉદાહરણ નહિ મળે કે તેના પહેલી હરોળના માર્ગદર્શકો તે જમાઅત અને ચળવળથી આ પ્રમાણે અલગ થઈ ગયા હોય. (“સરગુઝશ્ત” ૧પ૬)

ઉપર મવદૂદી જમાઅતના સાહિત્યના આધારે વિવિધ મંતવ્યો અને ફત્વાઓ દ્વારા તેનું અસલી રંગરૂપ બતાવવામાં આવ્યું છે. યોગ્ય જણાય છે કે તે સાહિત્યમાંથી નમૂનારૂપે થોડાં ઉદાહરણો અત્રે રજૂ કરવામાં આવે. જેથી તેની રોશનીમાં ઉપરોકત મંતવ્યોની મહત્વતા અને સત્યતા સારી રીતે સમજી શકાય.

મવદૂદી સાહબ કુર્આન મજીદને સમજવા માટે તફસીરની કિતાબોના પ્રખ્યાત અને વિશ્વાસપાત્ર જૂના ભંડારને જેનાથી આજ દિન સુધી લોકો કુર્આન શરીફની તફસીર જાણતા અને સમજતા રહ્યા તેને જરૂરી સમજતા નથી. બલ્કે તફસીરની તે કિતાબો દ્વારા કુર્આનની તફસીર કરવાથી રોકે છે કે જેમાં :

ઉસૂલે તફસીર મુજબ આયતો,

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની હદીસો અને

સહાબાએ કિરામના કથનો

દ્વારા કુર્આનની  તફસીર કરવામાં આવી છે.

તેઓ લખે છે,

“કુર્આનને (સમજવા) માટે કોઈ તફસીરની જરૂરત નથી. એક

ઉચ્ચ પ્રકારનો પ્રોફેસર પૂરતો છે. (“તન્કીહાત”-રરર, “જમાઅતે ઈસ્લામીકે દીની રુજહાનાત”માંથી)

બીજે ઠેકાણે લખે છે,

“કુર્આન અને સુન્‍નતની તા”લીમ સૌથી પ્રથમ છે પરંતુ (તે તા”લીમ વર્તમાન તરીકા મુજબ) તફસીર અને હદીસના જૂના ભંડારો દ્વારા નહિ.”    (“તન્કીહાત”-૧૩૩, “દીની રુજહાનાત”માંથી)

પોતાની તફસીર “તફહીમુલ કુર્આન”માં એ જ મંતવ્યને અનુસરીને કુર્આનની તફસીર કરવામાં આવી છે. તેઓ મજકૂર તફસીરના મુકદ્દમા (પ્રસ્તાવના)માં લખે છે કે,

તેમાં (તફહીમમાં) મેં જે વાતનો પ્રયાસ કર્યો છે તે આ છે કે કુર્આન પઢીને જે મતલબ મારી સમજમાં આવે છે અને જે અસર મારા દિલ પર પડે છે તેને હૂબહૂ પોતાની ભાષામાં નકલ કરી આપું.(“દીની રુજહાનાત”, પેજ : ૬૪)

હાલાં કે ફકત પોતાની સમજ અને મત મુજબ કુર્આન પાકની તફસીર કરવાની હદીસ શરીફમાં સ્પષ્ટ શબ્દોમાં મનાઈ સાબિત છે અને તે પર વઈદ આવેલી છે…

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે,

જેણે પોતાની સમજ અને મતથી કુર્આનમાં કંઈ કહ્યું અને ખરું કહ્યું તો પણ એણે ભૂલ કરી.        (“તિર્મિઝી-અબૂ દાવુદ”)

બીજી હદીસમાં છે કે,         જે માણસ પોતાની સમજ દ્વારા કુર્આનની તફસીર કરે તેનું ઠેકાણું જહન્‍નમ છે.    (“મુસ્નદે અહમદ”, નિઝામ (માસિક), ઓકટોબર ૬ર માંથી)

તેઓ હદીસના સહીહ ઝઈફ હોવાની પરખના નિયમો (જેને ઈલ્મે ઉસૂલે હદીસ અથવા ઉસૂલે રિવાયત કહેવાય છે) ને ભૂતકાળની બકવાસ માને છે અને અત્યાર સુધીના મુહદ્દિસીન ઉલમાએ કિરામના મસ્લક વિરુધ્ધ કોઈ હદીસના સહીહ કે ઝઈફ હોવાની પરખ માટે પોતાની સમજ મુજબ તૈયાર કરેલી એક અલગ અને નવા જ નીતિ-નિયમને અનુસરે છે.

