[૯૦] આગાખાની ફિર્કહના અકાઈદ અને તેની નમાઝે જનાઝહ

Chapter : ફિર્કા

(Page : 238 to 240)

સવાલ  : ખોજા આગાખાની મુસલમાન છે કે નહિ ?

                અને તેની જનાઝહની નમાઝ પઢી શકાય કે નહિ ?

                મૃત્યુ પામેલ ખોજા આગાખાની માટે અલ્લાહ તઆલાથી

                દુઆ માંગી શકાય કે નહિ ?

જવાબ  : સર્વ પ્રથમ એ હકીકત જાણી લેવી જોઈએ કે જો કોઈ માણસ (મઆઝલ્લાહ) :

૦      કોઈ ઇમામ અને ખલીફાને અલ્લાહ તઆલાનો અવતાર માને અથવા

૦      કોઈ ઇમામને મઅબૂદ માને અથવા

૦      કોઈ એમ માને કે વહી લાવવામાં હઝરત જિબ્રઈલ

                (અલયહિસ્સલામ)થી ભૂલ થઈ ગઈ છે, અસલમાં તો આખરી

                નુબુવ્વતની વહી હઝરત અલી (રદિયલ્લાહુ અન્હુ)ની પાસે લઈ

                જવાની હતી અથવા

૦      હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ)ની ખિલાફતનો ઇન્કાર કરે

                અથવા

૦      ઉમ્મુલ મુઅમિનીન હઝરત આઈશહ (રદિયલ્લાહુ અન્હા) પર

                ઝિનાની તોહમત લગાવે અથવા

૦      હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્હુ)ના સહાબી હોવાનો ઇન્કાર કરે,

                અથવા

૦      અલ્લાહ તઆલાની સિફતોમાંથી કોઈ સિફતનો ઇન્કાર કરે

                તો એવો માણસ કાફિર છે અને એવા માણસ પ્રત્યે કાફિરના હુકમો લાગુ પડશે. (“આલમગીરી” ર/ર૬૪, “બઝાઝિય્યહ” ૩/૩૧૮, “શામી” ૧/૩૭૭)

                હવે જોઈએ આવા કુફ્રિયહ અકીદાઓ આગાખાની જમાઅતના માણસોમાં છે કે નહિ ? તો એ બાબત હઝરત મૌલાના થાનવી (રહ.)એ પોતાના એક રિસાલામાં ખુદ આગાખાની જમાઅતના છપાવેલા જમાઅતી સાહિત્યના આધારે એ વાત સાબિત કરી છે કે આગાખાની જમાઅત ઇમામને અલ્લાહ તઆલાનો અવતાર અને મઅબૂદ માને છે.    (“બવાદિર” : ૭૪૧)

                હઝરત મુજદ્દિદે અલ્ફેસાની (રહ.) ઇસ્માઈલી જમાઅત વિશે નકલ કરે છે કે,

                તે કુર્આનની હરામ ચીઝોને હલાલ માને છે અને કહે છે કે હામિલે શરીઅત પયગમ્બર સાત છે.

(૧)     હઝરત આદમ (અલૈ.),         (ર)   હઝરત નૂહ (અલૈ.),

(૩)     હઝરત ઇબ્રાહીમ (અલૈ.),      (૪)  હઝરત મૂસા (અલૈ.),

(પ)    હઝરત ઈસા (અલૈ.),            (૬)  હઝરત મુહમ્મદ (સલ.),

(૭)     હઝરત મુહમ્મદ મહ્દી (રદિ.)ને પણ રસૂલ માને છે.

                શરીઅતના હુકમોમાં શંકાઓ પૈદા કરે છે તાકે હુકમોને બેકાર ઠરાવે અને એમ પણ કહે છે કે,

                ખુદા ન મવ્જૂદ છે ન મઅ્દૂમ,

                ન આલિમ છે ન જાહિલ,

                ન કાદિર છે ન આજિઝ.   (“તાઈદે અહલે સુન્‍નત” પેજ : ૧પ / ૧૭)

                ઉપરોકત બધી માન્યતાઓ એવી છે કે જેનાથી માણસ કાફિર થઈ જાય છે. અને આગાખાની ઇસ્માઈલી જમાઅતના લોકો તેઓના જમાઅતી સાહિત્યના આધારે આવી માન્યતાઓ ધરાવે છે. માટે ઉપરોકત વિગત મુજબ તેઓને મુસલમાન ન કહી શકાય અને તેઓની જનાઝહની નમાઝ પઢવી અને તેઓના મુર્દાઓ માટે દુઆએ મગફિરત કરવી પણ જાઈઝ નથી.

                અલબત્ત,જો કોઈ માણસ રિશ્તેદારીની દ્રિષ્ટએ આગાખાની બિરાદરીમાંથી હોવા છતાં પોતાની જમાઅતના અકાઈદનો મુખાલિફ હતો અને અહલે સુન્‍નત વલ જમાઅતના અકીદાઓ માનતો હતો તો તેવા આગાખાની માણસની નમાઝે જનાઝહ પઢી શકાય છે અને તેના માટે દુઆએ મગફિરત પણ કરી શકાય છે. (“શામી” : ૧)

Log in or Register to save this content for later.