Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 144 to 149)
સવાલ : લગભગ ચારેક મહિના પહેલાં એક બયાનમાં એક હદીસ શરીફ સાંભળેલ ત્યારથી દિલમાં અનેક સવાલો પેદા થયેલ છે તો આપથી વિનંતી છે કે મારી આ મૂંઝવણ દૂર કરશો.
હદીસ શરીફનો મફહૂમ (ભાવાર્થ) એ છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,
“હે લોકો સબ્રની દુઆ ન માંગ્યા કરો, તમો સબ્ર માંગી મુસીબતને પોતે બોલાવો છો.”
આ હદીસ સાંભળી ત્યારથી મનમાં સવાલ થાય છે કે આ હદીસ મોઅતબર (વિશ્વાસપાત્ર) છે કે નહિ ? કારણકે ઘણી દુઆઓમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સબ્રની દુઆ પણ માંગી છે અને કુર્આન શરીફમાં પણ અય્યૂબ (અલૈ.)ની સબ્રની દુઆ આવેલ છે. મતલબ એ છે કે આપણે સબ્રની દુઆ માંગવી કે નહિ ?
જવાબ : ખરેખર કુર્આન મજીદમાં અને હદીસ શરીફમાં સબ્રની દુઆ અને સબ્ર કરવાનો હુકમ અને તેની ફઝીલત પણ સાબિત છે અને એક હદીસમાં સબ્ર માંગવાની મનાઈ પણ સાબિત છે. કુર્આન મજીદની ઘણી આયતોમાં સબ્રની દુઆ અને હુકમનું વર્ણન છે.
یَا أَیُّہَا الَّذِیْنَ آمَنُواْ اسْتَعِیْنُواْ بِالصَّبْرِ وَالصَّلاَۃط(سورۃالبقرۃ، آیت153)
અર્થ : હે ઈમાનવાળાઓ સબ્ર અને નમાઝથી મદદ પ્રાપ્ત કરો.
وَلَمَّا بَرَزُواْ لِجَالُوتَ وَجُنُودِہِ قَالُواْ رَبَّنَا أَفْرِغْ عَلَیْنَا صَبْراً(سورۃالبقرۃ، آیت:250)
અર્થ : અને જ્યારે તાલૂત (અલૈ.) અને તેઓના મોઅમિન સાથીઓ જાલૂત (બાદશાહ) અને તેની ફોજોની સામે મેદાનમાં આવી ગયા તો તેઓ (દુઆ કરતાં) કહેવા લાગ્યા કે,
“હે અમારા રબ અમારી ઉપર સબ્ર નાઝિલ ફરમાવો.”
یَا أَیُّہَا الَّذِیْنَ آمَنُواْ اصْبِرُوا (سورۃاٰل عمران ، آیت؛200)
અર્થ : હે ઈમાનવાળાઓ સબ્ર કરો.
فَاصْبِرْ عَلَى مَا يَقُولُونَ(سورۃ طٗہٗ آیت :130)
અર્થ : આપ તેઓની (કુફ્રિયહ) વાતો ઉપર સબ્ર કરો.
આ સિવાય પણ ઘણી આયતોમાં સબ્રની દુઆ તથા ફઝીલત અને હુકમ સાબિત છે. હદીસ શરીફથી પણ સબ્રની દુઆ અને ફઝીલત સાબિત છે. બુખારી અને મુસ્લિમ શરીફની એક હદીસમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે,
“જે માણસ અલ્લાહ તઆલાથી સબ્રની તવફીક તલબ કરશે (અથવા સબ્ર કરવામાં પડતી તકલીફોને સહન કરશે) તો અલ્લાહ તઆલા તેના માટે સબ્રને આસાન ફરમાવી આપશે અને કોઈ માણસને અલ્લાહ તઆલા તરફથી એવી કોઈ વસ્તુ અર્પણ નથી થતી, જે સબ્રથી વધારે બેહતર અને વિશાળ હોય.” (“મિરકાત શર્હે મિશકાત” ૪ / ૧૭૬ )
મસ્નૂન દુઆઓની કિતાબ “મુનાજાતે મકબૂલ”ની ત્રીજી મંઝિલમાં છે કે :
“અલ્લાહુમ્મજ્અલ્ની સબૂરન”
હે અલ્લાહ મને સબ્રવાળો બનાવી દે.
