Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 160 to 163)
સવાલ : અહીયા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતાના ઈમાન-કૂફ્ર બાબત લોકોમાં વિવાદાસ્પદ ચર્ચા થાય છે અને પરસ્પર એકબીજા ઉપર કીચડ ઉછાળવામાં આવે છે તો આપ બતાવશો કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતાના બારામાં આપણો શું અકીદો હોવો જોઈએ ? આપના માતા-પિતા જન્નતી છે કે જહન્નમી ? અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતાના બારામાં ઇમામ અબૂ હનીફહ (રહ.)નો શું અકીદો છે તે તેઓની કિતાબ “ફિકહે અકબર”ના હવાલાથી લખી જણાવશો.
જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતાના ઈમાન વિશે અને તેઓના જન્નતી કે જહન્નમી હોવા બાબત હદીસોની રોશનીમાં ફુકહાએ ઉમ્મત અને ઉલમાએ ઈસ્લામમાં મતભેદ અને ઇિખ્તલાફ છે.
ઇમામ અબૂ હનીફહ (રહ.)પોતાની કિતાબ “ ફિકહે અકબર”માં લખે છે,
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતા કુફ્રની હાલતમાં વફાત પામ્યા. અને આ મંતવ્યની દલીલરૂપે સહીહ મુસ્લિમ શરીફની બે હદીસો નકલ કરવામાં આવે છે.
એક હદીસમાં આ પ્રમાણે છે કે,
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે,
“મેં અલ્લાહ તઆલા પાસે મારી માતા માટે ઇિસ્તગફાર કરવાની
ઇજાઝત તલબ કરી તો મને ઇજાઝત ન મળી.”
અને બીજી હદીસમાં છે કે,
એક માણસે પૂછયું કે,
“હે અલ્લાહના રસૂલ ¦
મારા પિતા કયાં છે ? (જન્નતમાં કે જહન્નમમાં) ?”
આપે ફરમાવ્યું કે,
“જહન્નમમાં છે.”
પછી જયારે તે પૂછનાર માણસ પાછો ફર્યો તો આપે તેને બોલાવ્યો અને ફરમાવ્યું કે,
“મારા પિતા અને તારા પિતા બંને નાર (જહન્નમ)માં છે.”
પરંતુ ઘણા ઉલમાએ ઉમ્મતનું મંતવ્ય આ પ્રમાણે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતાને તેઓની કુફ્રની હાલતમાં વફાત થયા પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ખુસૂસી ઇકરામ અને એહતિરામ તરીકે જીવતા કરવામાં આવ્યા અને તેઓ ઈમાન લાવ્યા. ત્યાર પછી ફરી ઈમાનની હાલતમાં મૃત્યુ પામ્યા અને ઉપરની હદીસોનો મતલબ એ બયાન કરવામાં આવ્યો છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના આ ફરમાનો આપના માતા-પિતાના ફરીવાર જીવંત થવા અને ઈમાન લાવવા પહેલાંના સમયમાં ફરમાવેલ છે.
શૈખ જલાલુદ્દીન સુયૂતી (રહ.)એ ખાસ આ મસ્અલા વિશે છ કિતાબો લખી છે અને તેમાં આપનાં માતા-પિતાનું મુસ્લિમ હોવું સાબિત કયુઁ છે. જો કે અમુક આલિમોએ આ વિષય ઉપર તેઓની કિતાબોના વિરુદ્ઘ પણ કિતાબો લખી છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના માતા-પિતા વિશે હકારાત્મક કે નકારાત્મક કોઈ પણ પ્રકારનો અકીદો રાખવો આપણા ઈમાન માટે જરૂરી નથી. આ બાબત આપણા માટે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અદબ અને અઝમતનો તકાઝો અને સલામતી-સાવચેતીનો રસ્તો એ જ છે કે આપણે આ મસ્અલા સંબંધી ચર્ચા અને હુજજતબાઝી ન કરવી જોઈએ. કારણકે તેઓના ઈમાન વિશે કે જન્નતી-જહન્નમી હોવા વિશે આપણાથી ન કબ્રમાં સવાલ કરવામાં આવશે કે ન કિયામતમાં પૂછવામાં આવશે અને તેથી ઊલટું આ બહસ (ચર્ચા)માં પડવાથી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નારાઝગીનો ભય છે.(“શર્હે ફિકહે અકબર” ૧ર૮, “શામી” ર/૩૮પ, ૩/ર૯૦, “નિબરાસ” પર૬)
ફકીહુલ ઉમ્મત હઝરત મૌલાના મુફતી મહમૂદ હસન ગંગોહી (દા.બ.) લખે છે કે,
તમો પોતે વિચારો કે (અગર) તમારા પિતા સંબંધી ચર્ચા કરવામાં આવે કે તેઓ દોઝખમાં ગયા છે અથવા છૂટકારો પામી ગયા છે તો આ ચર્ચા તમોને કેટલી બધી બોજરૂપ લાગશે. (“ફતાવા મહમૂદિય્યહ” : પ/૩પ૩)
ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.