Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 133 to 136)
સવાલ : હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નઅલૈન મુબારકથી બરકત હાંસલ કરવા વિષે હદીસ અથવા બૂઝૂગૌંનું શું મંતવ્ય છે ?
અને નઅલૈન શરીફની તસવીર અને નકશાથી લોકો બરકત હાંસલ કરી શકે કે નહિ ?
એ વિષે ટૂંકમાં સમજ આપશો.
જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ છોડેલી આધારભૂત વસ્તુઓથી બરકત હાંસલ કરવી, તેનાથી મહોબ્બત કરવી એ જાઈઝ બલ્કે મુસ્તહબ છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી મહોબ્બત અને અકીદતની નિશાની છે.
સહીહ બુખારી શરીફ, સહીહ મૂસ્લિમ શરીફ અને હદીસની અન્ય કિતાબોમાં એવી અનેક ઘટનાઓ છે કે સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)એ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વસ્તુઓ બરકત માટે લીધી અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓને અતા ફરમાવી. (“અશરફુલ્ જવાબ”)
માટે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અસલી નઅલ મુબારકથી બરકત હાંસલ કરવી મતલૂબ અને મુસ્તહબ છે, પરંતુ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અસલી નઅલ મુબારક પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને આજકાલ નઅલ મુબારકની તસવીર અને નકશો છપાવી તેની સાથે અસલી નઅલ મુબારકથી બરકત પ્રાપ્ત કરવા અને મુહબ્બત રાખવા જેવો વર્તાવ કરવામાં આવે છે અને અસલી નઅલ મુબારક જેવી તેના નકશાની ફઝીલત સમજવામાં આવે છે, એ જાઈઝ અને દુરુસ્ત નથી.
હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહબ (રહમતુલ્લાહિ અલયહ) પોતાના એક જવાબમાં આ બાબતની તફસીલથી છણાવટ કરતાં લખે છે કે,
આં હઝરત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની બા બરકત, પવિત્ર, યાદગાર વસ્તુઓથી બરકત હાંસલ કરવી તો પૂર્વજ ઉલમાએ કિરામ, સહાબા અને તાબિઈન (રદિયલ્લાહુ અન્હુમ)થી સાબિત છે, પરંતુ પુરાણી યાદગારો અને બરકતવાળી વસ્તુઓથી એવી વસ્તુઓ મુરાદ છે કે જેના વિષે એ વાત સાબિત હોય કે તે હુઝૂરે અનવર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વાપરેલી વસ્તુઓ છે. (જેમ કે જુબ્બા મુબારક અથવા કમીસ મુબારક અથવા નઅલ મુબારક) અથવા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પવિત્ર શરીરના અંગો (જેમ કે બાલ મુબારક) અથવા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પવિત્ર શરીર સાથે સ્પર્શ થયેલી વસ્તુઓ છે, (જેવી રીતે પથ્થર કે જેની ઉપર કદમ મુબારક મૂકવાથી કદમનું નિશાન બની ગયું હોય), પરંતુ આ વસ્તુઓમાંથી કોઈ વસ્તુની તસવીર અને નકશો બનાવીને તેનાથી બરકત હાંસલ કરવી એ વિશ્વસનીય અને અહલે તહકીક ઉલમાએ કિરામથી સાબિત નથી.
જો (કોઈ બાબરકત વસ્તુની) તસવીરથી બરકત હાંસલ કરવી પણ દુરૂસ્ત હોય તો પછી એ નઅલ મુબારક સાથે ખાસ નહિ રહે, બલ્કે જુબ્બા મુબારક, કુર્તા શરીફ, બાલ મુબારક અને કદમ શરીફની કાગળ ઉપર તસવીર બનાવવાનો અને તેનાથી બરકત અને વસીલો પ્રાપ્ત કરવાનો હુકમ અને નઅલ મુબારકના નકશાથી બરકત અને વસીલો પ્રાપ્ત કરવાનો હુકમ એક સરખો અને બરાબર રહેશે અને શરીઅતનો એક માહિર અને વર્તમાન યુગના લોકોના વિચારોનો માહિતગાર એના (ખરાબ) પરિણામોથી અજાણ નથી રહી શકતો, જે બૂઝૂગૌંએ નઅલ મુબારકના નકશાને માથા ઉપર મૂકયો, તેને ચુંબન આપ્યું, તેને વસીલો બનાવ્યો, તો આ કામો તેઓના વિજદાની (અંત: પ્રેરણા આધારિત) અને નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સાથેની અંતિમ મુહબ્બતના કારણે કરેલા ગેર ઈિખ્તયારી કૃત્યો છે, લોકો માટે હુકમને સામાન્ય બનાવવા અને તેઓને શરઈ હુકમ બતાવવા માટે આવા કૃત્યોનો દલીલ રૂપે ઉપયોગ કરવો દુરુસ્ત નથી.