એ જ કારણે તેઓ કેટલીક એવી હદીસો કે જેને પહેલેથી લઈ અત્યાર સુધી ખવાસ અને અવામ બધાં જ સહીહ હદીસો માનતા આવ્યા, કયાં તો તેને હદીસે રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માનવાથી ઇન્કાર કરે છે અને કયાં તો તેને જૂઠ અને મોહમલ (અર્થહીન) ગપ માને છે. જુઓ, તેઓ લખે છે :

“ઉસૂલે રિવાયતને તો જતાં કરો કે આ નવીનીકરણના યુગમાં ભૂતકાળની  બકવાસ કોણ સાંભળે છે ?”

(“તર્જુમાનુલ કુર્આન” ભાગ ૧૪, અંક ર,”અહસનુલ ફતાવા” ૩/૩૧૪)

“રસાઈલો મસાઈલ” ભાગ : ૧, પેજ ર૧૭ પર એક પ્રશ્નનો જવાબ આપતાં લખે છે :-

“આપની નજરમાં દરેક એવી હદીસને હદીસે રસૂલ માની લેવી જરૂરી છે જેને મુહદ્દિસીને સનદની દ્રિષ્ટએ સહીહ બતાવી હોય પરંતુ અમારી નજરમાં એ જરૂરી નથી. અમે સનદના સહીહ                 હોવાની લાઝમી દલીલ સમજતા નથી.”

આગળ પેજ ર૧૮ પર લખે છે :  અમે એ નિયમની પાબંદી નથી કરી શકતા કે માત્ર ઇલ્મે રિવાયતથી પ્રાપ્ત થયેલી માહિતી પર પૂરેપૂરો વિશ્વાસ કરીને દરેક તે હદીસને અવશ્ય હદીસે રસૂલ માની લઈએ જેને મજકૂર ઇલ્મ વિદ્યાકળા દ્વારા સહીહ બતાવવામાં આવી હોય.

હદીસના વિષયની જાણીતી કિતાબોમાં “સહીહ બુખારી શરીફ”ના દરજાથી કોણ અજાણ છે ? ઉમ્મતે મુસ્લિમહનો સર્વમાન્ય ફેંસલો છે કે કુર્આન શરીફ પછી સહીહ હોવાની દ્રિષ્ટએ બધી કિતાબોમાં સર્વોપરી અને સવોત્તમ ઇમામ બુખારી (રહમતુલ્લાહિ અલયહ)ની “સહીહ બુખારી” છે, જેની દરેક હદીસને લખતાં પહેલાં ઈમામ બુખારી (રહમતુલ્લાહિ અલયહ) ગુસલ કરીને બે રકઅત નમાઝે ઇિસ્તખારહ પઢતા હતા. અને કોઈ હદીસને કબૂલ કરવા માટેની તેઓની શર્તો ઘણી જ સખત હતી.

શાહ વલીયુલ્લાહ સાહબ દહેલ્વી(રહમતુલ્લાહિ અલયહ) સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ શરીફ વિષે લખે છે :-

મુહદ્દિસીન એ વાત પર સહમત છે કે બુખારી અને મુસ્લિમની બધી જ મુત્તસિલ મફર્ૂઅ હદીસો વિના શંકાએ યકીની તોર પર સહીહ હદીસો છે અને તેના મુસિન્‍નફો (લેખકો) સુધી પહોંચતી સનદો મુતવાતિર છે. અને જે માણસ તેને કમઝોર અને હલકી માને તે બિદઅતી છે અને મુસલમાનોનો રસ્તો છોડીને તેઓથી વિરુદ્ઘ રસ્તે ચાલે છે.(“હુજજતુલ્લાહિલ બાલિગહ” પેજ ૧૩૩ મિસરી)

