[૯૧] દાવૂદી વહોરાના અકીદાઓ ગૈર ઈસ્લામી છે

Chapter : ફિર્કા

(Page : 240 to 242)

સવાલ : હું દાવૂદી વહોરા છું.

(૧)     અમારા મોટા માણસ સિય્યદ મુહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ છે.

                તેઓ ઝકાતના રૂપિયા જમા કરે છે. પણ હિસાબ આપતા નથી.

(ર)     અગર કોઈ વહોરો મરી જાય તો તેઓ હક્કુન્‍નફસના નામે અલ્લાહ

                તઆલા પર ચિઠ્ઠી લખી આપે છે કે આ ભાઈને જન્‍નતમાં સારી

                જગા આપશો. તેમજ આ ચિઠ્ઠીના રૂપિયા ૩૦૦૦ થી માંડીને

                પર૦૦૦ રૂપિયા રોકડા લે છે. અને તેટલી જ રકમ ૬ (ફૂટ)×ર

                (ફૂટ)ની કબર માટે લે છે. આ બન્નેની રસીદો આપતા નથી.

(૩)     સિય્યદ સાહબ મહિલાઓ પાસે પોતાના હાથ-પગ ચૂમાવે છે.

                એટલું જ નહિ, તેમના યુવાન દીકરાઓ-સગાવ્હાલાઓ પણ

                મહિલાઓ પાસે હાથ-પગ ચૂમાવે છે.

(૪)     સિય્યદના સાહેબ ધરતી પરના ખુદા હોવાનો દાવો કરેછે અને હિસાબ

                આપવા બંધાયેલા નથી તેવો દાવો કરે છે.

(પ)    સિય્યદના સાહેબે હિજરી ૧૪૧ર ના કેલેન્ડરમાં અલ્લાહ પછી

                પોતાની જાતને (ફોટા સાથે) અને તે પછી હઝરત મુહમ્મદ

                પયગમ્બર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બતાવ્યા હતા તો

                ઇસ્લામમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું

                અપમાન કરનારને શું સજા કરવી જોઈએ ?

(૬)     સિય્યદના સાહેબ સૈફી મહેલ તથા બદરી મહેલ ખાતે પોતાના

                કુટુંબીજનો સાથે રહે છે. જે દઅવતે હાદિયહ પ્રોપટર્ીઝ ટ્રસ્ટની

                મિલ્કતો છે જેની િકમત કરોડો રૂપિયા છે તેનાથી ટ્રસ્ટને કંઈ

                આવક નથી. ઉપરથી ટ્રસ્ટના ફંડમાંથી રૂપિયા ૭૦ થી ૮૦ લાખનો

                ખર્ચ રસોડા, મોટર, ઘર, સેક્રેટરી ખચર્ાઓ વગેરેમાં વાપરે છે.

                આ ટ્રસ્ટમાં ઝકાત, ફિતરા, કફફારાત, ગલ્લાઓની આવકો જમા થાય

                છે. ઇસ્લામમાં ટ્રસ્ટની અમાનતોને હજમ કરનારાઓ માટે શું

                વ્યવસ્થા છે ?

(૭)     સિય્યદના સાહેબ પોતાના અનુયાયીઓ દ્વારા સુઘારકો (જે વહોરાઓ

                કોમમાં લોકશાહી વહીવટનો તેમજ ચેરીટેબલ આવકનો હિસાબ

                માંગે છે)ના મોત ઉપર ખૂશી મનાવવાનું કહે છે તેમજ તેમના

                મિય્યતો પર પથ્થરબાજી પણ કરાવે છે. ઇસ્લામમાં આવા શૈતાની

                કાર્યો કરનાર માટે શું વ્યવસ્થા છે ?

જવાબ : નંબર એકથી સાત સુધી તમોએ જે વાતો મુલ્લા બુરહાનુદ્દીન વિષે લખી છે, તેનો ઇસ્લામ સાથે કોઈ સંબંધ નથી, બલ્કે અમુક વાતો તો કુફ્રની હદ સુધી પહોંચેલી છે.

૦      ઝકાતનો હુકમ અને હકદારો,

૦      અલ્લાહ તઆલા ઉપર કોઈને હુકમ, ભલામણની સત્તા ન હોવી,

૦      પોતાના માટે ખુદાઈના દાવાનું કુફ્ર અને શિર્ક હોવું અને એ દાવાનું ફિરર્થાની દાવો હોવું ,

૦      પરાઈ ઓરતોથી બેપર્દગી કરાવવી અને તેઓથી પોતાના હાથ-પગ ચૂમાવવા,

૦      પોતાની તસ્વીર છપાવવી અને તેને  મુબારક નામો સાથે છપાવવી,

૦      હકદારો અનેગરીબોનો હક મારીને ઝકાત, ફિતરા, કફફારાની રકમ              પોતાના અને પોતાના કુટુંબના ઉપયોગમાં લેવી,

૦      મુસલમાનની મૌત ઉપર ખૂશી મનાવવી અને તેની મિય્યત ઉપર                પથ્થરબાજી કરાવવી,       આ બધા જ કૃત્યો ઇસ્લામ અને કુર્આન-હદીસ વિરુદ્ઘ છે.

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ ઉમ્મતમાં ૭૩ ફિર્કોઓ થવાની આગાહી ફરમાવી છે અને તે મુજબ આજે ઉમ્મતમાં અનેક ફિર્કોઓ  બની ચૂકયા છે. ત્યારે દરેક સાચા મુસલમાને કુર્આન અને સહીહ હદીસોનો અભ્યાસ કરી અને હદીસમાં બતાવવામાં આવેલ માત્ર એક નજાત પામનાર ફિર્કોની ઓળખ હાસિલ કરી તે નજાત પામનાર ફિર્કોમાં શામિલ થવું. અને કુર્આન-હદીસ વિરુદ્ઘ અને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈનની પવિત્ર જમાઅતના તરીકા વિરુદ્ઘ અકીદાઓ અને તરીકાઓ ઉપર ચાલતા ગુમરાહ ફિર્કોઓથી પોતાની જાતને બચાવવી અત્યંત જરૂરી છે.

Log in or Register to save this content for later.