વળી આ વાતનો પણ કોઈ સુબૂત નથી કે નઅલ મુબારકનો આ (છપાયેલો) નકશો હકીકતમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નઅલ મુબારકની સહીહ તસવીર છે, એટલે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નઅલ મુબારકની દરમ્યાની પટ્ટીના મધ્યમાં અને આગળની પટ્ટીઓ ઉપર આ જ પ્રમાણે ફૂલ બુટટી બનેલા હતા. જે પ્રમાણે નકશામાં બનેલા છે અને કોઈ સબૂત વગર હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ (વર્તમાન નઅલૈનની) સૂરત અને આકારની નિસબત કરવી ઘણી ભયાનક બાબત છે, (કારણ કે) એ વાતનો અંદેશો છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના આ ફરમાનના કે,
“જેણે મારી તરફ નિસબત કરીને કોઈ વાત જૂઠી ઘડી તે
જહન્નમમાં પોતાનું ઠેકાણું બનાવી લે.”
ના સામાન્ય ભાવાર્થમાં શામેલ ન થઈ જાય, કારણ કે આ (પ્રચલિત) આકાર સાથે તેને હઝરત મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નઅલનો નમૂનો ઠેરવવાનો જાહેર મતલબ તો આ જ છે કે તેને નમૂનો ઠરાવનાર એ વાતનો દાવો કરે છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ પ્રમાણેની નઅલનો ઉપયોગ ફરમાવ્યો હતો કે જેની પટ્ટીઓ અને આગલા છેડાઓ ઉપર ફૂલ બનેલા હતા અને આ પ્રમાણેનું નકશીકામ પણ હતું.
પછી આ સવાલ પણ ઉપસ્થિત થશે કે આ નકશો નિગાર રેશમથી બનાવવામાં આવ્યા હતા અથવા સોના-ચાંદીના તારથી બનેલા હતા અથવા માત્ર છાપકામ હતું અને આ બધી વાતોમાંથી કોઈ એકનો પણ સબૂત નહિ મળે અને વિવિધ ઈચ્છાઓના આધારે જુદા જુદા હુકમ લગાડી દેવાશે.
સારાંશ કે તસવીરને અસલ વસ્તુનું સ્થાન આપવું અને તેની સાથે અસલ વસ્તુ જેવો વર્તાવ કરવો શરીઅતના હુકમોથી સાબિત નથી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની (અસલ) નઅલ મુબારક જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કદમ મુબારકથી સ્પર્શ પામી હોય, જો તે કોઈને મળી જાય તો મુબારકબાદી પાત્ર તેની ખૂશ કિસ્મતી ગણાય (અને) તેને ચુંબન આપવું, માથે મૂકવી બધું દુરૂસ્ત ગણાય, પરંતુ નઅલની તસવીર અને તે પણ એવી તસવીર જેના અસલ સમાન હોવાની કોઈ દલીલ પણ નથી, તે અસલ નઅલ મુબારકનું સ્થાન નથી લઈ શકતી. (“કિફાયતુલ મુફતી” ર/પ૯)
અત્રે એ વાત પણ યાદ રાખવી ઘટે કે ચાહે નઅલ મુબારકના નકશા સાથે બરકત અને વસીલો પ્રાપ્ત કરવાની દ્રિષ્ટએ અસલી નઅલ મુબારક જેવો વર્તાવ કરવો દુરુસ્ત નથી, પરંતુ એનો મતલબ એ પણ નથી કે નઅલ મુબારકના સંભવિત નકશાની બેઅદબી અને ઈહાનત કરવામાં આવે, બલ્કે તેની ઇહાનત (અનાદર) અને માનહાનિથી બચવું જરૂરી છે અને નઅલ મુબારકના છપાયેલા નકશાઓ સાથે સામાન્ય રીતે આદર પાત્ર લખાણ પણ હોય છે, માટે તેનો અદબ જાળવવો જરૂરી છે અને અદબ ન જળવાય તો તે નકશાને સુરક્ષિાત જગ્યાએ દફન કરી દેવો જોઈએ. (“બવાદિર” ૧/૩૪૧)
Log in or Register to save this content for later.