Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 136 to 137)
સવાલ : એક સનદી આલિમ તકરીર કરી રહ્યા છે. આજે અત્યારે લોકો પર પરેશાનીઓ આવવાનો સબબ એ છે કે અલ્લાહ તઆલાના અહકામ અને હઝરત આકાએ નામદાર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના તરીકાનો ત્યાગ કરી દેવામાં આવ્યો છે અને આ બિલ્કુલ સાચી વાત છે.
મજકૂર સનદી આલિમ તકરીરમાં આ પ્રમાણે કહે છે કે અત્યારે આપણે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તરીકાનો જનાઝો કાઢી નાંખ્યો છે. આવા શબ્દો એક સનદી આલિમ બોલી શકે કે કેમ ? અને દુઆમાં :
યા અલ્લાહ તારા અહકામો તોડયા, તારા નબીના તરીકાનો જનાઝો કાઢી નાંખ્યો,યા અલ્લાહ અમારો ઝુલ્મ માફ કર. આ શબ્દો બોલી શકે કે કેમ ?
જવાબ : ઉપરનો મઝમૂન કુર્આન અને હદીસ શરીફથી સાબિત છે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તરીકાનો જનાઝો કાઢવો એવા શબ્દોનો અર્થ એ થાય છે કે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી અમલ કરવાના જે તરીકાઓ આપણને પહોંચ્યા છે તે તરીકાઓનો આપણે અમલમાં ત્યાગ કરી આપ્યો અને એવા શબ્દો તકરીરમાં કે દુઆમાં બોલવામાં કોઈ વાંધો કે ગુનોહ નથી.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી આપના બતાવેલા દીનના તરીકાઓને અમલમાં અપનાવવાને અને ઝુબાનથી લોકોને બતાવવાને “ઇહયાઅ” (જિંદગી આપવા)ના શબ્દથી ફરમાવવું સાબિત છે. એવી જ રીતે અમલમાં તે તરીકાઓનો ત્યાગ કરવાને “ઇમાતત” (મારી નાખવા)ના શબ્દથી ફરમાવવું સાબિત છે. (“મિશકાત”-૩૦ / “મિરકાત” ૧ / ર૪પ)
ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.