Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 119 to 120)
સવાલ : અગર કોઈ આલિમ દરરોજ અસરની નમાઝ પછી કુર્આન મજીદની તફસીર કરતા હોય અને તેઓ દરરોજ તફસીર શરૂ કરતાં પહેલાં જોરથી દુરૂદ શરીફ પઢે તો શું તે બિદઅત ગણાશે?
જવાબ : અગર તેઓ મજકૂર મોકા ઉપર દુરૂદ શરીફ પઢવાને ઝરૂરી ન સમજતા હોય તો તે બિદઅત નહિ ગણાય. દુરૂદ શરીફને ઝરૂરી સમજયા વગર પઢવું જાઈઝ છે. બલ્કે મુસ્તહબ છે. [“શામી” : ૧ / ૩૪૮] Log in or Register to save this content for later.