Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 206 to 207)
સવાલ : અગિયારમી ખાવાની શું હકીકત છે ?
જો એવા ખાવાની દઅવત મળે તો ખાવા માટે જવું કેવું છે ?
શું માલદાર માણસ અગિયારમીનું ખાણું ખાય શકે છે?
અને ગરીબોને એ દઅવતમાં શરીક થવા શું હુકમ છે ?
(મૌલાના વલી ફલાહી, બચ્ચોંકા ઘર, આમોદ, જિ. ભરૂચ)
જવાબ : કોઈ પણ ઇસ્લામી મહિનાની અગિયારમી તારીખે મહબૂબે સુબ્હાની શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.)ની નિય્યતથી જે ખાણું પકાવવામાં આવે છે તેને અગિયારમી કહેવામાં આવે છે. (“ઈિખ્તલાફે ઉમ્મત ર્થાર…”)
જો તે ખાણું હઝરત શૈખના નામની મન્નતનું હોય તો તે હરામ છે અને તેઓના નામની મન્નત માનવી શિર્ક છે, મન્નત ફકત અલ્લાહ તઆલાના નામની જ માનવી જાઈઝ છે. કોઈ ઊંચામાં ઊંચી મખ્લૂકના નામની મન્નત માનવી હરામ અને શિર્ક છે અને એવી હરામ મન્નતનું ખાણું ખાવું માલદાર અને ગરીબ કોઈના માટે જાઈઝ નથી. (“શામી” ર / ૧ર૮, “બહર” ર / ર૯૮)
જો હઝરત શૈખ જીલાની (રહ.)ના ઈસાલે સવાબ માટે અલ્લાહ તઆલાના નામની મન્નત માની હોય અથવા મન્નત વગર હઝરત શૈખના ઈસાલે સવાબ માટે પકાવીને ખવડાવે તો એવું ખાણું ગરીબો ખાય શકે છે, માલદાર ન ખાય શકે, કારણકે મન્નતનું ખાણું માલદાર માટે જાઈઝ નથી અને ગરીબને ખવડાવવાથી સદકહનો ઈસાલે સવાબ કરી શકાય છે. અલબત્ત, ઈસાલે સવાબના ખાણા માટે કોઈ તારીખ અને દિવસને જરૂરી સમજવું એ બિદઅત અને નાજાઈઝ છે. (“શામી” ભાગ : ૧, “ફતાવા મહમૂદિય્યહ” ૧૦ / ૯૮)
Log in or Register to save this content for later.