Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 201)
સવાલ : કયા સંજોગોમાં અથવા કયા કારણોસર ઉલમાએ દીનના ફતવાની અવગણના કરી શકાય તે વિગતથી જણાવશો.
જવાબ : જે ફતવો એવા મુફતી સાહેબથી પૂછવામાં આવ્યો હોય કે જે કિતાબુલ્લાહ, સુન્નતે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને ફિકહના મસાઈલના માહિર હોય તેવો ફતવો શરીઅતના હુકમને જાહેર કરે છે. તેની અવગણના શરીઅતની અવગણના ગણાશે અને તેનું અપમાન કુફ્ર સુધી પહોંચાડી આપશે.(“ફતાવા આલમગીરી”ર/ ર૭ર)
અલબત્ત જો કોઈ ફતવો કુર્આન-હદીસના વિરુદ્ઘ હોય અને શરીઅતના હલાલને હરામ અને હરામને હલાલ બતાવનાર હોય અને નફસની ખ્વાહિશ (મનેચ્છા) પર આધારિત હોય તો તેવા ફતવાને માનવું અને તેને અનુસરવું જાઈઝ નથી.
પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ ફતવાને અમાન્ય ઠરાવવો એ સામાન્ય મુસ્લિમનું કામ નથી, બલ્કે તેના શરીઅત વિરુદ્ઘ હોવાને કોઈ માહિર આલિમ જ નકકી કરી શકે છે.(“મજ. અન્હુર” ર / ૪૪૧, “ફતાવા મહમૂદિય્યહ” ૮ / ૩૪ર)
Log in or Register to save this content for later.