[૮૪] અવલિયાએ કિરામથી અકીદત અને મુહબ્બતનો તરીકો

Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)

(Page : 209 top 210)

સવાલ : અકસર વાઅઝોમાં સાંભળવામાં આવે છે કે અવલિયાઉલ્લાહ અને બુઝુર્ગાને દીનથી સારી અકીદત અને મુહબ્બત રાખવી જોઈએ તો સારી અકીદત અને મુહબ્બતનો તરીકો શું છે ? તેમના અને આપણાં બન્ને વચ્ચે લાંબી દૂરી છે તો તેમની સારી અકીદત અને મુહબ્બતનો ઈઝ્હાર કેવી રીતે કરી શકાય ?

જવાબ : તેઓની અકીદત અને મુહબ્બતનો મતલબ એ છે કે તેઓના નેક અમલો અને શરીઅતની પાબંદીવાળી ઝિંદગીના કારણે તેઓ પ્રત્યે દિલમાં માન અને એહતિરામ હોય તેઓ પોતાની અમલી અને ઈલ્મી ઝિંદગીમાં ઘણા લોકોને ફાયદારૂપ નીવડયા હશે . થઈ શકે છે કે તેનો કોઈ ભાગ આપણને પણ કોઈ સૂરતથી મળ્યો હોય, માટે જઝાએ ખૈરની દુઆ કરવામાં આવે, તેઓની નસીહતો  ઉપર અમલ કરવામાં આવે, તેઓના ઉપર ટીકા-કટાક્ષા કરવાથી દૂર રહેવામાં આવે, ઈસાલે સવાબ કરવામાં આવે, તેઓની કોઈ વાત જાહેરમાં શરીઅત વિરુધ્ધ જણાય તો તેઓથી બદગુમાન ન થતાં તેનું યોગ્ય અર્થઘટન કરવામાં આવે.

Log in or Register to save this content for later.