તિરમિઝી શરીફની એક હદીસમાં છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક માણસને આ પ્રમાણે કહેતાં સાંભળ્યા કે,
“હે અલ્લાહ હું તારાથી સબ્ર માંગું છું.”
તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તે માણસથી ફરમાવ્યું કે, “તમો તો અલ્લાહ તઆલાથી બલા-મુસીબત માંગી રહ્યા છો માટે તમો અલ્લાહ તઆલાથી (તમામ આફતો અને બલાઓથી) આફિયત માંગો.” (“મિશ્કાત શરીફ”)
આ હદીસથી માલૂમ પડે છે કે સબ્રની દુઆ માંગવી મના છે. જ્યારે કે ઉપર નકલ કરવામાં આવેલ આયતો અને હદીસથી સબ્રની ફઝીલત અને દુઆનું જાઈઝ હોવું બલ્કે ઈચ્છનીય હોવું સાબિત થાય છે.
માટે જાહેરમાં આ હદીસોમાં વિરોધાભાસ જેવું લાગે છે, પરંતુ ખરેખર બંને પ્રકારની હદીસોમાં કોઈ વિરોધાભાસ નથી કારણકે જયારે માણસ ઉપર કોઈ આફત-મુસીબત ન હોય તો તે વખતે સબ્ર માંગવાની મનાઈ છે અને જયારે માણસ ઉપર કોઈ આફત આવી પડે તે વખતે સબ્ર માંગવાની મનાઈ નથી, બલ્કે તે વખતે સબ્ર માંગવું મુસ્તહબ છે. જેમકે ઉપર નકલ કરવામાં આવેલ કુર્આની આયતોથી સાબિત થાય છે. (“મિરકાત” પ / ર૦૮)
મજકૂર વિરોધાભાસને આ પ્રમાણે પણ દૂર કરવામાં આવ્યો છે કે સબ્રના બે દરજા છે. એક દરજો તો આ છે કે ઈન્સાનમાં એવી સહનશિકત પેદા થઈ જાય કે જો કોઈ આફત-મુસીબત આવી પડે તો તેને વેઠી શકે અને તે વખતે લોકો સામે ગભરામણ જાહેર ન કરે અને લોકોથી પોતાની મુસીબતોની ફરિયાદ ન કરે અને માણસના સ્વભાવમાં આવી છૂપી સહનશિકત અને સદગુણનું પેદા થવું કોઈ આફત આવવા ઉપર મોકૂફ નથી, આફત આવ્યા વગર પણ આવી શિકત ઈન્સાનના સ્વભાવમાં અસ્તિત્વ પામી શકે છે. માટે પોતાના સ્વભાવમાં આવી સહનશિકત પેદા થવાના અર્થમાં સબ્રની દુઆ માંગવી એ આફત માંગવા સમાન નથી અને એવી દુઆ મના પણ નથી, બલ્કે એવી સહનશિકત પ્રાપ્ત થવાની દુઆ માણસે માંગવી જોઈએ ચાહે તેના ઉપર કોઈ આફત હોય કે ન હોય. કારણકે આવા સબ્ર-સદગુણનું ઈન્સાનમાં પેદા થવું મતલૂબ અને ઈચ્છનીય છે અને એ જ અર્થમાં,
“અલ્લાહુમ્મજ્અલ્ની સબૂરન”
[હે અલ્લાહ ¦ મને સબ્રવાળો બનાવી દે ¦]
દુઆ મસનૂન દુઆઓમાં શામિલ છે.
