Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 156 to 157)
સવાલ : અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જે કુર્તો પહેરતા હતા તે અત્યારે પહેરવામાં આવે છે તેવો કાપવાળો હતો કે આખો, કાપ વગરનો હતો ?
જવાબ : વિવિધ હદીસોનો અભ્યાસ કરવાથી એ વાતની સાબિતી મળે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો કુર્તો આજુબાજુથી કાપ વગરનો એટલે કે નીચેથી પૂરા ઘેરવાળો હતો.
હઝરત ઉમ્મે સલમહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને પહેરવાના કપડાંઓમાં કુર્તો સૌથી વધુ પસંદ હતો. અને ઈમામ જઝરી (રહ.)એ તે કુર્તાની વ્યાખ્યા બતાવતાં લખ્યું છે કે એવું બે બાંય સાથેનું સીવેલું કપડું કે જેને કાપ ન હોય. (“મિરકાત” ૮ / ર૪૪)
હઝરત સલમહ બિન અક્વઅ (રદિ.)એ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પૂછયું કે,
“હું એક શિકારી માણસ છું તો શું હું ફકત કુર્તો પહેરીને નમાઝ પઢી શકું છું? “
આપે ફરમાવ્યું,
“હાં, (પઢી શકો છો) પરંતુ તમો એના ગરેબાનને બંધ કરી દો ચાહે કાંટા વડે હોય.”(“મિશકાત શરીફ” ૭૩)
ખુદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પણ એકલો કુર્તો પહેરી નમાઝ પઢવી સાબિત છે. (“અબૂ દાવૂદ શરીફ”)
અને હદીસોથી એ પણ સાબિત છે કે પુરુષનું ફર્ઝ સતર, નાફ (ડુટી)થી લઈને ગુંઠણના નીચે સુધી છે. નમાઝમાં અને નમાઝની બહાર એટલા ભાગને કપડાથી છૂપાવવું પુરુષ માટે ફર્ઝ છે. અને ફકત કુર્તો પહેરી ત્યારે જ મજકૂર સતર છૂપાવી શકાય જયારે કે કુર્તો નીચો અને કાપ વગરનો આખા ઘેરવાળો હોય. જો કાપવાળો કુર્તો હોય તો ફકત તેને પહેરીને નમાઝ ન પઢી શકાય, કારણકે તે સૂરતમાં વિના શંકાએ સતર ખુલી જાય.
Log in or Register to save this content for later.