[૧પપ] નિકાહ માટે કોઈ ઘડી અશુભ નથી

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 416 to 417)

સવાલ : કેલેન્ડરોમાં કેટલી જગ્યાએ તારીખો ઉપર “િવછુડો” શબ્દ લખાયેલ હોય છે જયારે કેટલાક મુસ્લિમ કેલેન્ડરો પર “અકરબ” લખેલ હોય છે. મુસ્લિમ સમાજમાં શાદીની તારીખો નકકી કરતી વખતે આ બાબત પર ધ્યાન રાખવામાં આવે છે. અગર શાદીની તારીખોમાં “અકરબ” અથવા “િવછુડો” આવતો હોય તો શાદી અથવા કોઈ સારા કામની તારીખ નકકી કરવામાં આવતી નથી. તો આ બાબત શરીઅતનો શું હુકમ છે ? અને ખરેખર આવી તારીખોમાં શાદી નકકી કરી શકાય કે નહિ ?

જવાબ : ઇસ્લામમાં શાદી માટે કે અન્ય કોઈ સારા કામ માટે િવછુડાનું ચોઘડિયું કે અન્ય કોઈ ચોઘડિયું ખરાબ અને અશુભ નથી. કોઈ કામ માટે કોઈ ચોઘડિયાના ખરાબ અને અશુભ હોવાની માન્યતા એ ગૈર ઇસ્લામી ખોટી માન્યતા છે. એવી માન્યતા ગૈર મુસ્લિમો રાખે છે. હદીસ શરીફમાં મુસ્લિમોને આવી શુભ-અશુભની માન્યતા રાખવાથી મનાઈ ફરમાવવામાં આવી  છે.                                   [“મજાલિસુલ્ અબરાર”]

                જો નિકાહ જેવું કોઈ નેક કામ જેના માટે શરીઅતે કોઈ વખત નકકી કર્યો નથી, એવું કામ કરવાના વખતમાં શંકા રહેતી હોય કે આ વખતમાં આ કામ કરવું કે નહિ તો તે કામના વખત બાબત ઇિસ્તખારહની દુઆ કરવી જોઈએ અને ઇિસ્તખારહથી નિર્ણય લેવો જોઈએ, એ મુસ્તહબ છે.

                પરંતુ કોઈ ચોઘડિયાને ખરાબ માની લઈ તેમાં કોઈ સારું કામ કરવાથી રોકાય ન રહેવું જોઈએ [“શામી” : ૧] Log in or Register to save this content for later.