અને સબ્રનો બીજો દરજો એ છે કે મજકૂર સહનશિકતને કામે લગાડવામાં આવે અને તેને અમલમાં મૂકવામાં આવે અને જાહેર વાત છે કે સહનશિકતને અમલમાં મૂકવા માટે કોઈ આફતનું ઉપિસ્થત હોવું જરૂરી છે. એટલે સહનશિકતને કામે લગાડવાની દુઆ કરવાનો મતલબ એ થયો કે માણસ આફતને આમંત્રણ આપી રહ્યો છે. માટે આ અર્થમાં સબ્રની દુઆ માંગવી મના છે અને આ અર્થમાં સબ્રની દુઆ કરવાથી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મનાઈ ફરમાવી છે. ખુલાસો એ કે પોતાની જાતમાં સહનશિકતનો સદગુણ પેદા થવાના અર્થમાં સબ્રની દુઆ માંગવી હર હાલતમાં જાઈઝ, બલ્કે ઈચ્છનીય અને મુસ્તહબ છે અને કોઈ આફત આવતાં પહેલાં પોતાની સહનશિકતને કામે લગાડવાના અર્થમાં સબ્રની દુઆ માંગવી મના છે. (“ઈમ્દાદુલ ફતાવા” ૪ / ૪૯૭)
વળી મજકૂર વિરોધાભાસ સબ્રની વ્યાખ્યા અને તેના પ્રકાર જાણવાથી પણ દૂર થઈ શકે છે.
સબ્રનો શાબ્દિક અર્થ કોઈ વસ્તુને રોકવા અને બાંધવાનો થાય છે અને કુર્આન-હદીસની પરિભાષામાં પોતાના નફસને તબીઅત (સ્વભાવ) વિરુદ્ઘ વસ્તુઓ ઉપર જમાવી રાખવાને સબ્ર કહેવાય છે અને તેના ત્રણ પ્રકાર છે.
(૧) સબ્ર અલત્તાઅત :
એટલે કે અલ્લાહ તઆલાએ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જે કામો કરવાનો હુકમ આપ્યો છે, નફસને તે કામોનો પાબંદ રાખવો અને તેને કરવા બંધન કરવો. ચાહે તે કામોની પાબંદી તબીઅતને ગમે તેટલી સખત લાગે.
(ર) સબ્ર અનિલ્ મઆસી :
એટલે કે અલ્લાહ તઆલાએ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જે વસ્તુઓની મનાઈ ફરમાવી છે તે વસ્તુઓથી નફસને રોકવો. ચાહે તે ગમે તેટલી મનભાવતી અને મનગમતી હોય.
(૩) સબ્ર અલલ્ મસાઈબ :
એટલે કે મુસીબત અને તકલીફ ઉપર સહનશીલતાથી કામ લેવું, હદથી વધારે પરેશાન ન થવું અને બધી તકલીફ અને રાહતને અલ્લાહ તઆલા તરફથી સમજીને નફસને બેકાબૂ થવાથી બચાવવો. (“મઆરિફુલ કુર્આન”ર / ૭૪)
જાહેર વાત છે કે પહેલા અને બીજા પ્રકારની સબ્રની દરેક માણસને કાયમી જરૂરત છે,કારણકે આજ્ઞાઓના પાલનની અને ગુનાહોથી બચવાની હરહંમેશ જરૂરત છે અને ત્રીજા પ્રકારની સબ્રની જરૂરત જયારે કોઈ મુસીબત અને આફત આવે ત્યારે પડે છે. માટે પહેલા અને બીજા પ્રકારની સબ્રની દુઆ તો હરહંમેશ કરવી જોઈએ અને ત્રીજા પ્રકારની સબ્રની દુઆ જયારે કોઈ મુસીબત આવી પડે ત્યારે કરવી જોઈએ, તેથી પહેલાં ત્રીજા પ્રકારની સબ્રની દુઆ કરવાની હદીસમાં મનાઈ છે.
ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.