[ર] દરેક સ્થળે અલ્લાહ તઆલાના મવજૂદ હોવાનો મતલબ

Chapter : અલ્લાહ સુબ્હાનહૂ વ તઆલા

(Page : 70 to 71)

સવાલ  :  અલ્લાહ પાક દરેક જગ્યાએ છે એમ આપણે માનીએ છીએ જે બેશક બરાબર છે. જુગારખાનામાં, દારૂખાનામાં, મૂતરડીમાં, ટુંકમાં ગંદા સ્થળોએ અલ્લાહ પાક હોય છે કે નહિં ? મારા માનવા મૂજબ તો ગંદા સ્થળોએ શયતાનનો વાસ રહે છે અને સારા સ્થળોએ અલ્લાહ પાક હોય છે જે બરાબર છે કે નહિં ?

જવાબ : દરેક વસ્તુ અને દરેક સ્થળ અલ્લાહ તઆલાની નજર સમક્ષા અને દેખરેખ તથા વ્યવસ્થા હેઠળ છે અને અલ્લાહ તઆલાના ઇલ્મે મુહીત (વિશાળ ઇલ્મ)ના વર્તુળમાં શામિલ છે.

                ઉપરોકત હકીકત મુજબ અલ્લાહ તઆલાને દરેક જગ્યાએ મવજૂદ કહેવામાં અને માનવામાં આવે છે-માટે કોઈ પણ સ્થળના અલ્લાહ તઆલાની નજર સમક્ષા હોવામાં સારા અને ગંદા સ્થળમાં તફાવત માનવો દુરુસ્ત નથી અને અલ્લાહ તઆલાના મવજૂદ હોવાને મખ્લૂકના કોઈ સ્થળે મવજૂદ હોવાની રીત અને ઢબ પર અનુમાન કરવું જાઈઝ નથી. અલ્લાહ તઆલાના મવજૂદ હોવાની રીત અને કયફિય્યત શું છે ?તે આપણી જાણ સમજથી બહારની વસ્તુ છે એ પ્રમાણે એઅ્તિકાદ રાખવો જરૂરી છે.                    (“શર્હે ફિકહે અકબર”: ૪૧, “નિબરાસ” :૧૭૬)

Log in or Register to save this content for later.