Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 163 to 164)
સવાલ : હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી જે ઓરતોના નિકાહ થયા હતા તે કુલ કેટલી હતી અને તેઓના નામો શું છે ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અવલાદ કેટલી હતી અને તેઓના નામો શું છે ?
જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અઝવાજે મુતહ્હરાત (રદિ.) (પુનિત પત્નીઓ) કે જેઓથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નિકાહ થયા હતા, અગિયાર હતી જેઓના નામો નિકાહના ક્રમ મુજબ નીચે પ્રમાણે છે :
(૧) હઝરત ખદીજહ બિન્તે ખુવૈલિદ (રદિયલ્લાહુ અન્હા)
(ર) હઝરત સવદહ બિન્તે ઝમ્અહ (રદિયલ્લાહુ અન્હા)
(૩) હઝરત આઈશહ બિન્તે અબૂબક્ર સિદ્દીક (રદિયલ્લાહુ અન્હા)
(૪) હઝરત હફસહ બિન્તે ઉમર ફારૂક (રદિયલ્લાહુ અન્હા)
(પ) હઝરત ઝયનબ બિન્તે ખુઝય્મહ (રદિયલ્લાહુ અન્હા)
(૬) હઝરત ઉમ્મે સલ્મહ બિન્તે અબૂ ઉમય્યહ (રદિયલ્લાહુ અન્હા)
(૭) હઝરત ઝયનબ બિન્તે જહશ (રદિયલ્લાહુ અન્હા)
(૮) હઝરત જુવૈરિય્યહ બિન્તે હારિસ (રદિયલ્લાહુ અન્હા)
(૯) હઝરત ઉમ્મે હબીબહ બિન્તે અબૂ સુફયાન (રદિયલ્લાહુ અન્હા)
(૧૦) હઝરત સફિય્યહ બિન્તે હુયય (રદિયલ્લાહુ અન્હા)
(૧૧) હઝરત મૈમૂનહ બિન્તે હારિસ (રદિયલ્લાહુ અન્હા) (“ઝાદુલ મઆદ” : ૧/પ૧, “મદારિજુન્નુબુવ્વત” : ર/પ૪૭)
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અવલાદની ગણતરી બાબત સીરતની કિતાબોમાં સાત, આઠ, નવ, અગિયાર અને બાર એમ વિવિધ મંતવ્યો લખવામાં આવ્યા છે. જેમાંથી વિશ્વાસપાત્ર અને મુસ્તનદ મંતવ્ય એ છે કે, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કુલ સાત અવલાદ હતી. ત્રણ છોકરાઓ અને ચાર છોકરીઓ,
ત્રણ છોકરાઓના નામ :
(૧) હઝરત કાસિમ (રદિયલ્લાહુ અન્હુ)
(ર) હઝરત અબ્દુલ્લાહ (રદિયલ્લાહુ અન્હુ)
(૩) હઝરત ઇબ્રાહીમ (રદિયલ્લાહુ અન્હુ)
હઝરત અબ્દુલ્લાહ (રદિયલ્લાહુ અન્હુ)ને “તિય્યબ” અને “તાહિર”ના ઉપનામોથી પણ સંબોધવામાં આવતા હતા.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ચાર છોકરીઓના નામ :
(૧) હઝરત ઝયનબ (રદિયલ્લાહુ અન્હા)
(ર) હઝરત રુકય્યહ (રદિયલ્લાહુ અન્હા)
(૩) હઝરત ઉમ્મે કુલ્સૂમ (રદિયલ્લાહુ અન્હા) અને
(૪) હઝરત ફાતિમહ (રદિયલ્લાહુ અન્હા) હતા.
(“ઝાદુલ મઆદ” : ૧/૪૯, “મદારિજુન્નુબુવ્વત” : ર/પ૩૩)
Log in or Register to save this content for later.