[૧પ૪] સપ્તાહના દિવસોના નામ

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 415 to 416)

સવાલ : જે સાત વાર નકકી કરવામાં આવ્યા છે. જુમ્અહ, સનીચર, ઈતવાર, પીર, મંગલ, બુધ, જુમેરાત. તો આ નામો કોણે નકકી કર્યા અને કયારે નકકી કર્યા ?

જવાબ : સપ્તાહના સાત દિવસોના નામ બે પ્રકારના છે,  એક ગુજરાતી-િહદી અને બીજા ઇસ્લામી અરબી.

                ગુજરાતી નામો િહદી નામો ઉપરથી બનાવવામાં આવ્યા છે અને િહદી નામોનો ઇતિહાસ એ પ્રમાણે  લખવામાં આવ્યો છે કે પ્રાચીનકાળના નજૂમીઓની મુશરિકાના માન્યતા મુજબ તેઓ આકાશમાં ફરતા સાત ગ્રહોને સપ્તાહના સાત દિવસોમાં દુનિયામાં બનતી ઘટનાઓ અને બનાવોના સર્જનકર્તા માનતા હતા અને દરેક ગ્રહને એક એક દિવસનો હાકિમ અને માલિક માનતા હતા. અને સાત ગ્રહો વિશેની આવી માન્યતાના આધારે પ્રાચીન યુગના હિન્દુસ્તાની ફલાસફરોએ સપ્તાહના સાત દિવસોના નામો પણ સાત ગ્રહોના નામ ઉપરથી નકકી કર્યા અને સાથે વાર શબ્દનો વધારો કર્યો.

                અને શૈખ ઇબ્ને તૈમિય્યહ (રહ.)ની તહકીક મુજબ સપ્તાહના સાત દિવસોના અરબી નામોનો આરંભ આસમાની કિતાબોથી થયો છે. અને ઇસ્લામી અરબી નામોનો આરંભ કુર્આન મજીદ અને હદીસ શરીફથી થયો છે. [“ફલકિય્યાતે જદીદહ” : ૧૪૬] Log in or Register to save this content for later.