[પ૪] “અહલે બય્ત”માં કોનો કોનો સમાવેશ છે ?

Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)

(Page : 157 to 160)

સવાલ  : “અહલે બય્ત”માં કોનો કોનો શુમાર થાય છે ? એક આલિમથી બયાનમાં સાંભળ્યું છે કે “અહલે બય્ત”માં ફકત અઝવાજે મુતહહરાત (પુનિત પત્નીઓ) (રદિ.) જ આવી શકે છે. એના વગર જે બીજાઓને મેળવે છે તે કુર્આનના અંદર ગુસ્તાખી કરવાવાળો છે.

જવાબ  : કુર્આન શરીફમાં સૂરએ” અહ્ઝાબ”ની ૩૩ મી આયતમાં “અહલે બય્ત”નું વર્ણન છે અને મજકૂર આયતની તફસીરમાં અહલે બય્ત વિષે તફસીરના ઇમામો (રહ.)ના બે અલગ અલગ મંતવ્યો છે હઝરત ઈબ્ને અબ્બાસ, હઝરત ઇકરમહ અને મુકાતિલ (રદિ.) ફરમાવે છે કે,

                “મજકૂર આયતમાં અહલે બય્તથી મુરાદ હઝરાતે અઝવાજે મુતહ્હરાત (પુનિત પત્નીઓ) (રદિ.) છે.

                અને અબૂ સઈદ ખુદરી,હઝરત મુજાહિદ તથા કતાદહ (રદિ.) અને તેઓ સિવાય તાબિઈન (રહ.)ની એક જમાઅત ફરમાવે છે કે,

                “અહલે બય્તથી મુરાદ હઝરત અલી, હઝરત ફાતિમહ, હઝરત હસન, હઝરત હુસૈન (રદિ.) છે.”

                પહેલાં મંતવ્યના સમર્થનમાં મજકૂર આયતના આગળ પાછળના શબ્દો છે કે તેમાં અઝવાજે મુતહ્હરાતને જ સંબોધવામાં આવ્યા છે, જયારે બીજા મંતવ્યના સમર્થનમાં આયતના અમુક શબ્દો સહિત અનેક સહીહ હદીસો છે જે પૈકી એક હદીસ સહીહ મુસ્લિમ શરીફમાં હઝરત આઈશહ (રદિ.)ની રિવાયત છે કે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઘરથી બહાર નીકળ્યા અને તે સમયે આપના બદન મુબારક પર કાળા બાલની ચાદર હતી. એટલામાં હઝરત હસન (રદિ.) આવ્યા તો આપે તેઓને ચાદરમાં દાખલ કરી લીધા. તે પછી હઝરત હુસૈન (રદિ.) આવ્યા તેઓ પણ ચાદરમાં દાખલ થઈ ગયા. ફરી હઝરત ફાતિમહ (રદિ.) આવ્યા. તેઓને પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ચાદરમાં દાખલ કર્યા. ત્યારબાદ હઝરત અલી (રદિ.) આવ્યા તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેઓને પણ ચાદરમાં લઈ લીધા. પછી આપે આ આયત તિલાવત ફરમાવી કે,

إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا (سورۃ الاحزاب آیت : 33)

 અર્થ  : (ઉપરના હુકમો બતાવવાથી) અલ્લાહ તઆલાનો ઈરાદો એ વાતનો છે કે હે (પયગમ્બરના ઘરવાળાઓ) (ગુનાહ અને નાફરમાનીની) ગંદકીને તમારાથી દૂર રાખે અને તમોને (ઝાહિર, બાતિન, અકીદા, અમલ અને અખ્લાક બધી રીતે) પાક સાફ રાખે.

                અને “તિરમિઝી શરીફ”માં હઝરત ઉમ્મે સલમહ (રદિ.)ની રિવાયતમાં એનું પણ વર્ણન છે કે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આ ચાર વ્યિકતઓને ચાદર ઓઢાડી અને (આ શબ્દોમાં દુઆ કરતાં) ફરમાવ્યું કે,

اللہم ھؤلاء اھل بیتی فاذھب عنھم الرجس و طھرھم تطھیرا (ترمذی شریف :۲؍۱۵۶، کتاب التفسیر سورۃ الاحزاب )

અર્થ : હે અલ્લાહ ¦ આ લોકો મારા અહલે બય્ત છે તો આપ તેઓથી  ગંદકીને દૂર રાખો અને તેઓને પાક-સાફ રાખો.

 (“તિરમિઝી શરીફ” : ર / ૧પ૬)

                અને સહીહ મુસ્લિમ શરીફમાં હઝરત સઅદ બિન અબી વક્કાસ (રદિ.)થી રિવાયત છે કે જયારે આયતે મુબાહલહ

فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ(سورۃ آل عمران ،آیت  61)

                નાઝિલ થઈ તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત અલી, ફાતિમહ, હસન, હુસૈન (રદિ.)ને બોલાવ્યા અને ફરમાવ્યું,

                “આ મારા અહલે બય્ત છે.”

                ઉપરોકત હદીસો સિવાય બીજી પણ અમુક હદીસો નકલ કરી કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહ.)એ પોતાની તફસીરમાં લખ્યું છે કે,

 والحق ما ذکرنا ان الآیۃ یعم جمیع اھل البیت وان کان سوق الکلام للنساء (تفسیر مظہری عربی :۷؍۳۴۰)

અર્થ : હક વાત તો એ જ છે જેનું અમે વર્ણન કયુઁ છે કે આ આયત તમામ અહલે બયતને શામિલ છે. ચાહે મજકૂર આયત ઓરતોના વર્ણન માટે છે.        (“તફસીરે મઝહરી” : ૭ / ૩૪૦)

                મુફિસ્સરે કુર્આન અલ્લામા ઈબ્ને કસીર (રહ.)એ પણ ઉપર પ્રમાણે બે અલગ અલગ મંતવ્યો નકલ કરી તેમાંના મતભેદ વિષે એક ચોખવટ રજૂ કરી છે જેનો ખુલાસો એ છે કે,

                “અહલે બય્ત”માં ઉપરની બધી જ વ્યિકતઓનો સમાવેશ છે ફકત અઝવાજે મુતહ્હરાત કે ફકત મજકૂર ચાર વ્યિકતઓનો જ સમાવેશ નથી અને તફસીરના ઈમામો (રહ.)ના મંતવ્યોમાં હકીકતમાં કોઈ મતભેદ નથી ચાહે જાહેરમાં મતભેદ જેવું લાગે છે કારણકે પહેલા મંતવ્યનો મતલબ એ છે કે સૂરએ “અહ્ઝાબ”ની મજકૂર આયત અઝવાજે મુતહ્હરાતની બાબતમાં નાઝિલ થઈ છે અને બીજા મંતવ્યનો મતલબ એ છે કે ચાહે તે ઉતરી તો છે અઝવાજ (રદિ.)ની બાબત, પરંતુ અહલે બય્તના શબ્દમાં મજકૂર ચાર વ્યિકતઓનો પણ સમાવેશ થાય છે. (“તફસીરે ઈબ્ને કસીરથી મઆરિફુલ કુર્આન” ૭ / ૧૪૦)

Log in or Register to save this content for later.