હવે સાંભળો કે એ જ સહીહ બુખારી શરીફની એક મર્ફૂઅ મુત્તસિલ સહીહ હદીસ જેમાં હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)ના પોતાની અવરત હઝરત સારાને બહેન કહેવાનો કિસ્સો છે. તેને મવદૂદી સાહબ માનવ સજર્િત ફેરફારવાળી બાઈબલનું મોહમલ ગપ માને છે. (અલ્લાહની પનાહ)

શું આવા લખાણોથી હદીસ શરીફની સહીહ કિતાબોના ભંડાર વિષે વાંચકોના દિલ અને દિમાગ પર એ અસર થયા વિના રહેશે ખરી કે આ કિતાબો પણ બદલાયેલી બાઈબલની જેમ સત્ય-જૂઠના ભેળસેળ ભંડારો છે.

જુઓ તેઓ લખે છે :-      “અને ત્રીજુ જૂઠ દર અસલ બની ઇસરાઈલનું જૂઠ છે.”

આગળ લખે છે :-             “રહ્યું ત્રીજાં જૂઠ તો તે દર અસલ એવા મોહમલ અફસાનાઓ (અર્થહીન ગપો) પૈકી એક છે કે જે બાઈબલમાં અમ્બિયા (અલયહિમુસ્સલામ)ના નામ પર ઉપજાવી કાઢવામાં આવ્યા છે.” (“રસાઈલ વ મસાઈલ” ર / ૩પ,૩૬ આવૃત્તિ બીજી)

મવદૂદી સાહબ ફુકહાએ કિરામે કુર્આન અને હદીસની બુનિયાદ પર વર્ણન કરેલા કાનૂનને ખુદાઈ કાનૂન માનવાથી ઈન્કાર કરે છે. બલ્કે તેને ગુમરાહી અને ઇસ્લામ ત્યાગનું કારણ બતાવે છે.

તેઓ પોતાની કિતાબ “હુકૂકુઝ્ઝવજૈન”માં લખે છે :-

“ફુકહાનો કાનૂન ઘણો જ સખત છે. અને તે પોતાની સખતીઓના                 કારણે ઓરતોની ઝિંદગીઓને તબાહ કરનાર, તેઓને દુર્ગુણોનું પૂતળું બનાવનાર અને મુર્તદ બનાવનાર છે. એટલે તે ખુદાનો કાનૂન નથી થઈ શકતો.” (“આઈનએ તહરીકે મવદૂદી સાહબ બ હવાલએ સિદ્ક”)

સૌ કોઈ જાણે છે કે “હિદાયહ”, “બદાઈઅ”, “શામી”, “કન્ઝુદ્દકાઈક” અને “આલમગીરી” વગેરે હન્ફી ફિકહની મશ્હૂર કિતાબો છે અને તેમાં કુર્આન અને હદીસની દલીલોના આધારે ઉસૂલી અને ફુરૂઈ મસાઈલ બયાન કરવામાં આવ્યા છે. તેમાં વર્ણન થયેલ મસાઈલ માત્ર મુજતહિદ ઇમામો (રહમતુલ્લાહિ અલયહ) અને ફુકહાએ કિરામના દિમાગોની ઉપજ અને તેઓએ પોતાની બુધ્ધિથી ઘડી કાઢેલા મસાઈલ નથી. અને હાલ તેજ કિતાબો દ્વારા મુસ્લિમોને માર્ગદર્શન મળે છે અને તેઓની અમલી જરૂરત સંતોષાય છે – પરંતુ મવદૂદી સાહબ આ જગ વિખ્યાત કિતાબો વિષે માને છે કે મજકૂર કિતાબો વર્તમાન યુગમાં કામ ન આપી શકે. બલ્કે તેઓ માને છે કે જો તેના જ અનુકરણનો આગ્રહ રાખીશું તો વિચિત્ર પરિણામ આવશે.

