[૯ર] શીઅહ સુન્‍ન બની શકે છે

Chapter : ફિર્કા

(Page : 242 to 243)

સવાલ  : એક ઉમર નામનો માણસ શીઅહ જમાઅતના અકાઈદ મુજબ પોતાનો ધર્મ પાળે છે પણ હવે તે પોતાની રાજીખૂશીથી અહલે સુન્‍નત વલ જમાઅત અને હનફી પંથ મુજબ રહેવા માંગે છે તો એ દુરુસ્ત છે કે કેમ ?

જવાબ  : શીઅહ પંથના અકાઈદ માનનાર માણસ પોતાના હાલના અકાઈદથી તવબહ કરી અને તેનાથી અલગ થવાનું એલાન કરી અહલે સુન્‍નત વલ જમાઅત હનફી મસલકમાં શામિલ થઈ શકે છે. બલકે જરૂરી છે કે મજકૂર માણસ શીઅહ પંથના ગલત અકાઈદથી તવબહ કરી કલિમએ શહાદત પઢી અહલે સુન્‍નત વલ જમાઅતના અકાઈદ અપનાવી    “ફિરકએ નાજિયહ”માં શામિલ થાય અને પરિણિત હોય તો પોતાના નિકાહ પણ ફરીવાર પઢે કારણ કે શીઅહ પંથના અમુક અકાઈદ એવા ગુમરાહીભર્યા છે કે તેવા અકાઈદ માનનાર માણસ મુસલમાન રહી શકતો નથી. (“શામી” : ૩ / ર૮૬)

Log in or Register to save this content for later.