Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 117 to 118)
સવાલ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મોહરે નુબુવ્વત પર શું લખાણ હતું ?
જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બદન મુબારકની પાછલી બાજુ બન્ને ખભાઓની વચ્ચે જે મોહરે નુબુવ્વત હતી, તેના ઉપર કોઈ લખાણ હતું કે નહિ ? એ બાબત હદીસના ઉલમાએ કિરામનો મતભેદ છે, શૈખ ઇબ્ને હિબ્બાન (રહમતુલ્લાહિ અલયહ) વગેરેની તહકીક આ છે કે તેના ઉપર : “મુહમ્મદ રસૂલુલ્લાહ” લખેલું હતું અને અમુક રિવાયતોમાં છે કે તેના ઉપર “સિર્ ફઅન્તલ્ મન્સૂર” લખેલું હતું. જયારે બીજા અમુક આલિમોનું મંતવ્ય આ છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મોહરે નુબુવ્વત ઉપર કોઈ લખાણ ન હતું અને લખાણ દર્શાવતી હદીસો વિશ્વાસપાત્ર, સાબિત અને સહીહ નથી. (“તઅ્લીકે સબીહ” ૭/૭૮,”જમ્ઉલ્ વસાઈલ”/”ખસાઈલે નબવી” પા. : ૧પ)
Log in or Register to save this content for later.