જુઓ તેઓ લખે છે :-      હું એ વાતનો પણ સખત મુખાલિફ છું કે ઉલમાએ કિરામ સમયની પ્રવૃત્તિઓથી વિમુખ થઈને બેસી જાય અને એ વાતને ભૂલી જાય કે તેઓ “હિદાયહ” અને “બદાઈઅ”ના લેખનકાળમાં જીવી રહ્યા નથી. બલ્કે નવી નવી સાયંટીફિક શોધો અને પૂરઝડપી સાંસ્કૃતિક પરિવર્તનોના યુગમાં રહે છે. હાલના સમયમાં દિન પ્રતિ દિન નવા મસાઈલનું ઉપિસ્થત થવું અનિવાર્ય છે. અને તે મસાઈલનો “હિદાયહ” અને “બદાઈઅ”ની રોશનીમાં ઉકેલ લાવવાનું પરિણામ એ સિવાય બીજું કંઈ નથી જેનો ભય પ્રશ્ન કર્તાએ પોતાના સવાલમાં જાહેર કર્યો છે.

માર્ગદર્શન માટે ઉલમાએ ઈસ્લામમાં ઉદાર દ્રિષ્ટ અને ઈજતિહાદી સ્પ્રીટની જરૂરત છે. ડગલેને પગલે (ફતાવા) “આલમગીરી”, અને (ફતાવા) “તાતારખાની”ને રજૂ કરીને રસ્તામાં અવરોધો ઊભા કરવાનું લાઝીમી પરિણામ એ આવશે કે નવયુગનો મુસલમાન કુર્આન અને હદીસને પડતાં મૂકીને જે બાજુ ધ્યાન કેન્દ્રિત થશે તે બાજુ ચાલી  નીકળશે.

(“તર્જુમાનુલ કુર્આન”, ઓગષ્ટ ૧૯૮૩, “કશ્ફે હકીકત”માંથી)

શરીઅતે ઇસ્લામીની પરિભાષાઓ, ઉસ્વહ, સુન્‍નત, બિદઅત વગેરેના જે ભાવાર્થો અને વ્યાખ્યાઓ આજ દિન સુધી મુસલમાનો સમજતા રહ્યા છે, મવદૂદી સાહબ તે ભાવાર્થો અને વ્યાખ્યાઓને ગલત બલ્કે તેથીય વધુ તેને દીનમાં વધઘટ અને ફેરફારનું કારણ માને છે.

જુઓ તેઓ લખે છે :-      હું ઉસ્વહ (આદર્શ, નમૂનો), સુન્‍નત અને બિદઅત વગેરે પરિભાષાઓના તે ભાવાર્થો ગલત બલ્કે દીનમાં તહરીફ (અર્થ પરિવર્તન)નું કારણ સમજાં છું, જે ભાવાર્થો આપ લોકોને ત્યાં સામાન્યત: પ્રચલિત છે.(“તર્જુમાનુલ કુર્આન”, મે ૧૯૪પ, “દીની રુજહાનાત” પેજ : રરર માંથી)

તબ્લીગી જમાઅત અને તેની ઉસૂલી કાર્ય પિધ્ધતનું લાભદાયી હોવું માત્ર એક સુવિચાર અને સૂત્રના દરજાની વાત નથી બલ્કે ખૂણે ખૂણે આંખો દેખી અને અનુભુત એક વાસ્તવિકતા છે. અને કોઈ પણ બુધ્ધિશાળી વ્યિકત એ હકીકતને નકારી શકે તેમ નથી કે તેમાં અકીદહ અને અમલની દ્રિષ્ટએ સંપૂર્ણ દીન પર પોતે ચાલવાની મહેનત કરવામાં આવે છે અને જિંદગીના દરેક ક્ષોત્રમાં ઈસ્લામી આદેશોને અપનાવવાની દઅવત આપવામાં આવે છે.

જુઓ જમાઅતે ઇસ્લામીના સ્થાપક મવદૂદી સાહબ મજકૂર જમાઅત પર કેટલી બધી આકરી અને ખરાબ ટીકા કરે છે. અને મવદૂદી જમાઅતના લીડરો પોતાની ખાનગી સમીક્ષામાં તેને કેટલા ભૂંડા રંગ રૂપમાં રજૂ કરે છે.

મવદ

Log in or Register to save this content for later.