Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 154 to 158)
સવાલ : હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર જાદુ અથવા કરામત બેમાંથી શું કરવામાં આવ્યું હતું અને કરનાર કરાવનાર વ્યિકતઓ કોણ હતી ? એમ શા માટે કયા કારણોસર કરવામાં આવ્યું હતું ? હઝરત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર તેની શી અસર થઈ હતી ? એ અસર કઈ રીતે અને કોણે દૂર કરી ?
જવાબ : હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર જાદુ કરવામાં આવ્યું હતું. મુખ્ય જાદુ કરનાર એક મુનાફિક યહુદી હતો જેનું નામ લબીદ બિન અઅ્સમ હતું. જો કે તેમાં અમુક ઓરતો પણ સહાયરૂપ બની હતી અને જાદુનો પ્લાન બનાવનાર અને પ્રોત્સાહન આપનાર યહુદીઓ હતા. અને જાદુ ફકત આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી હસદ અને અદેખાઈના કારણે કરવામાં આવ્યું હતું. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને જાદુની અસરથી ન કરેલું કામ કરેલું લાગતું હતું અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અઝવાજે મુતહહરાત (પુનિત પત્નીઓ) (રદિ.)થી હમબિસ્તર થવા ચાહતા હતા તો પોતાનામાં અશિકત અનુભવતા હતા. જે કૂવામાં જાદુઈ અમલની સાધન-સામગ્રી દફન કરવામાં આવી હતી તે કૂવા પાસેના ખજૂરના ઝાડો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને શૈતાનોના માથાઓની જેમ ભયાનક લાગતા હતા.
આ જાદુની ઘટના બની ત્યારે અલ્લાહ તઆલાએ કુર્આન શરીફની છેલ્લી બે સૂરતો લઈ હઝરત જિબ્રઈલ (અલૈ.)ને મોકલ્યા અને હઝરત જિબ્રઈલે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને તે સૂરતોની તિલાવત કરીને જાદુની અસર દૂર થવાનો તરીકો બતાવ્યો.
હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર કમાન (કામઠાં)ની દોરીમાં અગિયાર ગાંઠો લગાવી દરેક ગાંઠમાં એક સોય દાખલ કરી જાદુ કરવામાં આવ્યું હતું. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મજકૂર બે સૂરતો (સૂરએ “ફલક” અને સૂરએ “નાસ”)ની કુલ અગિયાર આયતોમાંથી એક એક આયત પઢી અને દોરીની ગાંઠોમાંથી એક એક ગાંઠમાંથી સોય કાઢીને તે ગાંઠો ખોલી નાંખી અને આ પ્રમાણે એક તરફ અગિયાર આયતોની તિલાવત પૂરી થઈ અને બીજી તરફ અગિયાર ગાંઠોમાંની સોયો નીકળી ગઈ અને ગાંઠો ખુલી ગઈ. અને પરિણામે અલ્લાહ તઆલાએ પોતાના પાક કલામની તિલાવતની બરકતથી હઝરત હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પરથી જાદુની અસર દૂર ફરમાવી. (“રૂહુલ મઆની” ૩૦ / ર૮ર )
Log in or Register to save this content for later.